રાજકોટ હોસ્પિટલ ખાતે હાજર સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના પરિવારજનો વચ્ચે વાતચીતનો વિડીયો વાઇરલ
સિક્યુરિટી ગાર્ડ દર્દીના સગાને સમજાવે છે કે, તમારા સ્વજનની બોડી પહેલા હજી ચાર બોડી વેઇટિંગમાં છે
સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ટપોટપ મોત થતાં ગભરાટનો માહોલ ફેલાયો
સ્મશાનમાં પણ અંતિમ ક્રિયા કરવા માટે વેઇટીંગ જારી
WatchGujarat. શહેરની સિવિલ હોસ્પિટલ કોઇને કોઇ રીતે વિવાદોના ઘેરામાં સપડાયા કરે છે. ત્યારે આજે ફરી એકવખત મૃતદેહને લઇ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં કોરોનાના મૃતદેહ માટે સ્મશાનમાં જગ્યા નહીં હોવોનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે. અને સ્મશાને જગ્યા ન હોવાથી કોરોના મૃતકોના મૃતદેહોના સિવિલમાં ઢગલા થયા હોય તેવું પણ વીડિયો મારફત બહાર આવ્યું છે. અને મૃતદેહ મેળવી સ્મશાને લઇ જવામાં પણ વેઇટિંગ ચાલતું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અને મૃતદેહને લેવા માટે 3-4 કલાક બાદ આવવા જણાવાઈ રહ્યું છે.
https://youtu.be/2mcxvSywyrA
રાજકોટ હોસ્પિટલ ખાતે હાજર સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના પરિવારજનો વચ્ચે વાતચીતનાં આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, દર્દીના સગા પૂછપરછ બારી ખાતે પોતાના સ્વજનની અંતિમક્રિયા માટે મૃતદેહને સ્મશાને લઇ જવા માટે સ્ટાફને કહે છે. ત્યારે જ એક સિક્યુરિટી ગાર્ડ આવે છે અને દર્દીના સગાને સમજાવે છે કે, તમારા સ્વજનની બોડી પહેલા હજી ચાર બોડી વેઇટિંગમાં છે. રાજકોટમાં માત્ર સિવિલ હોસ્પિટલમાંથી જ મૃતદેહો જાય તેવું થોડુ છે. ખાનગી હોસ્પિટલોમાંથી પણ બોડીઓ સ્મશાને આવી રહી છે. આથી તમે રાહ જુઓ અને બોલાવે ત્યારે આવજો. ત્યારે પૂછપરછ બારીમાંથી સ્ટાફ કહે છે કે, હજુ ત્રણથી ચાર કલાક જેટલી વાર લાગશે.
ઉલ્લેખનીય છે કે, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ટપોટપ મોત થતાં ગભરાટનો માહોલ ફેલાયો છે. હાલ કોરોના પિક પોઇન્ટ પર માનવામાં આવી રહ્યો છે, જેમાં ચાલુ માસ દરમિયાન 6 દિવસમાં 85 દર્દીનાં મૃત્યુ થયાં છે. દરમિયાન સિવિલ હોસ્પિટલમાં દર્દીના ટપોટપ થતા મોતને લઇ સ્મશાનમા જગ્યા નહીં હોવાનું સિક્યુરિટી ગાર્ડ જ દર્દીના સંબંધીને જણાવી રહ્યાં છે. એટલું જ નહીં મૃત્યુ થયાના 3-4 કલાક બાદ મૃતદેહ લેવા આવવા પણ મૃતકના સંબંધીઓને કહેવાતા સ્મશાનમાં પણ જગ્યા નહીં હોવાનું અને આ માટે 3થી 4 કલાકનું વેઇટિંગ હોવાનું સાબિત થઈ રહ્યું છે.
રાજકોટ હોસ્પિટલ ખાતે હાજર સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના પરિવારજનો વચ્ચે વાતચીતનો વિડીયો વાઇરલ
સિક્યુરિટી ગાર્ડ દર્દીના સગાને સમજાવે છે કે, તમારા સ્વજનની બોડી પહેલા હજી ચાર બોડી વેઇટિંગમાં છે
સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ટપોટપ મોત થતાં ગભરાટનો માહોલ ફેલાયો
સ્મશાનમાં પણ અંતિમ ક્રિયા કરવા માટે વેઇટીંગ જારી
WatchGujarat. શહેરની સિવિલ હોસ્પિટલ કોઇને કોઇ રીતે વિવાદોના ઘેરામાં સપડાયા કરે છે. ત્યારે આજે ફરી એકવખત મૃતદેહને લઇ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં કોરોનાના મૃતદેહ માટે સ્મશાનમાં જગ્યા નહીં હોવોનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે. અને સ્મશાને જગ્યા ન હોવાથી કોરોના મૃતકોના મૃતદેહોના સિવિલમાં ઢગલા થયા હોય તેવું પણ વીડિયો મારફત બહાર આવ્યું છે. અને મૃતદેહ મેળવી સ્મશાને લઇ જવામાં પણ વેઇટિંગ ચાલતું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અને મૃતદેહને લેવા માટે 3-4 કલાક બાદ આવવા જણાવાઈ રહ્યું છે.
રાજકોટ હોસ્પિટલ ખાતે હાજર સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના પરિવારજનો વચ્ચે વાતચીતનાં આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, દર્દીના સગા પૂછપરછ બારી ખાતે પોતાના સ્વજનની અંતિમક્રિયા માટે મૃતદેહને સ્મશાને લઇ જવા માટે સ્ટાફને કહે છે. ત્યારે જ એક સિક્યુરિટી ગાર્ડ આવે છે અને દર્દીના સગાને સમજાવે છે કે, તમારા સ્વજનની બોડી પહેલા હજી ચાર બોડી વેઇટિંગમાં છે. રાજકોટમાં માત્ર સિવિલ હોસ્પિટલમાંથી જ મૃતદેહો જાય તેવું થોડુ છે. ખાનગી હોસ્પિટલોમાંથી પણ બોડીઓ સ્મશાને આવી રહી છે. આથી તમે રાહ જુઓ અને બોલાવે ત્યારે આવજો. ત્યારે પૂછપરછ બારીમાંથી સ્ટાફ કહે છે કે, હજુ ત્રણથી ચાર કલાક જેટલી વાર લાગશે.
ઉલ્લેખનીય છે કે, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ટપોટપ મોત થતાં ગભરાટનો માહોલ ફેલાયો છે. હાલ કોરોના પિક પોઇન્ટ પર માનવામાં આવી રહ્યો છે, જેમાં ચાલુ માસ દરમિયાન 6 દિવસમાં 85 દર્દીનાં મૃત્યુ થયાં છે. દરમિયાન સિવિલ હોસ્પિટલમાં દર્દીના ટપોટપ થતા મોતને લઇ સ્મશાનમા જગ્યા નહીં હોવાનું સિક્યુરિટી ગાર્ડ જ દર્દીના સંબંધીને જણાવી રહ્યાં છે. એટલું જ નહીં મૃત્યુ થયાના 3-4 કલાક બાદ મૃતદેહ લેવા આવવા પણ મૃતકના સંબંધીઓને કહેવાતા સ્મશાનમાં પણ જગ્યા નહીં હોવાનું અને આ માટે 3થી 4 કલાકનું વેઇટિંગ હોવાનું સાબિત થઈ રહ્યું છે.