રાજકોટ શહેરના 6 અને જિલ્લાના 3 મળીને કુલ 9 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરાયું
એક દિવસમાં તમામ કેન્દ્રો પર 100 એટલે કે 900 નું વેકસીનેશન કરવામાં આવશે
સિવિલ હોસ્પિટલનાં રેડ ઝોનમાં વેકસીન સેન્ટર ઉભું કરાતા કોર્પોરેશન સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે
WatchGujarat. સમગ્ર દેશ જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો હતો. તે કોરોના રસી બે દિવસ પહેલા જ આવી પહોંચી હતી. ત્યારે આજરોજ PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશભરમાં રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ શહેરના 6 અને જિલ્લાના 3 મળીને કુલ 9 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરાયું છે. આજે એક દિવસમાં તમામ કેન્દ્રો પર 100 એટલે કે 900 નું વેકસીનેશન કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલનાં રેડ ઝોનમાં વેકસીન સેન્ટર ઉભું કરાતા કોર્પોરેશન સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટના કુલ 6 બુથ પરથી વેક્સીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સીનેશન બુથની કામગીરી PM મોદીએ નિહાળી છે. અને અન્ય 5 બુથ પર આ કાર્યક્રમ વિડીયો સ્ક્રીન દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. શહેરમાં પ્રથમ મનપા આરોગ્ય વિભાગના કર્મચારીઓને વેક્સીન આપવામાં આવી રહી છે. જોકે મહાનગરપાલિકા દ્વારા રેડ ઝોન વિસ્તારમાં વેકસીનેશન સેન્ટર ઉભું કરવામાં આવતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. સાથે આરોગ્ય કર્મચારીઓએ આડ અસર માટે વીમો આપવાની માંગ કરી છે.
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સીન આપવાની કામગીરી સવારે 10:30 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. શહેરમાં જે 6 સ્થળોને વેકસીનેશન ચાલી રહ્યું છે, તેમાં પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે કૃષિમંત્રી ફળદુ, પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, વોકહાર્ડ હોસ્પિટલમાં MLA અરવિંદભાઈ રૈયાણી, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને કોઠારીયા આરોગ્ય કેન્દ્ર ખાતે સહકારી ક્ષેત્રના અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મહેતાની ઉપસ્થિતીમાં વેક્સિનેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, થશે. વેક્સીન બુથ પર રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ હાજર છે. જેમાં મેડીકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, યુએચસી એમ. ઓ., કોવિડ એમ.ઓ., સ્ટાફ નર્સ, ડીઈઓ અને એમપીએચ ડબલ્યુ વગેરે સ્ટાફ બુથ પર ઉપસ્થિત છે. તમામ બુથ પર ત્રણ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં પ્રથમ વેઈટિંગ રૂમ, દ્વિતિય વેક્સીનેશન રૂમ અને ત્રીજો ઓબ્ઝર્વેશનરૂમ છે.
રાજકોટ શહેરના 6 અને જિલ્લાના 3 મળીને કુલ 9 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરાયું
એક દિવસમાં તમામ કેન્દ્રો પર 100 એટલે કે 900 નું વેકસીનેશન કરવામાં આવશે
સિવિલ હોસ્પિટલનાં રેડ ઝોનમાં વેકસીન સેન્ટર ઉભું કરાતા કોર્પોરેશન સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે
WatchGujarat. સમગ્ર દેશ જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો હતો. તે કોરોના રસી બે દિવસ પહેલા જ આવી પહોંચી હતી. ત્યારે આજરોજ PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશભરમાં રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ શહેરના 6 અને જિલ્લાના 3 મળીને કુલ 9 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરાયું છે. આજે એક દિવસમાં તમામ કેન્દ્રો પર 100 એટલે કે 900 નું વેકસીનેશન કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલનાં રેડ ઝોનમાં વેકસીન સેન્ટર ઉભું કરાતા કોર્પોરેશન સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટના કુલ 6 બુથ પરથી વેક્સીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સીનેશન બુથની કામગીરી PM મોદીએ નિહાળી છે. અને અન્ય 5 બુથ પર આ કાર્યક્રમ વિડીયો સ્ક્રીન દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. શહેરમાં પ્રથમ મનપા આરોગ્ય વિભાગના કર્મચારીઓને વેક્સીન આપવામાં આવી રહી છે. જોકે મહાનગરપાલિકા દ્વારા રેડ ઝોન વિસ્તારમાં વેકસીનેશન સેન્ટર ઉભું કરવામાં આવતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. સાથે આરોગ્ય કર્મચારીઓએ આડ અસર માટે વીમો આપવાની માંગ કરી છે.
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સીન આપવાની કામગીરી સવારે 10:30 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. શહેરમાં જે 6 સ્થળોને વેકસીનેશન ચાલી રહ્યું છે, તેમાં પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે કૃષિમંત્રી ફળદુ, પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, વોકહાર્ડ હોસ્પિટલમાં MLA અરવિંદભાઈ રૈયાણી, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને કોઠારીયા આરોગ્ય કેન્દ્ર ખાતે સહકારી ક્ષેત્રના અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મહેતાની ઉપસ્થિતીમાં વેક્સિનેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, થશે. વેક્સીન બુથ પર રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ હાજર છે. જેમાં મેડીકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, યુએચસી એમ. ઓ., કોવિડ એમ.ઓ., સ્ટાફ નર્સ, ડીઈઓ અને એમપીએચ ડબલ્યુ વગેરે સ્ટાફ બુથ પર ઉપસ્થિત છે. તમામ બુથ પર ત્રણ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં પ્રથમ વેઈટિંગ રૂમ, દ્વિતિય વેક્સીનેશન રૂમ અને ત્રીજો ઓબ્ઝર્વેશનરૂમ છે.