ભાજપના ઈશારે કલેક્ટર અને પોલીસતંત્ર આ કાયદાનો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપ
પોલીસે દેખાવો કરી રહેલા કોંગી કાર્યકરોની ટીંગટોળી કરી
WatchGujarat. પૂર્વ કોંગી કોર્પોરેટરનાં પતિ કનકસિંહની લેન્ડ ગ્રેબિંગ કેસમાં ધરપકડ બાદ કોંગ્રેસ આક્રમક બની ગઈ છે. અને ભાજપના ઈશારે કલેક્ટર અને પોલીસતંત્ર આ કાયદાનો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે આજે બહુમાળી ચોક ખાતે કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.તેમજ 'હાય રે ભાજપ હાય હાય' અને હાય રે સીએમ હાય હાય' સહિતનાં સૂત્રોચ્ચાર સાથે ધરણા પ્રદર્શન કરાયું હતું. જો કે પોલીસે દેખાવો કરી રહેલા કોંગી કાર્યકરોની ટીંગટોળી કરી અટકાયત કરી છે.
આ તકે કોંગી આગેવાનોએ જણાવ્યું હતું કે, ભાજપ પોલીસને આગળ કરી ખોટા કેસમાં કોંગ્રેસના નેતાઓને ફંસાવી રહી છે. અને આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. માત્ર ને માત્ર સતા ટકાવી રાખવા માટે ભાજપ દ્વારા આ પ્રકારના ગતકડાં કરવામાં આવી રહ્યા છે. પરંતુ પ્રજા બધું સારી રીતે જાણે છે. તેમજ કનકસિંહને આ ખોટા આરોપથી મુક્ત કરાવવા માટે કાનૂની લડાઈ લડવાની તૈયારી પણ કોંગ્રેસનાં આગેવાનોએ દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના કાર્યકરો આજે બહુમાળી ભવન ખાતે ફરિયાદના વિરોધમાં ધરણાં પર ઉતર્યા હતા અને સરકાર સામે વિરોધ પ્રગટ કર્યો હતો. અને બેનર સાથે ઉગ્ર સુત્રોચ્ચાર પણ કર્યા હતા. પરંતુ વિરોધ કરવા આવેલા કોંગ્રેસનાં નેતાઓ કોરોનાને ભૂલી ગયા હોય તેમ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનો ઉલળીયો કર્યો હતો. જેને લઈને પોલીસે 70 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
More #કોંગ્રેસ #congress #agitation #against #selective #new #land grabbing law #Rajkot news #Watchgujarat
ભાજપના ઈશારે કલેક્ટર અને પોલીસતંત્ર આ કાયદાનો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપ
પોલીસે દેખાવો કરી રહેલા કોંગી કાર્યકરોની ટીંગટોળી કરી
WatchGujarat. પૂર્વ કોંગી કોર્પોરેટરનાં પતિ કનકસિંહની લેન્ડ ગ્રેબિંગ કેસમાં ધરપકડ બાદ કોંગ્રેસ આક્રમક બની ગઈ છે. અને ભાજપના ઈશારે કલેક્ટર અને પોલીસતંત્ર આ કાયદાનો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે આજે બહુમાળી ચોક ખાતે કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.તેમજ 'હાય રે ભાજપ હાય હાય' અને હાય રે સીએમ હાય હાય' સહિતનાં સૂત્રોચ્ચાર સાથે ધરણા પ્રદર્શન કરાયું હતું. જો કે પોલીસે દેખાવો કરી રહેલા કોંગી કાર્યકરોની ટીંગટોળી કરી અટકાયત કરી છે.
આ તકે કોંગી આગેવાનોએ જણાવ્યું હતું કે, ભાજપ પોલીસને આગળ કરી ખોટા કેસમાં કોંગ્રેસના નેતાઓને ફંસાવી રહી છે. અને આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. માત્ર ને માત્ર સતા ટકાવી રાખવા માટે ભાજપ દ્વારા આ પ્રકારના ગતકડાં કરવામાં આવી રહ્યા છે. પરંતુ પ્રજા બધું સારી રીતે જાણે છે. તેમજ કનકસિંહને આ ખોટા આરોપથી મુક્ત કરાવવા માટે કાનૂની લડાઈ લડવાની તૈયારી પણ કોંગ્રેસનાં આગેવાનોએ દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના કાર્યકરો આજે બહુમાળી ભવન ખાતે ફરિયાદના વિરોધમાં ધરણાં પર ઉતર્યા હતા અને સરકાર સામે વિરોધ પ્રગટ કર્યો હતો. અને બેનર સાથે ઉગ્ર સુત્રોચ્ચાર પણ કર્યા હતા. પરંતુ વિરોધ કરવા આવેલા કોંગ્રેસનાં નેતાઓ કોરોનાને ભૂલી ગયા હોય તેમ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનો ઉલળીયો કર્યો હતો. જેને લઈને પોલીસે 70 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
More #કોંગ્રેસ #congress #agitation #against #selective #new #land grabbing law #Rajkot news #Watchgujarat