રેસકોર્સ રોડ, રૈયા રોડ અને એરપોર્ટ રોડની સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવાનો હુકમ કરાયો
રાજકોટમાં પહેલી વખત અશાંત ધારો લાગુ કરવામાં આવતા લોકોમાં અનેક સવાલો ઉઠ્યા
WatchGujarat. શહેરની જુદી-જુદી 28 સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. મહેસુલ વિભાગે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં રેસકોર્સ રોડ, રૈયા રોડ અને એરપોર્ટ રોડની સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવાનો હુકમ કરાયો છે. જેને પગલે સંપત્તિ વેચવા માટે કલેક્ટરની મંજુરી જરૂરી બની રહેશે. મનપા ચૂંટણી પહેલા શાંત રાજકોટમાં પહેલી વખત અશાંત ધારો લાગુ કરવામાં આવતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મહેસુલ વિભાગે બહાર પડેલા આ જાહેરનામા મુજબ રાજકોટની 28 સોસાયટીમાં હવે મિલકત વેચાણ માટે કલેક્ટરની મંજૂરી જરૂરી બની રહેશે. જેમાં છોટુનગર, નિરંજન સોસાયટી, નહેરૂનગર, સિંચાઈનગર સોસા., ઇન્કમટેક્સ સોસાયટી, અવંતિકા પાર્ક, રેસકોર્ષ પાર્ક સહિતની 28 સોસાયટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને 13 જાન્યુઆરી 2021 થી 12 જાન્યુઆરી 2026 સુધી આ જાહેરનામાનો અમલ કરવાનો રહેશે. છતાં સ્થાવર મિલકતનું હસ્તાંતરણ જિલ્લા કલેકટરની મંજૂરી વગર કરવામાં આવશે તો તે રદ્દબાતલ ગણાશે.
જાણો અશાંત ધારો શું છે અને તેની જોગવાઈ
ડિસ્ટર્બ એરીયા એકટ હેઠળ જિલ્લા કલેકટર શહેર અથવા શહેરના કોઇ બનાવને આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે. ધારો લાગુ થવાથી સંબંધીત વિસ્તારોની સ્થાવર મિલ્કતોનું ખરીદ- વેચાણ કલેક્ટર ની મંજૂરી વિના થઈ શકતું નથી. કલેક્ટર વેચાણ કર્તા અને ખરીદનાર દ્વારા થયેલી અરજી પર હસ્તાક્ષર કરશે પછી જ આવી ડીલ થઈ શકે છે. અરજીમાં વેચનારે એક સોગંદનામું જોડવું પડે છે, જેમાં તેઓ આ મિલ્કત સ્વતંત્રતાથી વેચતા હોવાનો ઉલ્લેખ કરવો જરૂરી હોય છે.
રાજકોટમાં પહેલી વખત અશાંત ધારો લાગુ કરવામાં આવતા લોકોમાં અનેક સવાલો ઉઠ્યા
WatchGujarat. શહેરની જુદી-જુદી 28 સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. મહેસુલ વિભાગે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં રેસકોર્સ રોડ, રૈયા રોડ અને એરપોર્ટ રોડની સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવાનો હુકમ કરાયો છે. જેને પગલે સંપત્તિ વેચવા માટે કલેક્ટરની મંજુરી જરૂરી બની રહેશે. મનપા ચૂંટણી પહેલા શાંત રાજકોટમાં પહેલી વખત અશાંત ધારો લાગુ કરવામાં આવતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મહેસુલ વિભાગે બહાર પડેલા આ જાહેરનામા મુજબ રાજકોટની 28 સોસાયટીમાં હવે મિલકત વેચાણ માટે કલેક્ટરની મંજૂરી જરૂરી બની રહેશે. જેમાં છોટુનગર, નિરંજન સોસાયટી, નહેરૂનગર, સિંચાઈનગર સોસા., ઇન્કમટેક્સ સોસાયટી, અવંતિકા પાર્ક, રેસકોર્ષ પાર્ક સહિતની 28 સોસાયટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને 13 જાન્યુઆરી 2021 થી 12 જાન્યુઆરી 2026 સુધી આ જાહેરનામાનો અમલ કરવાનો રહેશે. છતાં સ્થાવર મિલકતનું હસ્તાંતરણ જિલ્લા કલેકટરની મંજૂરી વગર કરવામાં આવશે તો તે રદ્દબાતલ ગણાશે.
જાણો અશાંત ધારો શું છે અને તેની જોગવાઈ
ડિસ્ટર્બ એરીયા એકટ હેઠળ જિલ્લા કલેકટર શહેર અથવા શહેરના કોઇ બનાવને આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે. ધારો લાગુ થવાથી સંબંધીત વિસ્તારોની સ્થાવર મિલ્કતોનું ખરીદ- વેચાણ કલેક્ટર ની મંજૂરી વિના થઈ શકતું નથી. કલેક્ટર વેચાણ કર્તા અને ખરીદનાર દ્વારા થયેલી અરજી પર હસ્તાક્ષર કરશે પછી જ આવી ડીલ થઈ શકે છે. અરજીમાં વેચનારે એક સોગંદનામું જોડવું પડે છે, જેમાં તેઓ આ મિલ્કત સ્વતંત્રતાથી વેચતા હોવાનો ઉલ્લેખ કરવો જરૂરી હોય છે.