નકલી માલ અમદાવાદથી મગાવી વેચવાનો ગોરખધંધો
ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કટીંગ ફેટરેશન લીમીટેડના બ્રાંચ મેનેજર ધવલ શૈલેષ કુમાર પરીખ પાસેથી અમુલ કે ગોપાલ બ્રાન્ડનાં નામે નકલી ઘીના વેંચાણની બાતમી મળી
પોલીસે ઝડપાયેલા તમામ આરોપી સામે છેતરપીંડી, ટ્રેડમાર્ક એક્ટ ભંગ, વિશ્વાસઘાત, જનઆરોગ્ય સાથે ચેડાં, તેમજ ખોરાકમાં ભેળસેળ અટકાવવાના કાયદા હેઠળ ગુનો નોંધ્યો
WatchGujarat. પોલીસે અમુલ-ગોપાલ બ્રાન્ડના નકલી ઘી વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તેમજ પોલીસ ચોકીની બાજુનાં અમુલ પાર્લરમાં ગ્રાહકોને પૂરા ભાવે નકલી ઘી ધાબડી જન આરોગ્ય સાથે ચેડાં કરનાર બે સંચાલક, માલ સપ્લાય કરનાર સેલ્સમેન સહિત નકલી માલ અમદાવાદથી મગાવી વેચવાનો ગોરખધંધો કરતા ચાર સગા ભાઇ ભત્રીજા સહિત 7 આરોપીને ઝડપી લીધા છે. જ્યારે અન્ય 1ની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી નકલી ઘી ઉપરાંત ડુપ્લીકેટ તંબાકુ, શેમ્પુ, સાબુ મળી કુલ રૂપિયા 1,55,200 નો મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે. કૌભાંડના સૂત્રધાર અમદાવાદના શખ્સની શોધખોળ પોલીસે હાથ ધરી છે.
પોલીસનાં જણાવ્યા મુજબ, ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કટીંગ ફેટરેશન લીમીટેડના બ્રાંચ મેનેજર ધવલ શૈલેષ કુમાર પરીખ પાસેથી અમુલ કે ગોપાલ બ્રાન્ડનાં નામે નકલી ઘીના વેંચાણની બાતમી મળી હતી. જેને આધારે આધારે યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં રાજવી મિલ્ક નામના પાર્લરમાં નકલી ઘીનું વેંચાણ થતું હોવાના પૂરાવા મળતા ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાને લેખિત અરજી આપવામાં આવી હતી. આ અરજીના આધારે ડીસીપીની સૂચનાથી યુનિવર્સિટી પોલીસે રાજવી મિલ્કમાં દરોડો પાડી અમુલ પ્યોર ઘી લખેલા 500 એમ.એલ.ના 10 પાઉચ અને ગોપાલ ઘી લખેલા 500 એમ.એલ.ના 8 ડુપ્લીકેટ પાઉચ કબ્જે કર્યા હતા.
સાથે પાર્લર સંચાલક અર્ચન હસમુખભાઇ કપુરીયાને અટકાયતમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં અર્ચને ઉપરોક્ત નકલી માલ જયદેવ વજાભાઇ છૈયા આપી જતો હોવાની કેફિયત આપતા જયદેવ છૈયાને પણ ઉઠાવી લેવાયો હતો. જયદેવ છૈયાની કબુલાત મુજબ તેણે આ સામાન પેરેડાઇઝ નજીકનાં પદમાવતી અમુલ પાર્લરમાંથી લીધો હોવાનું કહ્યું હતું. પોલીસે પદમાવતી પાર્લરમાં દરોડો પાડી અમુલ પ્યોર ઘીના ભેળસેળ યુક્ત 16 પાઉચ અને ગોપાલ ઘીના 7 પાઉચ મળી આવતા મુદ્દામાલ કબજે કરી સંચાલક નિલેશ જીતેન્દ્રભાઇ બોરડીયાને અટકાયતમાં લઇ લીધો હતો.
નિલેશ બોરડીયાએ ઉપરોક્ત માલ રૈયા સ્મશાન સામે શંકર ભગવાનના મંદિર પાછળ શ્રી રામ હાઉસ ઓફ એજન્સીના નામે ગોડાઉન ધરાવતા દેવ ઉમેશભાઇ ગણાત્રા પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું. જેને લઈ નિલેશને સાથે રાખી ગણાત્રાના ગોડાઉનમાં છાપો મારી અમુલ ઘીના 50 અને ગોપાલ ઘીના 20 પાઉચ કબ્જે લીધા હતા. ઉપરાંત મિરાજ તંબાકુ, બાગબાન 138 તંબાકુના ટીન, ડવનાં શેમ્પુના પાઉચ, સર્ફ એક્સેલ સાબુ, પાઉડરનો નકલી જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. અને રૂ. 1,55,200ની કિંમતનો તમામ મુદ્દામાલ કબ્જે લીધો હતો. સાથે ઉમેશભાઈ, દેવભાઈ નિલેશભાઈ અને દેવભાઈ ગણાત્રાને ઝડપી લીધા છે.
