ગઈકાલે થયેલા 12 દર્દીઓનાં મોત પૈકી માત્ર બે દર્દીઓ જ કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું
દૈનિક સંક્રમિતોની સંખ્યા પણ 200નો આંકડો પાર કરી જતા આરોગ્ય વિભાગ અને જિલ્લા કલેક્ટર તંત્રમાં પણ દોડધામ મચી
સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ અને વેકસીનેશનની ઝડપ વધારવામાં આવી
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોનાએ માઝા મૂકી હોય તેમ પોઝીટીવ કેસ અને મૃતકોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેમાં હવે માસુમ બાળકોમાં પણ કોરોના જોવા મળી રહ્યો છે. હાલમાં 14 માસનાં માસુમ સહિત 3 બાળકો પણ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. બીજીતરફ છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 24 દર્દીનાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જોકે આ પૈકી કેટલા કોવિડ ડેથ છે તેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. ગઈકાલે થયેલા 12 દર્દીઓનાં મોત પૈકી માત્ર બે દર્દીઓ જ કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું છે. જો કે સ્મશાનમાં બે દિવસમાં 14 દર્દીઓની કોવિડ ગાઈડલાઇન અનુસાર અંતિમવિધિ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
રાજકોટનાં રામનાથ પરા સ્મશાનનાં આંકડાઓની વાત કરીએ તો જાન્યુઆરીમાં 70 લોકો, ફેબ્રુઆરી માસમાં 31 લોકો અને માર્ચમાં 86 લોકોની અંતિમવિધિ કોરોના ગાઈડલાઇન મુજબ કરાઈ છે. છેલ્લા પાંચ દિવસનાં આંકડાઓ મુજબ તારીખ 29 માર્ચનાં 8, તારીખ 30 માર્ચના 8, તારીખ 31 માર્ચે 13 ઉપરાંત તારીખ 1 એપ્રિલનાં 8 અને 2 એપ્રિલનાં રોજ 6 દર્દીઓ મળીને માત્ર 2 દિવસમાં 14 દર્દીઓની અંતિમ વિધિ કોરોના ગાઈડલાઇન મુજબ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.3નાં સવારનાં 8 વાગ્યા થી તા.4નાં સવારનાં 8 વાગ્યા સુધીનાં છેલ્લા 24 કલાકમાં શહેર-જીલ્લાના 13 દર્દીઓએ કોરોનાની સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. તો બીજીતરફ દૈનિક સંક્રમિતોની સંખ્યા પણ 200નો આંકડો પાર કરી જતા આરોગ્ય વિભાગ અને જિલ્લા કલેક્ટર તંત્રમાં પણ દોડધામ મચી છે. તેમજ આ સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ અને વેકસીનેશનની ઝડપ વધારવામાં આવી છે. જો કે હાલ શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં 670 બેડ ખાલી હોવાનું પણ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. પરંતુ સતત વધતા સંક્રમણથી લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.
શહેરમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 19534 ઉપર પહોંચી છે. જે પૈકી હાલ જુદી-જુદી હોસ્પિટલોમાં 1143 દર્દી સારવાર હેઠળ છે. શુક્રવારે 122 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રસીકરણની વાત કરીએ તો રાજકોટ શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો ખાતે પ્રથમ તબક્કો, પ્રથમ તબક્કાના બીજા ડોઝ, 60 વર્ષથી મોટી ઉંમરના અને 45થી 59 વર્ષના કોમોર્બીડ ધરાવતા લોકો સહિત કુલ 13084 નાગરિકોએ વેકસીન લઈ ચુક્યા છે. નવા કેસ વધતા શહેરની અમુક ખાનગી હોસ્પિટલો દ્વારા નવા દર્દીઓને ના પાડવામાં આવી રહી છે. જ્યારે સિવિલમાં 590ની ક્ષમતા સામે 350 દર્દીઓ દાખલ થઈ ચૂક્યા છે. જિલ્લામાં કુલ કેસનો આંક 27 હજારને પાર થતા હાલ 1398 એક્ટિવ કેસ હોવાનું સામે આવ્યું છે.
