પ્રમુખ પોતે જ પક્ષ પલટુ છે. કાર્યકારોનું કાઈ સાંભળતા નથી - રમેશભાઈ તલાટીયા
શહેર પ્રમુખનો એકતરફી નિર્ણય છે. જેની સામે હું પ્રદેશ કક્ષાએ રજુઆત કરીશ - ગજેન્દ્રસિંહ ઝાલા
કારમી હાર બાદ કોંગ્રેસના નિષ્ક્રિય સભ્યો સામે કાર્યવાહી કરાતા આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો
WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. જેને લઈ પાર્ટી વિરોધી કામ કરનારા અને સાવ નિષ્ક્રિય રહેનારાઓને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શહેર કોંગ્રેસનાં પ્રમુખ અશોક ડાંગરે ચૂંટણીમાં નિષ્ક્રિયતા બદલ પૂર્વ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા અને સ્થાનિક અગ્રણી રમેશ તલાટીયાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
એટલું જ નહીં ડાંગરે બંને ઉપર વર્તમાન પત્રોમાં પાર્ટીની છબી ખરડાય તેવા નિવેદન આપ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે આ અંગે પોતાની પ્રતિક્રિયામાં ગજેન્દ્રસિંહ ઝાલાએ સમગ્ર મામલે પ્રદેશમાં અપીલ કરવાની તૈયારી દર્શાવી છે. તો રમેશ તલાટીયાએ તો અશોક ડાંગર પર પ્રહાર કર્યા છે.
https://youtu.be/VDp4aGHSiSc
રમેશભાઈ તલાટીયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલો છું. પરંતુ આ વખતે જે પરિણામો આવ્યા તે ખરેખર આઘાતજનક છે. પ્રમુખે મને સસ્પેન્ડ કરવા માટે નિષ્ક્રિયતાનું કારણ બતાવ્યું છે. પણ હકીકતમાં પ્રમુખ પોતે જ પક્ષ પલટુ છે. કાર્યકારોનું કાઈ સાંભળતા નથી. પહેલા 34 સીટ હતી જે પૈકી હાલ માત્ર 4 સીટ બચી છે. પ્રમુખ ઉમેદવારોનાં મેન્ડેટ પણ સમયસર પહોંચાડી શક્યા નહોતા. પ્રમુખ પોતે 5 વખત હારી ચુક્યા છે. અને હજુસુધી શહેર કોંગ્રેસની બોડી પણ ડીકલેર કરી નથી. ત્યારે આ બાબતે પ્રદેશ કક્ષાએ રજુઆત કરીશ.
બીજીતરફ ગજેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે ગજુભાએ કહ્યું હતું કે, સોશિયલ મીડિયાનાં માધ્યમથી શહેર પ્રમુખ દ્વારા મને સસ્પેન્ડ કરાયો હોવાની નોટિસ મોકલવામાં આવી છે. જેમાં મેં વર્તમાન પત્રોમાં પક્ષ વિરોધી નિવેદન આપ્યા હોવાનું અને ચૂંટણીમાં નિષ્ક્રિય રહ્યો હોવાનું જણાવાયું છે. આ શહેર પ્રમુખનો એકતરફી નિર્ણય છે. જેની સામે હું પ્રદેશ કક્ષાએ રજુઆત કરીશ.
મેં મોદી અને રૂપાણીનાં બેનરો આચારસંહિતા દરમિયાન દૂર કરાવવા સહિતની અનેક કામગીરી કરી છે. ઉપરાંત વોર્ડ નંબર 14માં કોઠારીયા કોલોનીનાં ત્રણ બુથની જવાબદારી મને સોંપવામાં આવી હતી. જે પણ મેં પુરી કરી છે. છતાં કોંગ્રેસનાં બંધારણ વિરુદ્ધ મારી સામે એકતરફી કાર્યવાહી કરાઈ છે જે યોગ્ય નથી. અને આ માટે હું પ્રદેશમાં રજુઆત કરીશ આટલું કહેતા તેઓ ગળગળા થઈ ગયા હતા.
