કલેક્ટર તંત્ર - દરેક સ્મશાનમાં તલાટીઓને ફરજ સોંપાશે જેઓ હોસ્પિટલ અને સ્મશાન સંચાલકો વચ્ચે સંકલનની કામગીરી કરશે
રાજકોટ મનપા - કોવિડ માટે નક્કી કરાયેલા સ્મશાન ગૃહોમાં જરૂર પડતું તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે
કોવિડ પ્રોટોકોલ હેઠળ આવતા દરેક મૃતદેહ માટે 300 રૂપિયાની સહાય અપાશે
Watchgujarat. છેલ્લા 24 કલાકમાં 55 પોઝિટિવ દર્દીઓ સહિત છેલ્લા ચાર દિવસમાં 201 દર્દીઓના મોત નિપજ્યા છે. જો કે મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. પરંતુ દર્દીઓના સ્વજનોને મૃતદેહ જલ્દી મળે તે માટે માત્ર ચાર સ્મશાન કોવિડ માટે ફાળવાયા છે. સાથે જ આ માટે ખાસ કમિટી પણ બનાવાઈ છે અને એક દિવસમાં અંતિમવિધિ થાય તેના પર ધ્યાન અપાશે. આ માટે કલેક્ટર અને મનપા તેમજ સિવિલ હોસ્પિટલ તંત્રને જુદી-જુદી જવાબદારી સોંપી દેવામાં આવી છે.
તબીબી અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદીના જણાવ્યા અનુસાર મેન પાવર માટે ભરતી કરાઈ છે અને મૃત્યુ બાદ શબને બોડીમાં પેક કરવાનું તેમજ વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવાશે અને તુરંત જ શબને સ્મશાન ગૃહ પહોંચાડાશે આ માટે ખાસ કમિટી બનાવાઈ છે. જે સિવિલ હોસ્પિટલ તેમજ સમરસમાં પણ કામ કરશે. 7 કલાકની અંદર અંતિમવિધિ થઈ જાય તેવો તંત્રનો પૂરો પ્રયાસ રહેશે આ માટે દરેક વિભાગ સહયોગ આપી રહ્યું છે.
કલેક્ટર તંત્ર - દરેક સ્મશાનમાં તલાટીઓને ફરજ સોંપાશે જેઓ હોસ્પિટલ અને સ્મશાન સંચાલકો વચ્ચે સંકલનની કામગીરી કરશે. સેનેટરી ઈન્સ્પેક્ટરની જરૂરિયાતને પહોંચી વળવા નગરપાલિકા વિસ્તારમાંથી એસ.આઈ.ની બદલી રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સ્મશાનમાં હંગામી ધોરણે કરવામાં આવી છે. અંતિમવિધિ માટે જરૂર પડ્યે સિવિલ અને મનપા વચ્ચે સંકલન કરશે. તેમજ અંતિમવિધિ માટે પરિવારને સ્વજનનો મૃતદેહ ન મળે તો તે અંગેની વ્યવસ્થા કરી આપશે.
લાકડાં તેમજ ઈલેક્ટ્રિક બંનેમાં એકસાથે અંતિમવિધિ થતા હોસ્પિટલમાંથી ઝડપથી વેઈટિંગ ક્લિયર કરવા પ્રયત્ન
રાજકોટ મનપા - કોવિડ માટે નક્કી કરાયેલા સ્મશાન ગૃહોમાં જરૂર પડતું તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. આ ચારેય સ્મશાનો જેમ કે રામનાથપરા, બાપુનગર, મોટામવા અને મવડી સ્મશાન ગૃહમાં માત્ર કોવિડના જ મૃતદેહો આવશે જેથી લાકડાં તેમજ ઈલેક્ટ્રિક બંનેમાં એકસાથે અંતિમવિધિ થતા હોસ્પિટલમાંથી ઝડપથી વેઈટિંગ ક્લિયર કરવા પ્રયત્ન કરાશે. વધુમાં વધુ કર્મચારીઓની ભરતી કરી કામગીરી સોંપાશે અને જે તે દિવસે જ અંતિમસંસ્કાર થાય તે જવાબદારી અપાઈ છે.
