મૃતકના કાકીને શ્વાસની બિમારી થતા તેઓને સિવિલ હોસ્પિટલમાં એડમીટ કરાયા હતા
ગુરૂવારે દર્દીનું મૃત્યુ થયુ હોવાની જાણ હોસ્પિલટ તંત્ર દ્વારા કરવામાં આવી
મૃતદેહને પીપીઇ કીટમાં જોતા દેહ કોઇ અન્યનો હોવાનું ધ્યાને આવ્યું હતું
સાચા દર્દીએ , મને કાંઈ નથી હવે ઘરે લઈ જાવ, તેમજ તેનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો
WatchGujarat. સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જીવિત વૃદ્ધાની ડેથ નોટ બનાવી તેના પરિવારને મોતની જાણ કરવામાં આવી હતી. બાદમાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા પીપીઈ કીટ સાથે મૃતકનો ફોટો બતાવવામાં આવ્યો હતો. જેને પગલે પરિવારે તરત જ ઓળખ કરી બોડી કોઈ બીજાનું હોવાનું કહીને તેનો અસ્વીકાર કર્યો હતો. બાદમાં હોસ્પિટલ તંત્રએ તેની ભૂલ સ્વીકારી પરિવારને વૃદ્ધા સાથે વિડીયો કોલથી વાત કરાવી હતી. આમ પરિવારની સમયસૂચકતાથી અન્ય કોઈના અંતિમ સંસ્કાર થઈ જવાની અનહોની ટળી છે.
આ અંગે મૃતકનાં ભત્રીજા વાલાભાઇ વરૂએ જણાવ્યું હતું કે, તેના કાકી રાજીબેન મૈયાભાઇ વરૂને શ્વાસની તકલીફ હોવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને કોરોના વોર્ડમાં એડમિટ કરી દેવાયા હતા. એટલું જ નહીં ગુરુવારે ત્રણ વાગ્યે ફોન આવ્યો હતો કે રાજીબેનનું મૃત્યુ થયુ છે, તેમની ડેડબોડી લઇ જશો. જેને પગલે અમે તરત હોસ્પિટલે પહોંચ્યા હતા. જ્યાં અમને ડેથ સર્ટિફિકેટ બતાવ્યું હતું. તેમજ બોડી પીપીઈ કીટમાં હોવાથી ફોટો બતાવ્યો હતો. જોકે ફોટો જોઈને અમે તરત જ આ અન્ય કોઈ હોવાનું જણાવી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો.
બાદમાં તંત્ર હરકતમાં આવ્યું હતું. અને પાંચ વાગ્યાનાં સુમારે રાજીબેન સાથે વિડીયો કોલમાં વાત કરાવીને ઓળખ કરી હતી. આ દરમિયાન પણ રાજીબેને કહ્યું હતું કે, મને કાંઈ નથી હવે ઘરે લઈ જાવ, તેમજ તેનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. જો કે બાદમાં હોસ્પિટલ તંત્રએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. હાલ તેઓ સલામત છે તે જાણીને અમે ખુશ છીએ. પરંતુ હોસ્પિટલથી તેમના મૃત્યુનો ફોન આવતા અમે સગા-વ્હાલાને જાણ કરી દીધી હતી. તો ઘરે રોકકળ થવાની સાથે સ્મશાનમાં અંતિમવિધિની તૈયારી પણ કરી લેવામાં આવી હતી. ત્યારે મારૂ કહેવું છે કે આ ખરેખર ગંભીર ભૂલ છે. અને આવું અન્ય કોઈની સાથે ન બને તે માટે ખાસ તકેદારી રાખવી જોઈએ.
ગુરૂવારે દર્દીનું મૃત્યુ થયુ હોવાની જાણ હોસ્પિલટ તંત્ર દ્વારા કરવામાં આવી
મૃતદેહને પીપીઇ કીટમાં જોતા દેહ કોઇ અન્યનો હોવાનું ધ્યાને આવ્યું હતું
સાચા દર્દીએ , મને કાંઈ નથી હવે ઘરે લઈ જાવ, તેમજ તેનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો
WatchGujarat. સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જીવિત વૃદ્ધાની ડેથ નોટ બનાવી તેના પરિવારને મોતની જાણ કરવામાં આવી હતી. બાદમાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા પીપીઈ કીટ સાથે મૃતકનો ફોટો બતાવવામાં આવ્યો હતો. જેને પગલે પરિવારે તરત જ ઓળખ કરી બોડી કોઈ બીજાનું હોવાનું કહીને તેનો અસ્વીકાર કર્યો હતો. બાદમાં હોસ્પિટલ તંત્રએ તેની ભૂલ સ્વીકારી પરિવારને વૃદ્ધા સાથે વિડીયો કોલથી વાત કરાવી હતી. આમ પરિવારની સમયસૂચકતાથી અન્ય કોઈના અંતિમ સંસ્કાર થઈ જવાની અનહોની ટળી છે.
આ અંગે મૃતકનાં ભત્રીજા વાલાભાઇ વરૂએ જણાવ્યું હતું કે, તેના કાકી રાજીબેન મૈયાભાઇ વરૂને શ્વાસની તકલીફ હોવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને કોરોના વોર્ડમાં એડમિટ કરી દેવાયા હતા. એટલું જ નહીં ગુરુવારે ત્રણ વાગ્યે ફોન આવ્યો હતો કે રાજીબેનનું મૃત્યુ થયુ છે, તેમની ડેડબોડી લઇ જશો. જેને પગલે અમે તરત હોસ્પિટલે પહોંચ્યા હતા. જ્યાં અમને ડેથ સર્ટિફિકેટ બતાવ્યું હતું. તેમજ બોડી પીપીઈ કીટમાં હોવાથી ફોટો બતાવ્યો હતો. જોકે ફોટો જોઈને અમે તરત જ આ અન્ય કોઈ હોવાનું જણાવી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો.
બાદમાં તંત્ર હરકતમાં આવ્યું હતું. અને પાંચ વાગ્યાનાં સુમારે રાજીબેન સાથે વિડીયો કોલમાં વાત કરાવીને ઓળખ કરી હતી. આ દરમિયાન પણ રાજીબેને કહ્યું હતું કે, મને કાંઈ નથી હવે ઘરે લઈ જાવ, તેમજ તેનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. જો કે બાદમાં હોસ્પિટલ તંત્રએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. હાલ તેઓ સલામત છે તે જાણીને અમે ખુશ છીએ. પરંતુ હોસ્પિટલથી તેમના મૃત્યુનો ફોન આવતા અમે સગા-વ્હાલાને જાણ કરી દીધી હતી. તો ઘરે રોકકળ થવાની સાથે સ્મશાનમાં અંતિમવિધિની તૈયારી પણ કરી લેવામાં આવી હતી. ત્યારે મારૂ કહેવું છે કે આ ખરેખર ગંભીર ભૂલ છે. અને આવું અન્ય કોઈની સાથે ન બને તે માટે ખાસ તકેદારી રાખવી જોઈએ.