શહેરના વોર્ડ દિઠ 10 ગણા વધુ લોકોએ નોંધાવી ઉમેદવારી
છેલ્લા ઘણા દિવસોથી આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ અને એનસીપી સહિતના પક્ષોનાં આગેવાનો ચૂંટણીને લઈને દોડધામ
ચૂંટણી લડવા ઇચ્છતા કાર્યકરો નિરીક્ષકો સમક્ષ પોતાની યોગ્યતા સિદ્ધ કરવા પ્રયાસો કરી રહ્યા છે
WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતા જ રાજકીય પક્ષોમાં દોડધામ શરૂ થઈ ગઈ છે. હાલમાં જ કોંગ્રેસનાં નેતાઓ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે ભાજપ દ્વારા પણ ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં કોર્પોરેશનની ચૂંટણી લડવા રાફડો ફાટ્યો હોય તેમ 10 ગણાથી વધુએ ઉમેદવારી નોંધાવી છે. તેમજ શહેરના 18 વોર્ડની કુલ 72 બેઠકો માટે 784 કાર્યકરો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે.
આગામી તા. 21 ફેબ્રુઆરીનાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જે અંતર્ગત આજે ચાર સ્થળો પર ભાજપના આગેવાનો દાવેદારોને સાંભળી રહ્યા છે. જેમાં ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ નં.1, 2, 3 અને 7ના દાવેદારોને પુષ્પદાન ગઢવી, ગિરીશ શાહ અને જાગૃતિ પંડ્યા સેન્સ લઈ રહ્યા છે. જ્યારે હરિહર હોલ ખાતે વોર્ડ નં.8, 9, 10, 11 અને 12ના દાવેદારો પોતાને ટિકિટ મળે તે માટે મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપ ત્રિવેદી અને આદ્યશક્તિ મજમુદાર સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાના છે.
ઉપરાંત રાણીંગાવાડીમાં બાબુ બોખીરિયા, ભરતસિંહ ગોહિલ અન બિજલ પટેલ વોર્ડ નં.13, 14, 16, 17 અને 18ના કાર્યકરોને સાંભળશે. જ્યારે પટેલ વાડી ખાતે નરહરિ અમીન, માધા બોરીચા અને નીમુબેન બાંભણિયા વોર્ડ નં. 4, 5, 6 અને 15ના દાવેદારોને સાંભળશે. શહેર કોંગ્રેસમાં જૂથબંધીને કારણે જીતવું સરળ હોઈ ભાજપમાંથી ચૂંટણી લડવા રીતસરનો રાફડો ફાટ્યો છે. અને હજુ પ્રક્રિયા ચાલુ હોવાથી દાવેદારોની સંખ્યામાં વધારો થવાની પૂરતી શક્યતા છે.
ચૂંટણી જાહેર થયા પહેલા જ રાજકોટમાં ચૂંટણીનો માહોલ સર્જાઇ ગયો છે
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ અને એનસીપી સહિતના પક્ષોનાં આગેવાનો ચૂંટણીને લઈને દોડધામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા મોટાભાગના ઉમેદવારોનાં નામ પણ જાહેર કરી દેવાયા છે. અને કોંગ્રેસ પણ ટૂંક સમયમાં જ યાદી જાહેર કરે તેવી શક્યતા છે. જોકે ભાજપ દ્વારા હંમેશની માફક સૌથી છેલ્લે ઉમેદવારો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. હાલ તો ચૂંટણી લડવા ઇચ્છતા કાર્યકરો નિરીક્ષકો સમક્ષ પોતાની યોગ્યતા સિદ્ધ કરવા પ્રયાસો કરી રહ્યા છે
શહેરના વોર્ડ દિઠ 10 ગણા વધુ લોકોએ નોંધાવી ઉમેદવારી
છેલ્લા ઘણા દિવસોથી આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ અને એનસીપી સહિતના પક્ષોનાં આગેવાનો ચૂંટણીને લઈને દોડધામ
ચૂંટણી લડવા ઇચ્છતા કાર્યકરો નિરીક્ષકો સમક્ષ પોતાની યોગ્યતા સિદ્ધ કરવા પ્રયાસો કરી રહ્યા છે
WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતા જ રાજકીય પક્ષોમાં દોડધામ શરૂ થઈ ગઈ છે. હાલમાં જ કોંગ્રેસનાં નેતાઓ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે ભાજપ દ્વારા પણ ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં કોર્પોરેશનની ચૂંટણી લડવા રાફડો ફાટ્યો હોય તેમ 10 ગણાથી વધુએ ઉમેદવારી નોંધાવી છે. તેમજ શહેરના 18 વોર્ડની કુલ 72 બેઠકો માટે 784 કાર્યકરો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે.
આગામી તા. 21 ફેબ્રુઆરીનાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જે અંતર્ગત આજે ચાર સ્થળો પર ભાજપના આગેવાનો દાવેદારોને સાંભળી રહ્યા છે. જેમાં ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ નં.1, 2, 3 અને 7ના દાવેદારોને પુષ્પદાન ગઢવી, ગિરીશ શાહ અને જાગૃતિ પંડ્યા સેન્સ લઈ રહ્યા છે. જ્યારે હરિહર હોલ ખાતે વોર્ડ નં.8, 9, 10, 11 અને 12ના દાવેદારો પોતાને ટિકિટ મળે તે માટે મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપ ત્રિવેદી અને આદ્યશક્તિ મજમુદાર સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાના છે.
ઉપરાંત રાણીંગાવાડીમાં બાબુ બોખીરિયા, ભરતસિંહ ગોહિલ અન બિજલ પટેલ વોર્ડ નં.13, 14, 16, 17 અને 18ના કાર્યકરોને સાંભળશે. જ્યારે પટેલ વાડી ખાતે નરહરિ અમીન, માધા બોરીચા અને નીમુબેન બાંભણિયા વોર્ડ નં. 4, 5, 6 અને 15ના દાવેદારોને સાંભળશે. શહેર કોંગ્રેસમાં જૂથબંધીને કારણે જીતવું સરળ હોઈ ભાજપમાંથી ચૂંટણી લડવા રીતસરનો રાફડો ફાટ્યો છે. અને હજુ પ્રક્રિયા ચાલુ હોવાથી દાવેદારોની સંખ્યામાં વધારો થવાની પૂરતી શક્યતા છે.
ચૂંટણી જાહેર થયા પહેલા જ રાજકોટમાં ચૂંટણીનો માહોલ સર્જાઇ ગયો છે
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ અને એનસીપી સહિતના પક્ષોનાં આગેવાનો ચૂંટણીને લઈને દોડધામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા મોટાભાગના ઉમેદવારોનાં નામ પણ જાહેર કરી દેવાયા છે. અને કોંગ્રેસ પણ ટૂંક સમયમાં જ યાદી જાહેર કરે તેવી શક્યતા છે. જોકે ભાજપ દ્વારા હંમેશની માફક સૌથી છેલ્લે ઉમેદવારો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. હાલ તો ચૂંટણી લડવા ઇચ્છતા કાર્યકરો નિરીક્ષકો સમક્ષ પોતાની યોગ્યતા સિદ્ધ કરવા પ્રયાસો કરી રહ્યા છે