21 વર્ષની મહિલાને ડિલિવરી બાદ 700 ગ્રામ વજનની પુત્રી સાથે ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ
અધૂરા મહિને જન્મ થયો હોવાના કારણે પુત્રીનું અને ત્યારબાદ તેની માતાનું પણ મૃત્યુ નિપજ્યું
પરિવારજનોએ ડોક્ટર્સની બેદરકારીના આક્ષેપો સાથે મચાવ્યો હોબાળો
WatchGujarat. શહેરની સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે. ત્યારે ગત મોડીરાત્રે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સિવિલ ખાતે સારવાર દરમિયાન માતા-પુત્રીનાં મોત નિપજ્યા હતા. અને આ મામલે ડોક્ટર્સ તેમજ નર્સિંગ સહિત સ્ટાફની ઘોર બેદરકારી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ ભારે હોબાળો કરી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. એટલું જ નહીં પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા સભ્યોની અટકાયત કરવાનો પ્રયાસ થતા પરિવારની મહિલાએ ગાડી ઉપર ઉભા રહી વિરોધ કર્યો હતો. જેને લઈ પોલીસે અટકાયત કરેલા પરિવારનાં સભ્યોને છોડી મુકવાની ફરજ પડી હતી.
જાણવા મળતી વિગત મુજબ, 21 વર્ષની અનિતાબેન સાવનભાઈ વાઘેલા નામની મહિલાને ડિલિવરી બાદ 700 ગ્રામ વજનની પુત્રી સાથે ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અધૂરા મહિને જન્મ થયો હોવાના કારણે પુત્રીનું મૃત્યુ નિપજ્યું હતું. અને ત્યારબાદ તેની માતાનું પણ મૃત્યુ નિપજતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારીનાં આક્ષેપ સાથે પરિવાર તેમજ મૃતક મહિલાનાં સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. અને જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાથે લાશ સ્વીકારવાનો પણ ઇન્કાર કરી દેતા મામલો ગરમાયો હતો.
મૃતક મહિલાનાં નણંદ હીનાબેન વાઘેલાનાં જણાવ્યા મુજબ, તેના ભાભી અને ભત્રીજીને રવિવારે સિવિલમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ અહીં કોઈપણ પ્રકારની યોગ્ય સારવાર આપવામાં આવી નહોતી. બાટલો ચઢી રહ્યો હોય તે પૂરો થઈ જાય તો એ કાઢીને બદલવાનો પણ અહીંના સ્ટાફ પાસે સમય નહોતો. જો કે હું પોતે નર્સિંગ જાણતી હોવાથી શક્ય તેટલું જાતે કરતી હતી. પરંતુ બાદમાં ભાભીનું મોત થયું હોવા છતાં કલાકો સુધી સ્ટાફે તેને ઘેનનું ઇન્જેક્શન અપાયું હોવાનું જ જણાવ્યા રાખ્યું હતું. દરમિયાન મારા કહેવા છતાં મોત નિપજ્યાની વાતનો ઇન્કાર કર્યો હતો. ત્યારે જ્યાં સુધી આ માટેનાં જવાબદારોને સસ્પેન્ડ નહીં કરાય ત્યાં સુધી લાશ સ્વીકારવામાં નહીં આવે.
આ માતા-પુત્રીનાં મોતની જાણ થતાં મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટ્યા હતા. જેના કારણે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. દરમિયાન સિવિલ હોસ્પિટલ પહોંચેલા વાલ્મીકિ સમાજ અને સિવિલ હોસ્પિટલના સ્ટાફ વચ્ચે થઇ ભારે બોલાચાલી પણ થવા પામી હતી. જો કે પોલીસ વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો. બાદમાં પોલીસ દ્વારા દેખાવો કરી રહેલા પરિવાર અને સમાજનાં લોકોની અટકાયત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે સમાજના લોકો ગાડી આડે ઉભા રહી ગયા હતા. જ્યારે એક મહિલાએ ગાડી પર ચડીને ઉગ્ર વિરોધ કરતા જ પોલીસને નમતું જોખવાની ફરજ પડી હતી.
