ગઈકાલે સવારે 8 થી આજે સવારે 8 વાગ્યા સુધીમાં જ વધુ 24 લોકોના મોત નોંધાતા લોકો ધ્રુજી ઉઠ્યા
રાજકોટ, ભુજ તેમજ રાજકોટ રિજિયોનલ સેન્ટરમાં પ્રત્યેક સ્થળે બે મળીને 90 લીટર ક્ષમતાના કુલ 6 ILR (આઇસ લાઇન ફ્રિઝર) સ્મોલ ફ્રિઝર ફાળવવામાં આવ્યા
ટેસ્ટિંગ બુથ ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા મહાનગરપાલિકાનું તંત્ર પણ ગોટાળે ચડ્યું
WatchGujart. શહેર અને જિલ્લામાં કોરોનાનો આતંક વધી રહ્યો છે. અને છેલ્લા 24 કલાકમાં દર કલાકે એક ભોગ લેવાતા 24 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેને લઈ હવે આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. જોકે આ પૈકીનાં કોવિડ ડેથ કેટલા છે તેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટીનો રહેશે. પરંતુ સતત વધી રહેલા મૃત્યુઆંકને લઈ લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. અને ટેસ્ટિંગ બુથ ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા મહાનગરપાલિકાનું તંત્ર પણ ગોટાળે ચડ્યું છે. બીજી તરફ વેકસીનેશન માટે રાજ્ય સરકાર દ્વારા 6 ILR સ્મોલ ફ્રીઝર ફાળવાયા છે.
સત્તાવાર આંકડાઓ મુજબ શહેર - જિલ્લામાં આજે પણ કોરોનાનો કહેર જોવા મળ્યો હતો. અને ગઈકાલે સવારે 8 થી આજે સવારે 8 વાગ્યા સુધીમાં જ વધુ 24 લોકોના મોત નોંધાતા લોકો ધ્રુજી ઉઠ્યા છે. સાથે સાથે પોઝીટીવ કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. અને કુલ કેસની સંખ્યા 20607 પર પહોંચી છે. હાલ અલગ અલગ હોસ્પિટલમાં કુલ 1632 દર્દી સારવાર હેઠળ છે. અને આજે સવાર સુધીમાં શહેરની સરકારી - ખાનગી હોસ્પિટલોમાં 393 બેડ ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.
રાજકોટ રિજિયોનલ વેક્સિનેશન સેન્ટર હેઠળ જિલ્લા અને કોર્પોરેશનને નવા 29 ILR અને 5 ડીપ ફ્રિઝરની ફાળવણી કરવામાં આવી છે. જેમાં રાજકોટ, ભુજ તેમજ રાજકોટ રિજિયોનલ સેન્ટરમાં પ્રત્યેક સ્થળે બે મળીને 90 લીટર ક્ષમતાના કુલ 6 ILR (આઇસ લાઇન ફ્રિઝર) સ્મોલ ફ્રિઝર ફાળવવામાં આવ્યા છે. જ્યારે રાજકોટમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, મોરબીમાં 3, પોરબંદરમાં 2, જામનગરમાં 3, જામનગર કોર્પોરેશનમાં 3, દેવભૂમિ દ્વારકા સેન્ટરને 3, ભુજ સેન્ટરને 5 સહિત 225 લિટરની ક્ષમતાના કુલ 23 આઇસ લાઇન ફ્રિઝર મશીનની ફાળવણી કરવામાં આવી હોવાનું વિભાગીય નિયામક ડો. રૂપાલીબેન મહેતાએ જણાવ્યું છે.
ગઈકાલે સવારે 8 થી આજે સવારે 8 વાગ્યા સુધીમાં જ વધુ 24 લોકોના મોત નોંધાતા લોકો ધ્રુજી ઉઠ્યા
રાજકોટ, ભુજ તેમજ રાજકોટ રિજિયોનલ સેન્ટરમાં પ્રત્યેક સ્થળે બે મળીને 90 લીટર ક્ષમતાના કુલ 6 ILR (આઇસ લાઇન ફ્રિઝર) સ્મોલ ફ્રિઝર ફાળવવામાં આવ્યા
ટેસ્ટિંગ બુથ ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા મહાનગરપાલિકાનું તંત્ર પણ ગોટાળે ચડ્યું
WatchGujart. શહેર અને જિલ્લામાં કોરોનાનો આતંક વધી રહ્યો છે. અને છેલ્લા 24 કલાકમાં દર કલાકે એક ભોગ લેવાતા 24 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેને લઈ હવે આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. જોકે આ પૈકીનાં કોવિડ ડેથ કેટલા છે તેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટીનો રહેશે. પરંતુ સતત વધી રહેલા મૃત્યુઆંકને લઈ લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. અને ટેસ્ટિંગ બુથ ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા મહાનગરપાલિકાનું તંત્ર પણ ગોટાળે ચડ્યું છે. બીજી તરફ વેકસીનેશન માટે રાજ્ય સરકાર દ્વારા 6 ILR સ્મોલ ફ્રીઝર ફાળવાયા છે.
સત્તાવાર આંકડાઓ મુજબ શહેર - જિલ્લામાં આજે પણ કોરોનાનો કહેર જોવા મળ્યો હતો. અને ગઈકાલે સવારે 8 થી આજે સવારે 8 વાગ્યા સુધીમાં જ વધુ 24 લોકોના મોત નોંધાતા લોકો ધ્રુજી ઉઠ્યા છે. સાથે સાથે પોઝીટીવ કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. અને કુલ કેસની સંખ્યા 20607 પર પહોંચી છે. હાલ અલગ અલગ હોસ્પિટલમાં કુલ 1632 દર્દી સારવાર હેઠળ છે. અને આજે સવાર સુધીમાં શહેરની સરકારી - ખાનગી હોસ્પિટલોમાં 393 બેડ ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.
રાજકોટ રિજિયોનલ વેક્સિનેશન સેન્ટર હેઠળ જિલ્લા અને કોર્પોરેશનને નવા 29 ILR અને 5 ડીપ ફ્રિઝરની ફાળવણી કરવામાં આવી છે. જેમાં રાજકોટ, ભુજ તેમજ રાજકોટ રિજિયોનલ સેન્ટરમાં પ્રત્યેક સ્થળે બે મળીને 90 લીટર ક્ષમતાના કુલ 6 ILR (આઇસ લાઇન ફ્રિઝર) સ્મોલ ફ્રિઝર ફાળવવામાં આવ્યા છે. જ્યારે રાજકોટમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, મોરબીમાં 3, પોરબંદરમાં 2, જામનગરમાં 3, જામનગર કોર્પોરેશનમાં 3, દેવભૂમિ દ્વારકા સેન્ટરને 3, ભુજ સેન્ટરને 5 સહિત 225 લિટરની ક્ષમતાના કુલ 23 આઇસ લાઇન ફ્રિઝર મશીનની ફાળવણી કરવામાં આવી હોવાનું વિભાગીય નિયામક ડો. રૂપાલીબેન મહેતાએ જણાવ્યું છે.