શહેરના 18 વોર્ડનાં 72 જેટલા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી
પ્રક્રિયા માટે ત્રણ નિરીક્ષકોની ટીમ શનિ-રવિ બે દિવસ રાજકોટમાં રહેશે
WatchGujarat. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થવાને ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી છે. જે અંતર્ગત આજરોજ શહેરના 18 વોર્ડનાં 72 જેટલા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા માટે ત્રણ નિરીક્ષકોની ટીમ શનિ-રવિ બે દિવસ રાજકોટમાં રહેશે.
આ સેન્સ પ્રક્રિયા વિશે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપુતે જણાવ્યું હતું કે, ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા આજે અને આવતીકાલે બે દિવસ ચાલશે આ માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. નિરીક્ષકો નરેશ રાવલ, અમીબેન યાજ્ઞિક તેમજ શૈલેષ પરમાર દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી મહિને થનાર મનપાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં દાવેદારી કરવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે. અને બે દિવસમાં અંદાજીત 300 જેટલા કાર્યકરો દાવેદારી નોંધાવે તેવી શક્યતા છે. જેમાં પણ વોર્ડ નંબર 13માં સૌથી વધુ દાવેદારો હોવાની સ્થિતિનું નિર્માણ થયું હોવાનું પણ તેમણે કહ્યું છે.
શહેરના 18 વોર્ડનાં 72 જેટલા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી
પ્રક્રિયા માટે ત્રણ નિરીક્ષકોની ટીમ શનિ-રવિ બે દિવસ રાજકોટમાં રહેશે
WatchGujarat. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થવાને ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી છે. જે અંતર્ગત આજરોજ શહેરના 18 વોર્ડનાં 72 જેટલા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા માટે ત્રણ નિરીક્ષકોની ટીમ શનિ-રવિ બે દિવસ રાજકોટમાં રહેશે.
આ સેન્સ પ્રક્રિયા વિશે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપુતે જણાવ્યું હતું કે, ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા આજે અને આવતીકાલે બે દિવસ ચાલશે આ માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. નિરીક્ષકો નરેશ રાવલ, અમીબેન યાજ્ઞિક તેમજ શૈલેષ પરમાર દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી મહિને થનાર મનપાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં દાવેદારી કરવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે. અને બે દિવસમાં અંદાજીત 300 જેટલા કાર્યકરો દાવેદારી નોંધાવે તેવી શક્યતા છે. જેમાં પણ વોર્ડ નંબર 13માં સૌથી વધુ દાવેદારો હોવાની સ્થિતિનું નિર્માણ થયું હોવાનું પણ તેમણે કહ્યું છે.