મનપા વિસ્તાર બહારના સ્મશાનોને પ્રતિ મૃતદેહ રૂ. 1550ની સહાય
રામનાથપરા, બાપુનગર, મવડી અને મોટામવા સ્મશાનને માત્ર કોવિડ માટે જાહેર કરાતા નોન કોવિડ માટે વધુ સ્મશાનની જરૂર પડે તેમ હોવાથી મનપા વિસ્તારની બહારના સ્મશાન સંચાલકોને તૈયાર કરાયા છે. મનપા હેઠળ આવતા ચારેય સ્મશાનને દર મહિને જે ગ્રાન્ટ અપાય છે તે ઉપરાંત કોવિડ પ્રોટોકોલ હેઠળ આવતા દરેક મૃતદેહ માટે 300 રૂપિયાની સહાય કરશે જેથી સ્મશાનનો નિભાવ થાય. જ્યારે એવા સ્મશાનો કે જે મનપા સંચાલિત નથી અને વિસ્તારમાં આવતા નથી જેમ કે નવાગામ અને તેઓ શહેરી વિસ્તારની નોન કોવિડ અંતિમવિધિ કરવા તૈયાર થયા છે તેમને પ્રત્યેક અંતિમવિધિ દીઠ 1550 રૂપિયાની સહાય અપાશે જેથી સ્મશાનોનો નિભાવ થાય.
કોવિડ પ્રોટોકોલ માટે સ્મશાનગૃહ
રામનાથપરા સ્મશાનગૃહ
મવડી સ્મશાનગૃહ
મોટામવા સ્મશાનગૃહ
બાપુનગર, 80 ફૂટ રોડ સ્મશાનગૃહ
અન્ય માટેના સ્મશાનગૃહો
રૈયાગામ સાર્વજનિક સ્મશાનગૃહ, રૈયા ગામ પાસે
પોપટપરા કૈલાસધામ સ્મશાનગૃહ, રોણકી રોડ
મુક્તિધામ નવા થોરાળા મેઈન રોડ
રુખડિયા સ્મશાનગૃહ, નકલંકપરા, રૂખડિયા હનુમાન મંદિર પાછળ
સ્મશાનગૃહ, વાવડી ગામ, વાવડી ગામના ગેટની અંદર, વોર્ડ ઓફિસ પાછળ
સ્મશાનગૃહ, કોઠારિયા ગામ, રણુજા મંદિર રોડ
સિંધી સમાજ સ્મશાનગૃહ, રામનાથપરા-16
રામનગર ગામ સ્મશાનગૃહ, કણકોટ પાસે
નવાગામ સ્મશાનગૃહ, અમદાવાદ હાઈવે
કલેક્ટર તંત્ર - દરેક સ્મશાનમાં તલાટીઓને ફરજ સોંપાશે જેઓ હોસ્પિટલ અને સ્મશાન સંચાલકો વચ્ચે સંકલનની કામગીરી કરશે
રાજકોટ મનપા - કોવિડ માટે નક્કી કરાયેલા સ્મશાન ગૃહોમાં જરૂર પડતું તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે
કોવિડ પ્રોટોકોલ હેઠળ આવતા દરેક મૃતદેહ માટે 300 રૂપિયાની સહાય અપાશે
Watchgujarat. છેલ્લા 24 કલાકમાં 55 પોઝિટિવ દર્દીઓ સહિત છેલ્લા ચાર દિવસમાં 201 દર્દીઓના મોત નિપજ્યા છે. જો કે મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. પરંતુ દર્દીઓના સ્વજનોને મૃતદેહ જલ્દી મળે તે માટે માત્ર ચાર સ્મશાન કોવિડ માટે ફાળવાયા છે. સાથે જ આ માટે ખાસ કમિટી પણ બનાવાઈ છે અને એક દિવસમાં અંતિમવિધિ થાય તેના પર ધ્યાન અપાશે. આ માટે કલેક્ટર અને મનપા તેમજ સિવિલ હોસ્પિટલ તંત્રને જુદી-જુદી જવાબદારી સોંપી દેવામાં આવી છે.
તબીબી અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદીના જણાવ્યા અનુસાર મેન પાવર માટે ભરતી કરાઈ છે અને મૃત્યુ બાદ શબને બોડીમાં પેક કરવાનું તેમજ વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવાશે અને તુરંત જ શબને સ્મશાન ગૃહ પહોંચાડાશે આ માટે ખાસ કમિટી બનાવાઈ છે. જે સિવિલ હોસ્પિટલ તેમજ સમરસમાં પણ કામ કરશે. 7 કલાકની અંદર અંતિમવિધિ થઈ જાય તેવો તંત્રનો પૂરો પ્રયાસ રહેશે આ માટે દરેક વિભાગ સહયોગ આપી રહ્યું છે.