ઉપરોક્ત તમામ ડુપ્લીકેટ માલ અમદાવાદનો પ્રકાશ કાનાબાર નામનો શખ્સ બ્રાન્ડેડ ચીજ-વસ્તુઓનો હલકી ગુણવત્તાવાળો ભેળસેળ યુક્ત માલ અસલ જેવા પેકિંગમાં પેક કરી રાજકોટના ગણાત્રા બંધુઓને સપ્લાય કરતો હોવાનું ખુલ્યું છે. જેને લઈને પોલીસે ઝડપાયેલા તમામ આરોપી સામે છેતરપીંડી, ટ્રેડમાર્ક એક્ટ ભંગ, વિશ્વાસઘાત, જનઆરોગ્ય સાથે ચેડાં, તેમજ ખોરાકમાં ભેળસેળ અટકાવવાના કાયદા હેઠળ ગુનો નોંધી સૂત્રધાર પ્રકાશ કાનાબારની શોધખોળ શરૂ કરી છે.
આ રીતે કૌભાંડનો થયો પર્દાફાશ
અમૂલ, ગોપાલ બ્રાન્ડની દૂધની વિવિધ બનાવટોના નામે ભેળસેળયુક્ત માલ ન વેચાય તે માટે ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લીમીડેટના અધિકારીઓ નજર રાખતા હોય છે. બ્રાંચ મેનેજર ધવલ પરીખ અને તેમની ટીમે પંચાયત ચોકમાં રાજવી પાર્લરમાંથી અમુલ અને ગોપાલ ઘીના ચાર, ચાર પાઉચ ખરીદીને રાકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની ક્વોલીટી ડિપાર્ટમેન્ટમાં ચેક કરાવતા ઘી અને પેકીંગ પાઉચની ગુણવત્તા હલકી હોવાનું ખુલ્યું હતું. તેમજ બેચ નંબર ચેક કરતા તેમની કંપનીમાં આવા બેચ ન઼બરનો કોઇ માલ પેક નહીં થયાનું સ્પષ્ટ થતાં ડીસીપી જાડેજાન લેખિત ફરિયાદ પછી પોલીસને સાથે રાખીને કામગીરી કરી હતી.
નકલી માલ અમદાવાદથી મગાવી વેચવાનો ગોરખધંધો
ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કટીંગ ફેટરેશન લીમીટેડના બ્રાંચ મેનેજર ધવલ શૈલેષ કુમાર પરીખ પાસેથી અમુલ કે ગોપાલ બ્રાન્ડનાં નામે નકલી ઘીના વેંચાણની બાતમી મળી
પોલીસે ઝડપાયેલા તમામ આરોપી સામે છેતરપીંડી, ટ્રેડમાર્ક એક્ટ ભંગ, વિશ્વાસઘાત, જનઆરોગ્ય સાથે ચેડાં, તેમજ ખોરાકમાં ભેળસેળ અટકાવવાના કાયદા હેઠળ ગુનો નોંધ્યો
WatchGujarat. પોલીસે અમુલ-ગોપાલ બ્રાન્ડના નકલી ઘી વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તેમજ પોલીસ ચોકીની બાજુનાં અમુલ પાર્લરમાં ગ્રાહકોને પૂરા ભાવે નકલી ઘી ધાબડી જન આરોગ્ય સાથે ચેડાં કરનાર બે સંચાલક, માલ સપ્લાય કરનાર સેલ્સમેન સહિત નકલી માલ અમદાવાદથી મગાવી વેચવાનો ગોરખધંધો કરતા ચાર સગા ભાઇ ભત્રીજા સહિત 7 આરોપીને ઝડપી લીધા છે. જ્યારે અન્ય 1ની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી નકલી ઘી ઉપરાંત ડુપ્લીકેટ તંબાકુ, શેમ્પુ, સાબુ મળી કુલ રૂપિયા 1,55,200 નો મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે. કૌભાંડના સૂત્રધાર અમદાવાદના શખ્સની શોધખોળ પોલીસે હાથ ધરી છે.
