અગાઉ શંકરસિંહ વાઘેલા કોંગ્રસમાં હતા ત્યારે પણ પક્ષમાં જૂથવાદ થયો હતો
શંકરસિંહ વાઘેલા એ કહ્યું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બોલાવશે તો આવીશ
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવાની વાત કરતા રાજકારણ ગરમાયું છે. તેમના ફરીથી આગમનને લઈને સ્થાનિક દિગ્ગજ નેતા હેમાંગ વસાવડાએ આકરા પ્રહારો કર્યા છે. અને સ્પષ્ટ કહ્યું છે કે, તેમના અગમાંથી કોંગ્રેસમાં જૂથવાદ વકરવાની શક્યતા છે. તેમનાં વિના ગુજરાત કોંગ્રેસ ટનાટન ચાલી રહી છે. તેમના આ નિવેદનથી ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં અલગ જ ચર્ચાનો દોર શરૂ થયો છે.
હેમાંગ વસાવડાએ શંકરસિંહનાં આગમન અંગે કહ્યું હતું કે, બાપુ ઘણા વર્ષો કોંગ્રેસમાં રહ્યા હતા. બાદમાં સાવ અચાનક કોંગ્રેસને અલવિદા કહી, પક્ષપલ્ટો કરી NCPમાં સક્રિય થયા હતા. એટલું જ નહીં ત્યારબાદ તેમણે પોતાનું રાજકીય દળ પણ ઊભું કર્યુ હતું. તેમની આવી કાર્યપદ્ધતિને લઈ કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓમાં નારાજગી છે. ત્યારે જો તેઓ કોંગ્રેસમાં પરત આવશે તો કોંગ્રેસમાં જૂથવાદ વધુ વકરશે તે નિશ્ચિત છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, અગાઉ શંકરસિંહ વાઘેલા કોંગ્રસમાં હતા ત્યારે પણ પક્ષમાં જૂથવાદ થયો હતો. અત્યારની જ વાત કરીએ તો એકતરફ તો તેઓ કહે છે કે, બિનશરતી કોંગ્રેસમાં જોડાવા ઈચ્છું છું. બીજીતરફ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બોલાવશે તો આવીશ જેવી મોટી શરત રાખે છે. મને નથી લાગતું કે સોનિયા કે રાહુલ ગાંધી દ્વારા શંકરસિંહને બોલાવવામાં આવે. તેના વિના હાલ રાજ્યમાં કોંગ્રેસ ટનાટન ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે આજરોજ શંકરસિંહ વાઘેલાએ પોતે કોંગ્રેસમાં જોડાવા ઇચ્છતા હોવાનું સ્વીકાર્યું હતું. સાથે સોનિયા કે રાહુલ ગાંધી બોલાવશે તો કોઈપણ શરત વિના કોંગ્રેસમાં જોડાવા તેઓ તૈયાર હોવાનું પણ કહ્યું હતું. તેમના કોંગ્રેસમાં પુનરાગમન માટે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા મધ્યસ્થી કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અને તેઓ 12 ફેબ્રુઆરીએ કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારે હાલ રાજકોટમાં તેમના આગમન પૂર્વે જ દિગ્ગજ નેતાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
અગાઉ શંકરસિંહ વાઘેલા કોંગ્રસમાં હતા ત્યારે પણ પક્ષમાં જૂથવાદ થયો હતો
શંકરસિંહ વાઘેલા એ કહ્યું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બોલાવશે તો આવીશ
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવાની વાત કરતા રાજકારણ ગરમાયું છે. તેમના ફરીથી આગમનને લઈને સ્થાનિક દિગ્ગજ નેતા હેમાંગ વસાવડાએ આકરા પ્રહારો કર્યા છે. અને સ્પષ્ટ કહ્યું છે કે, તેમના અગમાંથી કોંગ્રેસમાં જૂથવાદ વકરવાની શક્યતા છે. તેમનાં વિના ગુજરાત કોંગ્રેસ ટનાટન ચાલી રહી છે. તેમના આ નિવેદનથી ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં અલગ જ ચર્ચાનો દોર શરૂ થયો છે.
હેમાંગ વસાવડાએ શંકરસિંહનાં આગમન અંગે કહ્યું હતું કે, બાપુ ઘણા વર્ષો કોંગ્રેસમાં રહ્યા હતા. બાદમાં સાવ અચાનક કોંગ્રેસને અલવિદા કહી, પક્ષપલ્ટો કરી NCPમાં સક્રિય થયા હતા. એટલું જ નહીં ત્યારબાદ તેમણે પોતાનું રાજકીય દળ પણ ઊભું કર્યુ હતું. તેમની આવી કાર્યપદ્ધતિને લઈ કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓમાં નારાજગી છે. ત્યારે જો તેઓ કોંગ્રેસમાં પરત આવશે તો કોંગ્રેસમાં જૂથવાદ વધુ વકરશે તે નિશ્ચિત છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, અગાઉ શંકરસિંહ વાઘેલા કોંગ્રસમાં હતા ત્યારે પણ પક્ષમાં જૂથવાદ થયો હતો. અત્યારની જ વાત કરીએ તો એકતરફ તો તેઓ કહે છે કે, બિનશરતી કોંગ્રેસમાં જોડાવા ઈચ્છું છું. બીજીતરફ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બોલાવશે તો આવીશ જેવી મોટી શરત રાખે છે. મને નથી લાગતું કે સોનિયા કે રાહુલ ગાંધી દ્વારા શંકરસિંહને બોલાવવામાં આવે. તેના વિના હાલ રાજ્યમાં કોંગ્રેસ ટનાટન ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે આજરોજ શંકરસિંહ વાઘેલાએ પોતે કોંગ્રેસમાં જોડાવા ઇચ્છતા હોવાનું સ્વીકાર્યું હતું. સાથે સોનિયા કે રાહુલ ગાંધી બોલાવશે તો કોઈપણ શરત વિના કોંગ્રેસમાં જોડાવા તેઓ તૈયાર હોવાનું પણ કહ્યું હતું. તેમના કોંગ્રેસમાં પુનરાગમન માટે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા મધ્યસ્થી કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અને તેઓ 12 ફેબ્રુઆરીએ કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારે હાલ રાજકોટમાં તેમના આગમન પૂર્વે જ દિગ્ગજ નેતાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.