21 વર્ષની મહિલાને ડિલિવરી બાદ 700 ગ્રામ વજનની પુત્રી સાથે ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ
અધૂરા મહિને જન્મ થયો હોવાના કારણે પુત્રીનું અને ત્યારબાદ તેની માતાનું પણ મૃત્યુ નિપજ્યું
પરિવારજનોએ ડોક્ટર્સની બેદરકારીના આક્ષેપો સાથે મચાવ્યો હોબાળો
WatchGujarat. શહેરની સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે. ત્યારે ગત મોડીરાત્રે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સિવિલ ખાતે સારવાર દરમિયાન માતા-પુત્રીનાં મોત નિપજ્યા હતા. અને આ મામલે ડોક્ટર્સ તેમજ નર્સિંગ સહિત સ્ટાફની ઘોર બેદરકારી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ ભારે હોબાળો કરી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. એટલું જ નહીં પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા સભ્યોની અટકાયત કરવાનો પ્રયાસ થતા પરિવારની મહિલાએ ગાડી ઉપર ઉભા રહી વિરોધ કર્યો હતો. જેને લઈ પોલીસે અટકાયત કરેલા પરિવારનાં સભ્યોને છોડી મુકવાની ફરજ પડી હતી.
જાણવા મળતી વિગત મુજબ, 21 વર્ષની અનિતાબેન સાવનભાઈ વાઘેલા નામની મહિલાને ડિલિવરી બાદ 700 ગ્રામ વજનની પુત્રી સાથે ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અધૂરા મહિને જન્મ થયો હોવાના કારણે પુત્રીનું મૃત્યુ નિપજ્યું હતું. અને ત્યારબાદ તેની માતાનું પણ મૃત્યુ નિપજતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારીનાં આક્ષેપ સાથે પરિવાર તેમજ મૃતક મહિલાનાં સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. અને જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાથે લાશ સ્વીકારવાનો પણ ઇન્કાર કરી દેતા મામલો ગરમાયો હતો.
મૃતક મહિલાનાં નણંદ હીનાબેન વાઘેલાનાં જણાવ્યા મુજબ, તેના ભાભી અને ભત્રીજીને રવિવારે સિવિલમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ અહીં કોઈપણ પ્રકારની યોગ્ય સારવાર આપવામાં આવી નહોતી. બાટલો ચઢી રહ્યો હોય તે પૂરો થઈ જાય તો એ કાઢીને બદલવાનો પણ અહીંના સ્ટાફ પાસે સમય નહોતો. જો કે હું પોતે નર્સિંગ જાણતી હોવાથી શક્ય તેટલું જાતે કરતી હતી. પરંતુ બાદમાં ભાભીનું મોત થયું હોવા છતાં કલાકો સુધી સ્ટાફે તેને ઘેનનું ઇન્જેક્શન અપાયું હોવાનું જ જણાવ્યા રાખ્યું હતું. દરમિયાન મારા કહેવા છતાં મોત નિપજ્યાની વાતનો ઇન્કાર કર્યો હતો. ત્યારે જ્યાં સુધી આ માટેનાં જવાબદારોને સસ્પેન્ડ નહીં કરાય ત્યાં સુધી લાશ સ્વીકારવામાં નહીં આવે.
આ માતા-પુત્રીનાં મોતની જાણ થતાં મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટ્યા હતા. જેના કારણે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. દરમિયાન સિવિલ હોસ્પિટલ પહોંચેલા વાલ્મીકિ સમાજ અને સિવિલ હોસ્પિટલના સ્ટાફ વચ્ચે થઇ ભારે બોલાચાલી પણ થવા પામી હતી. જો કે પોલીસ વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો. બાદમાં પોલીસ દ્વારા દેખાવો કરી રહેલા પરિવાર અને સમાજનાં લોકોની અટકાયત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે સમાજના લોકો ગાડી આડે ઉભા રહી ગયા હતા. જ્યારે એક મહિલાએ ગાડી પર ચડીને ઉગ્ર વિરોધ કરતા જ પોલીસને નમતું જોખવાની ફરજ પડી હતી.