ઝોન વાઈઝ 24 સ્થળ ઉપર 45 વર્ષથી વધુ વય ધરાવતા વ્યકિત તેમજ બીજો ડોઝ આપવાની કામગીરી ચાલુ
પ્રથમ ડોઝ લેવાનો હોય અને 45 વર્ષથી વધુ વય ધરાવતા લોકો મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતેથી ટોકન લઈ ડોઝ લઈ રહ્યા છે
અમૂક કેન્દ્રો ઉપર તંત્રના અમૂક ભ્રષ્ટ કર્મચારી દ્વારા અગાઉથી લાગતા વળગતાઓને ટોકન આપી દેવાતા વહેલી સવારે વેક્સિનેશન માટે આવતા લોકોને ટોકન મળતા નથી
WatchGujarat. શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 48 કેન્દ્રો પર 18 વર્ષથી 44 વર્ષના લોકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. જેના માટે રજિસ્ટ્રેશન કરાવવાનો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ, 45 વર્ષથી વધુ વય ધરાવતા તેમજ બીજો ડોઝ લેનાર વ્યકિત ડાયરેકટ આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ વેક્સિનેશન કરાવી શકે છે. આરોગ્ય કેન્દ્ર ખાતે હાલમાં ટોકન વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. તેમાં પણ મોટુ કૌભાંડ થતું હોવાનું બહાર આવ્યું છે. જે મુજબ, કેન્દ્રના કર્મચારીઓ દ્વારા લાગતા-વળગતાઓને અગાઉથી ટોકન આપી દેવામાં આવતા હોવાનું બહાર આવતાં આ બનાવની તપાસ કરવાનાં આદેશો મેયર અને સ્ટે. ચેરમેન દ્વારા અપાયા છે.
રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા ઝોન વાઈઝ 24 સ્થળ ઉપર 45 વર્ષથી વધુ વય ધરાવતા વ્યકિત તેમજ બીજો ડોઝ લેવાનો હોય તે તમામ વ્યકિતઓને કોરોના વિરોધી રસીનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. 28 દિવસ થઈ ગયા હોય તેવી કોઈપણ વ્યકિત બીજો ડોઝ લઈ શકે છે. જેમાં આજથી 42 દિવસનો નિયમ સરકાર દ્વારા અમલી બનાવ્યો છે. છતાં પ્રથમ ડોઝ લેવાનો હોય અને 45 વર્ષથી વધુ વય ધરાવતા લોકો મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતેથી ટોકન લઈ ડોઝ લઈ રહ્યા છે.
જો કે તેમાં છેલ્લા પાંચ દિવસથી લોકોને ધકકા થઈ રહ્યા હોઈ તપાસ કરતા અમૂક સ્લમ વિસ્તારોમાં રૂા.100ના ભાવથી ટોકન વેંચવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અમૂક કેન્દ્રો ઉપર તંત્રના અમૂક ભ્રષ્ટ કર્મચારી દ્વારા અગાઉથી લાગતા વળગતાઓને ટોકન આપી દેવાતા વહેલી સવારે વેક્સિનેશન માટે આવતા લોકોને ટોકન મળતા નથી. આ બાબતે મેયર, મ્યુનિ. કમિશ્નર અને સ્ટે. ચેરમેન સુધી ફરિયાદ પહોંચી છે. જેને પગલે તપાસના અદેશો અપાયા છે. અને ટોકનમાં મનપાનો લોગો મુકવા સહિતના વિકલ્પો વિચારણા હેઠળ છે.
ઝોન વાઈઝ 24 સ્થળ ઉપર 45 વર્ષથી વધુ વય ધરાવતા વ્યકિત તેમજ બીજો ડોઝ આપવાની કામગીરી ચાલુ
પ્રથમ ડોઝ લેવાનો હોય અને 45 વર્ષથી વધુ વય ધરાવતા લોકો મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતેથી ટોકન લઈ ડોઝ લઈ રહ્યા છે
અમૂક કેન્દ્રો ઉપર તંત્રના અમૂક ભ્રષ્ટ કર્મચારી દ્વારા અગાઉથી લાગતા વળગતાઓને ટોકન આપી દેવાતા વહેલી સવારે વેક્સિનેશન માટે આવતા લોકોને ટોકન મળતા નથી
WatchGujarat. શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 48 કેન્દ્રો પર 18 વર્ષથી 44 વર્ષના લોકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. જેના માટે રજિસ્ટ્રેશન કરાવવાનો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ, 45 વર્ષથી વધુ વય ધરાવતા તેમજ બીજો ડોઝ લેનાર વ્યકિત ડાયરેકટ આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ વેક્સિનેશન કરાવી શકે છે. આરોગ્ય કેન્દ્ર ખાતે હાલમાં ટોકન વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. તેમાં પણ મોટુ કૌભાંડ થતું હોવાનું બહાર આવ્યું છે. જે મુજબ, કેન્દ્રના કર્મચારીઓ દ્વારા લાગતા-વળગતાઓને અગાઉથી ટોકન આપી દેવામાં આવતા હોવાનું બહાર આવતાં આ બનાવની તપાસ કરવાનાં આદેશો મેયર અને સ્ટે. ચેરમેન દ્વારા અપાયા છે.
રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા ઝોન વાઈઝ 24 સ્થળ ઉપર 45 વર્ષથી વધુ વય ધરાવતા વ્યકિત તેમજ બીજો ડોઝ લેવાનો હોય તે તમામ વ્યકિતઓને કોરોના વિરોધી રસીનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. 28 દિવસ થઈ ગયા હોય તેવી કોઈપણ વ્યકિત બીજો ડોઝ લઈ શકે છે. જેમાં આજથી 42 દિવસનો નિયમ સરકાર દ્વારા અમલી બનાવ્યો છે. છતાં પ્રથમ ડોઝ લેવાનો હોય અને 45 વર્ષથી વધુ વય ધરાવતા લોકો મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતેથી ટોકન લઈ ડોઝ લઈ રહ્યા છે.
જો કે તેમાં છેલ્લા પાંચ દિવસથી લોકોને ધકકા થઈ રહ્યા હોઈ તપાસ કરતા અમૂક સ્લમ વિસ્તારોમાં રૂા.100ના ભાવથી ટોકન વેંચવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અમૂક કેન્દ્રો ઉપર તંત્રના અમૂક ભ્રષ્ટ કર્મચારી દ્વારા અગાઉથી લાગતા વળગતાઓને ટોકન આપી દેવાતા વહેલી સવારે વેક્સિનેશન માટે આવતા લોકોને ટોકન મળતા નથી. આ બાબતે મેયર, મ્યુનિ. કમિશ્નર અને સ્ટે. ચેરમેન સુધી ફરિયાદ પહોંચી છે. જેને પગલે તપાસના અદેશો અપાયા છે. અને ટોકનમાં મનપાનો લોગો મુકવા સહિતના વિકલ્પો વિચારણા હેઠળ છે.