કલેક્ટર તંત્ર - દરેક સ્મશાનમાં તલાટીઓને ફરજ સોંપાશે જેઓ હોસ્પિટલ અને સ્મશાન સંચાલકો વચ્ચે સંકલનની કામગીરી કરશે. સેનેટરી ઈન્સ્પેક્ટરની જરૂરિયાતને પહોંચી વળવા નગરપાલિકા વિસ્તારમાંથી એસ.આઈ.ની બદલી રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સ્મશાનમાં હંગામી ધોરણે કરવામાં આવી છે. અંતિમવિધિ માટે જરૂર પડ્યે સિવિલ અને મનપા વચ્ચે સંકલન કરશે. તેમજ અંતિમવિધિ માટે પરિવારને સ્વજનનો મૃતદેહ ન મળે તો તે અંગેની વ્યવસ્થા કરી આપશે.
લાકડાં તેમજ ઈલેક્ટ્રિક બંનેમાં એકસાથે અંતિમવિધિ થતા હોસ્પિટલમાંથી ઝડપથી વેઈટિંગ ક્લિયર કરવા પ્રયત્ન
રાજકોટ મનપા - કોવિડ માટે નક્કી કરાયેલા સ્મશાન ગૃહોમાં જરૂર પડતું તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. આ ચારેય સ્મશાનો જેમ કે રામનાથપરા, બાપુનગર, મોટામવા અને મવડી સ્મશાન ગૃહમાં માત્ર કોવિડના જ મૃતદેહો આવશે જેથી લાકડાં તેમજ ઈલેક્ટ્રિક બંનેમાં એકસાથે અંતિમવિધિ થતા હોસ્પિટલમાંથી ઝડપથી વેઈટિંગ ક્લિયર કરવા પ્રયત્ન કરાશે. વધુમાં વધુ કર્મચારીઓની ભરતી કરી કામગીરી સોંપાશે અને જે તે દિવસે જ અંતિમસંસ્કાર થાય તે જવાબદારી અપાઈ છે.
મનપા વિસ્તાર બહારના સ્મશાનોને પ્રતિ મૃતદેહ રૂ. 1550ની સહાય
રામનાથપરા, બાપુનગર, મવડી અને મોટામવા સ્મશાનને માત્ર કોવિડ માટે જાહેર કરાતા નોન કોવિડ માટે વધુ સ્મશાનની જરૂર પડે તેમ હોવાથી મનપા વિસ્તારની બહારના સ્મશાન સંચાલકોને તૈયાર કરાયા છે. મનપા હેઠળ આવતા ચારેય સ્મશાનને દર મહિને જે ગ્રાન્ટ અપાય છે તે ઉપરાંત કોવિડ પ્રોટોકોલ હેઠળ આવતા દરેક મૃતદેહ માટે 300 રૂપિયાની સહાય કરશે જેથી સ્મશાનનો નિભાવ થાય. જ્યારે એવા સ્મશાનો કે જે મનપા સંચાલિત નથી અને વિસ્તારમાં આવતા નથી જેમ કે નવાગામ અને તેઓ શહેરી વિસ્તારની નોન કોવિડ અંતિમવિધિ કરવા તૈયાર થયા છે તેમને પ્રત્યેક અંતિમવિધિ દીઠ 1550 રૂપિયાની સહાય અપાશે જેથી સ્મશાનોનો નિભાવ થાય.
કોવિડ પ્રોટોકોલ માટે સ્મશાનગૃહ
રામનાથપરા સ્મશાનગૃહ
મવડી સ્મશાનગૃહ
મોટામવા સ્મશાનગૃહ
બાપુનગર, 80 ફૂટ રોડ સ્મશાનગૃહ
અન્ય માટેના સ્મશાનગૃહો
રૈયાગામ સાર્વજનિક સ્મશાનગૃહ, રૈયા ગામ પાસે
પોપટપરા કૈલાસધામ સ્મશાનગૃહ, રોણકી રોડ
મુક્તિધામ નવા થોરાળા મેઈન રોડ
રુખડિયા સ્મશાનગૃહ, નકલંકપરા, રૂખડિયા હનુમાન મંદિર પાછળ
સ્મશાનગૃહ, વાવડી ગામ, વાવડી ગામના ગેટની અંદર, વોર્ડ ઓફિસ પાછળ