22 તારીખે 39, 23 તારીખે 44 અને 24 તારીખે 59 નવા પોઝીટીવ કેસો સામે આવ્યા
ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે અવરજવર કરતા લોકોની સંખ્યા ઘણી મોટી છે.
તકેદારીનાં ભાગરૂપે ટેસ્ટિંગ વધારીને 1800 કો-ઓર્ડીનેટરને વોર્ડ વાઇઝ જવાબદારી સોંપવામાં આવી છે.
WatchGuajrat. શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી બાદ છેલ્લા થોડા દિવસોથી કોરોનાનાં કેસો વધી રહ્યા છે. એટલું જ નહીં છેલ્લા બે દિવસમાં પોઝીટીવ કેસની સંખ્યા વધીને ડબલ થઇ જતા તંત્ર હરકતમાં આવ્યું છે. અને શહેરનાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ એરપોર્ટ સહિતનાં સ્થળોએ ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જો કે રિકવરી રેઈટ ઘણો સારો હોવાથી મોટી મુશ્કેલીની સંભાવના ઓછી હોવાનું મ્યુ. કમિશ્નરે જણાવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, 21 ફેબ્રુઆરી એટલે કે, ચૂંટણીનાં દિવસે માત્ર 16 પોઝીટીવ કેસ નોંધાયા હતા. પરંતુ ત્યારબાદ 22 તારીખે 39, 23 તારીખે 44 અને 24 તારીખે 59 નવા પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જેને પગલે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. અને તકેદારીના ભાગ રૂપે બસ પોર્ટ , એરપોર્ટ અને રેલવે સ્ટેશન ખાતે ખાસ બહારથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ ડોર ટુ ડોર ટેસ્ટિંગ માટે 1800 કો-ઓર્ડીનેટર કાર્યરત કરાયા છે.
આ અંગે મ્યુ. કમિશ્નરે મીડિયાને જાણકારી આપતા કહ્યું હતું કે, ચૂંટણી દરમિયાન સભાઓ તેમજ અન્ય સ્થળોએ વધુ લોકો એકઠા થતાં હતા. અને મહારાષ્ટ્ર ખાતે કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે અવરજવર કરતા લોકોની સંખ્યા ઘણી મોટી છે. જેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે રિકવરી રેટ વધુ હોવાથી ચિંતાનું કોઈ કારણ નથી. પરંતુ, તકેદારીનાં ભાગરૂપે ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. અને 1800 કો-ઓર્ડીનેટરને વોર્ડ વાઇઝ જવાબદારી સોંપવામાં આવી છે. તો બહારથી આવતા મુસાફરો માટે રેલવે અને બસ સ્ટેશન ઉપરાંત એરપોર્ટ પર પણ ચેકીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
22 તારીખે 39, 23 તારીખે 44 અને 24 તારીખે 59 નવા પોઝીટીવ કેસો સામે આવ્યા
ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે અવરજવર કરતા લોકોની સંખ્યા ઘણી મોટી છે.
તકેદારીનાં ભાગરૂપે ટેસ્ટિંગ વધારીને 1800 કો-ઓર્ડીનેટરને વોર્ડ વાઇઝ જવાબદારી સોંપવામાં આવી છે.
WatchGuajrat. શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી બાદ છેલ્લા થોડા દિવસોથી કોરોનાનાં કેસો વધી રહ્યા છે. એટલું જ નહીં છેલ્લા બે દિવસમાં પોઝીટીવ કેસની સંખ્યા વધીને ડબલ થઇ જતા તંત્ર હરકતમાં આવ્યું છે. અને શહેરનાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ એરપોર્ટ સહિતનાં સ્થળોએ ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જો કે રિકવરી રેઈટ ઘણો સારો હોવાથી મોટી મુશ્કેલીની સંભાવના ઓછી હોવાનું મ્યુ. કમિશ્નરે જણાવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, 21 ફેબ્રુઆરી એટલે કે, ચૂંટણીનાં દિવસે માત્ર 16 પોઝીટીવ કેસ નોંધાયા હતા. પરંતુ ત્યારબાદ 22 તારીખે 39, 23 તારીખે 44 અને 24 તારીખે 59 નવા પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જેને પગલે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. અને તકેદારીના ભાગ રૂપે બસ પોર્ટ , એરપોર્ટ અને રેલવે સ્ટેશન ખાતે ખાસ બહારથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ ડોર ટુ ડોર ટેસ્ટિંગ માટે 1800 કો-ઓર્ડીનેટર કાર્યરત કરાયા છે.
આ અંગે મ્યુ. કમિશ્નરે મીડિયાને જાણકારી આપતા કહ્યું હતું કે, ચૂંટણી દરમિયાન સભાઓ તેમજ અન્ય સ્થળોએ વધુ લોકો એકઠા થતાં હતા. અને મહારાષ્ટ્ર ખાતે કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે અવરજવર કરતા લોકોની સંખ્યા ઘણી મોટી છે. જેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે રિકવરી રેટ વધુ હોવાથી ચિંતાનું કોઈ કારણ નથી. પરંતુ, તકેદારીનાં ભાગરૂપે ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. અને 1800 કો-ઓર્ડીનેટરને વોર્ડ વાઇઝ જવાબદારી સોંપવામાં આવી છે. તો બહારથી આવતા મુસાફરો માટે રેલવે અને બસ સ્ટેશન ઉપરાંત એરપોર્ટ પર પણ ચેકીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.