ગઈકાલે થયેલા 12 દર્દીઓનાં મોત પૈકી માત્ર બે દર્દીઓ જ કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું
દૈનિક સંક્રમિતોની સંખ્યા પણ 200નો આંકડો પાર કરી જતા આરોગ્ય વિભાગ અને જિલ્લા કલેક્ટર તંત્રમાં પણ દોડધામ મચી
સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ અને વેકસીનેશનની ઝડપ વધારવામાં આવી
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોનાએ માઝા મૂકી હોય તેમ પોઝીટીવ કેસ અને મૃતકોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેમાં હવે માસુમ બાળકોમાં પણ કોરોના જોવા મળી રહ્યો છે. હાલમાં 14 માસનાં માસુમ સહિત 3 બાળકો પણ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. બીજીતરફ છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 24 દર્દીનાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જોકે આ પૈકી કેટલા કોવિડ ડેથ છે તેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. ગઈકાલે થયેલા 12 દર્દીઓનાં મોત પૈકી માત્ર બે દર્દીઓ જ કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું છે. જો કે સ્મશાનમાં બે દિવસમાં 14 દર્દીઓની કોવિડ ગાઈડલાઇન અનુસાર અંતિમવિધિ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
રાજકોટનાં રામનાથ પરા સ્મશાનનાં આંકડાઓની વાત કરીએ તો જાન્યુઆરીમાં 70 લોકો, ફેબ્રુઆરી માસમાં 31 લોકો અને માર્ચમાં 86 લોકોની અંતિમવિધિ કોરોના ગાઈડલાઇન મુજબ કરાઈ છે. છેલ્લા પાંચ દિવસનાં આંકડાઓ મુજબ તારીખ 29 માર્ચનાં 8, તારીખ 30 માર્ચના 8, તારીખ 31 માર્ચે 13 ઉપરાંત તારીખ 1 એપ્રિલનાં 8 અને 2 એપ્રિલનાં રોજ 6 દર્દીઓ મળીને માત્ર 2 દિવસમાં 14 દર્દીઓની અંતિમ વિધિ કોરોના ગાઈડલાઇન મુજબ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.3નાં સવારનાં 8 વાગ્યા થી તા.4નાં સવારનાં 8 વાગ્યા સુધીનાં છેલ્લા 24 કલાકમાં શહેર-જીલ્લાના 13 દર્દીઓએ કોરોનાની સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. તો બીજીતરફ દૈનિક સંક્રમિતોની સંખ્યા પણ 200નો આંકડો પાર કરી જતા આરોગ્ય વિભાગ અને જિલ્લા કલેક્ટર તંત્રમાં પણ દોડધામ મચી છે. તેમજ આ સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ અને વેકસીનેશનની ઝડપ વધારવામાં આવી છે. જો કે હાલ શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં 670 બેડ ખાલી હોવાનું પણ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. પરંતુ સતત વધતા સંક્રમણથી લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.
શહેરમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 19534 ઉપર પહોંચી છે. જે પૈકી હાલ જુદી-જુદી હોસ્પિટલોમાં 1143 દર્દી સારવાર હેઠળ છે. શુક્રવારે 122 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રસીકરણની વાત કરીએ તો રાજકોટ શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો ખાતે પ્રથમ તબક્કો, પ્રથમ તબક્કાના બીજા ડોઝ, 60 વર્ષથી મોટી ઉંમરના અને 45થી 59 વર્ષના કોમોર્બીડ ધરાવતા લોકો સહિત કુલ 13084 નાગરિકોએ વેકસીન લઈ ચુક્યા છે. નવા કેસ વધતા શહેરની અમુક ખાનગી હોસ્પિટલો દ્વારા નવા દર્દીઓને ના પાડવામાં આવી રહી છે. જ્યારે સિવિલમાં 590ની ક્ષમતા સામે 350 દર્દીઓ દાખલ થઈ ચૂક્યા છે. જિલ્લામાં કુલ કેસનો આંક 27 હજારને પાર થતા હાલ 1398 એક્ટિવ કેસ હોવાનું સામે આવ્યું છે.