પ્રમુખ પોતે જ પક્ષ પલટુ છે. કાર્યકારોનું કાઈ સાંભળતા નથી - રમેશભાઈ તલાટીયા
શહેર પ્રમુખનો એકતરફી નિર્ણય છે. જેની સામે હું પ્રદેશ કક્ષાએ રજુઆત કરીશ - ગજેન્દ્રસિંહ ઝાલા
કારમી હાર બાદ કોંગ્રેસના નિષ્ક્રિય સભ્યો સામે કાર્યવાહી કરાતા આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો
WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. જેને લઈ પાર્ટી વિરોધી કામ કરનારા અને સાવ નિષ્ક્રિય રહેનારાઓને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શહેર કોંગ્રેસનાં પ્રમુખ અશોક ડાંગરે ચૂંટણીમાં નિષ્ક્રિયતા બદલ પૂર્વ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા અને સ્થાનિક અગ્રણી રમેશ તલાટીયાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
એટલું જ નહીં ડાંગરે બંને ઉપર વર્તમાન પત્રોમાં પાર્ટીની છબી ખરડાય તેવા નિવેદન આપ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે આ અંગે પોતાની પ્રતિક્રિયામાં ગજેન્દ્રસિંહ ઝાલાએ સમગ્ર મામલે પ્રદેશમાં અપીલ કરવાની તૈયારી દર્શાવી છે. તો રમેશ તલાટીયાએ તો અશોક ડાંગર પર પ્રહાર કર્યા છે.
રમેશભાઈ તલાટીયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલો છું. પરંતુ આ વખતે જે પરિણામો આવ્યા તે ખરેખર આઘાતજનક છે. પ્રમુખે મને સસ્પેન્ડ કરવા માટે નિષ્ક્રિયતાનું કારણ બતાવ્યું છે. પણ હકીકતમાં પ્રમુખ પોતે જ પક્ષ પલટુ છે. કાર્યકારોનું કાઈ સાંભળતા નથી. પહેલા 34 સીટ હતી જે પૈકી હાલ માત્ર 4 સીટ બચી છે. પ્રમુખ ઉમેદવારોનાં મેન્ડેટ પણ સમયસર પહોંચાડી શક્યા નહોતા. પ્રમુખ પોતે 5 વખત હારી ચુક્યા છે. અને હજુસુધી શહેર કોંગ્રેસની બોડી પણ ડીકલેર કરી નથી. ત્યારે આ બાબતે પ્રદેશ કક્ષાએ રજુઆત કરીશ.
બીજીતરફ ગજેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે ગજુભાએ કહ્યું હતું કે, સોશિયલ મીડિયાનાં માધ્યમથી શહેર પ્રમુખ દ્વારા મને સસ્પેન્ડ કરાયો હોવાની નોટિસ મોકલવામાં આવી છે. જેમાં મેં વર્તમાન પત્રોમાં પક્ષ વિરોધી નિવેદન આપ્યા હોવાનું અને ચૂંટણીમાં નિષ્ક્રિય રહ્યો હોવાનું જણાવાયું છે. આ શહેર પ્રમુખનો એકતરફી નિર્ણય છે. જેની સામે હું પ્રદેશ કક્ષાએ રજુઆત કરીશ.
મેં મોદી અને રૂપાણીનાં બેનરો આચારસંહિતા દરમિયાન દૂર કરાવવા સહિતની અનેક કામગીરી કરી છે. ઉપરાંત વોર્ડ નંબર 14માં કોઠારીયા કોલોનીનાં ત્રણ બુથની જવાબદારી મને સોંપવામાં આવી હતી. જે પણ મેં પુરી કરી છે. છતાં કોંગ્રેસનાં બંધારણ વિરુદ્ધ મારી સામે એકતરફી કાર્યવાહી કરાઈ છે જે યોગ્ય નથી. અને આ માટે હું પ્રદેશમાં રજુઆત કરીશ આટલું કહેતા તેઓ ગળગળા થઈ ગયા હતા.