કુકી ભરવાડ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે
માલાવીયાનગર પોલીસ અને ડી-સ્ટાફની ટીમો બાતમીનાં આધારે વોન્ટેડ કુકી ભરવાડને ઝડપી લેવા પુનિતનગર વિસ્તાર પહોંચી
આરોપીને ઝડપી લીધા બાદ તેની ગેંગનાં અન્ય લોકોએ પોલીસ પર હુમલો કર્યો
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ કામગીરી કરનાર પોલીસકર્મીઓ માટે રૂ. 3000નું ઇનામ જાહેર કર્યું
WatchGujarat. ગુનેગારોમાંથી પોલીસનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે આરોપીને ઝડપી લેવા પહોંચેલી પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. જેમાં બે દિવસ પૂર્વે થયેલી મારામારીનાં ગુનામાં ફરાર શખ્સ કુકી ભરવાડને ઝડપી લેવા માલવીયાનગર પોલીસ અને ડી-સ્ટાફનો કાફલો પુનિતનગર વિસ્તાર પહોંચ્યો હતો. દરમિયાન આરોપી તેમજ તેના મળતીયાઓએ સોડા બોટલો વડે હુમલો કરતા પીએસઆઇ સહિત ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જો કે લોહીલુહાણ હાલતમાં પણ આ જાંબાઝ જવાનોએ કુકી ભરવાડ સહિત 5ને ઝડપી લીધા છે. અને ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને સારવારમાં ખસેડાયા છે. આ ઘટનાનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા નાસી છૂટેલા 10 જેટલા શખ્સોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
આ અંગે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ, માલાવીયાનગર પોલીસ અને ડી-સ્ટાફની ટીમો ચોક્કસ બાતમીનાં આધારે વોન્ટેડ કુકી ભરવાડને ઝડપી લેવા પુનિતનગર વિસ્તારમાં ગઈ હતી. ત્યાં આરોપીને ઝડપી લીધા બાદ તેની ગેંગનાં અન્ય લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. અને આરોપીએ પણ નાસી જવા પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે હુમલાખોરોનો સામનો કરી કુકી ભરવાડ સહિત 5 શખ્સોને ઝડપી લીધા હતા.
આરોપીઓ દ્વારા થયેલા આ હુમલામાં માલવીયાનગર પોલીસ મથકના PSI વી.કે.ઝાલાને માથામાં 4 ટાંકા આવ્યા છે. જ્યારે કોન્સ્ટેબલ મશરીભાઈ અને રોહિતને પણ ઇજા થતાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ પર હુમલાની આ ઘટનામાં 15 જેટલા લોકોની ઓળખ થઈ ચૂકી છે. અને આ પૈકી 5 કરતા વધુને લોહીલુહાણ હોવા છતાં પોલીસે ઝડપી લીધા છે. જ્યારે બાકીનાને ઝડપી લેવા અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આરોપી અંગે જાણકારી આપતા તેમણે કહ્યું હતું કે, કુકી ભરવાડ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. તાજેતરમાં તેના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી થઈ હતી. જોકે બાદમાં તેણે ફરિયાદી સાથે સમાધાન કર્યું હતું. તેમજ ગઈકાલે ફરીથી ફરિયાદીને માર મારતા આ અંગેની ફરિયાદ માલવીયાનગર ખાતે નોંધાઇ હતી. જેની તપાસ દરમિયાન આરોપીને ઝડપી લેવા પોલીસ પહોંચી હતી ત્યારે જ આ હુમલો કરાયો હતો. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ કામગીરી કરનાર પોલીસકર્મીઓ માટે રૂ. 3000નું ઇનામ જાહેર કર્યું છે.
કુકી ભરવાડ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે
માલાવીયાનગર પોલીસ અને ડી-સ્ટાફની ટીમો બાતમીનાં આધારે વોન્ટેડ કુકી ભરવાડને ઝડપી લેવા પુનિતનગર વિસ્તાર પહોંચી
આરોપીને ઝડપી લીધા બાદ તેની ગેંગનાં અન્ય લોકોએ પોલીસ પર હુમલો કર્યો
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ કામગીરી કરનાર પોલીસકર્મીઓ માટે રૂ. 3000નું ઇનામ જાહેર કર્યું
WatchGujarat. ગુનેગારોમાંથી પોલીસનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે આરોપીને ઝડપી લેવા પહોંચેલી પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. જેમાં બે દિવસ પૂર્વે થયેલી મારામારીનાં ગુનામાં ફરાર શખ્સ કુકી ભરવાડને ઝડપી લેવા માલવીયાનગર પોલીસ અને ડી-સ્ટાફનો કાફલો પુનિતનગર વિસ્તાર પહોંચ્યો હતો. દરમિયાન આરોપી તેમજ તેના મળતીયાઓએ સોડા બોટલો વડે હુમલો કરતા પીએસઆઇ સહિત ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જો કે લોહીલુહાણ હાલતમાં પણ આ જાંબાઝ જવાનોએ કુકી ભરવાડ સહિત 5ને ઝડપી લીધા છે. અને ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને સારવારમાં ખસેડાયા છે. આ ઘટનાનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા નાસી છૂટેલા 10 જેટલા શખ્સોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
આ અંગે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ, માલાવીયાનગર પોલીસ અને ડી-સ્ટાફની ટીમો ચોક્કસ બાતમીનાં આધારે વોન્ટેડ કુકી ભરવાડને ઝડપી લેવા પુનિતનગર વિસ્તારમાં ગઈ હતી. ત્યાં આરોપીને ઝડપી લીધા બાદ તેની ગેંગનાં અન્ય લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. અને આરોપીએ પણ નાસી જવા પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે હુમલાખોરોનો સામનો કરી કુકી ભરવાડ સહિત 5 શખ્સોને ઝડપી લીધા હતા.
આરોપીઓ દ્વારા થયેલા આ હુમલામાં માલવીયાનગર પોલીસ મથકના PSI વી.કે.ઝાલાને માથામાં 4 ટાંકા આવ્યા છે. જ્યારે કોન્સ્ટેબલ મશરીભાઈ અને રોહિતને પણ ઇજા થતાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ પર હુમલાની આ ઘટનામાં 15 જેટલા લોકોની ઓળખ થઈ ચૂકી છે. અને આ પૈકી 5 કરતા વધુને લોહીલુહાણ હોવા છતાં પોલીસે ઝડપી લીધા છે. જ્યારે બાકીનાને ઝડપી લેવા અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આરોપી અંગે જાણકારી આપતા તેમણે કહ્યું હતું કે, કુકી ભરવાડ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. તાજેતરમાં તેના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી થઈ હતી. જોકે બાદમાં તેણે ફરિયાદી સાથે સમાધાન કર્યું હતું. તેમજ ગઈકાલે ફરીથી ફરિયાદીને માર મારતા આ અંગેની ફરિયાદ માલવીયાનગર ખાતે નોંધાઇ હતી. જેની તપાસ દરમિયાન આરોપીને ઝડપી લેવા પોલીસ પહોંચી હતી ત્યારે જ આ હુમલો કરાયો હતો. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ કામગીરી કરનાર પોલીસકર્મીઓ માટે રૂ. 3000નું ઇનામ જાહેર કર્યું છે.