પોલીસનાં જણાવ્યા મુજબ, ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કટીંગ ફેટરેશન લીમીટેડના બ્રાંચ મેનેજર ધવલ શૈલેષ કુમાર પરીખ પાસેથી અમુલ કે ગોપાલ બ્રાન્ડનાં નામે નકલી ઘીના વેંચાણની બાતમી મળી હતી. જેને આધારે આધારે યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં રાજવી મિલ્ક નામના પાર્લરમાં નકલી ઘીનું વેંચાણ થતું હોવાના પૂરાવા મળતા ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાને લેખિત અરજી આપવામાં આવી હતી. આ અરજીના આધારે ડીસીપીની સૂચનાથી યુનિવર્સિટી પોલીસે રાજવી મિલ્કમાં દરોડો પાડી અમુલ પ્યોર ઘી લખેલા 500 એમ.એલ.ના 10 પાઉચ અને ગોપાલ ઘી લખેલા 500 એમ.એલ.ના 8 ડુપ્લીકેટ પાઉચ કબ્જે કર્યા હતા.
સાથે પાર્લર સંચાલક અર્ચન હસમુખભાઇ કપુરીયાને અટકાયતમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં અર્ચને ઉપરોક્ત નકલી માલ જયદેવ વજાભાઇ છૈયા આપી જતો હોવાની કેફિયત આપતા જયદેવ છૈયાને પણ ઉઠાવી લેવાયો હતો. જયદેવ છૈયાની કબુલાત મુજબ તેણે આ સામાન પેરેડાઇઝ નજીકનાં પદમાવતી અમુલ પાર્લરમાંથી લીધો હોવાનું કહ્યું હતું. પોલીસે પદમાવતી પાર્લરમાં દરોડો પાડી અમુલ પ્યોર ઘીના ભેળસેળ યુક્ત 16 પાઉચ અને ગોપાલ ઘીના 7 પાઉચ મળી આવતા મુદ્દામાલ કબજે કરી સંચાલક નિલેશ જીતેન્દ્રભાઇ બોરડીયાને અટકાયતમાં લઇ લીધો હતો.
નિલેશ બોરડીયાએ ઉપરોક્ત માલ રૈયા સ્મશાન સામે શંકર ભગવાનના મંદિર પાછળ શ્રી રામ હાઉસ ઓફ એજન્સીના નામે ગોડાઉન ધરાવતા દેવ ઉમેશભાઇ ગણાત્રા પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું. જેને લઈ નિલેશને સાથે રાખી ગણાત્રાના ગોડાઉનમાં છાપો મારી અમુલ ઘીના 50 અને ગોપાલ ઘીના 20 પાઉચ કબ્જે લીધા હતા. ઉપરાંત મિરાજ તંબાકુ, બાગબાન 138 તંબાકુના ટીન, ડવનાં શેમ્પુના પાઉચ, સર્ફ એક્સેલ સાબુ, પાઉડરનો નકલી જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. અને રૂ. 1,55,200ની કિંમતનો તમામ મુદ્દામાલ કબ્જે લીધો હતો. સાથે ઉમેશભાઈ, દેવભાઈ નિલેશભાઈ અને દેવભાઈ ગણાત્રાને ઝડપી લીધા છે.
ઉપરોક્ત તમામ ડુપ્લીકેટ માલ અમદાવાદનો પ્રકાશ કાનાબાર નામનો શખ્સ બ્રાન્ડેડ ચીજ-વસ્તુઓનો હલકી ગુણવત્તાવાળો ભેળસેળ યુક્ત માલ અસલ જેવા પેકિંગમાં પેક કરી રાજકોટના ગણાત્રા બંધુઓને સપ્લાય કરતો હોવાનું ખુલ્યું છે. જેને લઈને પોલીસે ઝડપાયેલા તમામ આરોપી સામે છેતરપીંડી, ટ્રેડમાર્ક એક્ટ ભંગ, વિશ્વાસઘાત, જનઆરોગ્ય સાથે ચેડાં, તેમજ ખોરાકમાં ભેળસેળ અટકાવવાના કાયદા હેઠળ ગુનો નોંધી સૂત્રધાર પ્રકાશ કાનાબારની શોધખોળ શરૂ કરી છે.
આ રીતે કૌભાંડનો થયો પર્દાફાશ
અમૂલ, ગોપાલ બ્રાન્ડની દૂધની વિવિધ બનાવટોના નામે ભેળસેળયુક્ત માલ ન વેચાય તે માટે ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લીમીડેટના અધિકારીઓ નજર રાખતા હોય છે. બ્રાંચ મેનેજર ધવલ પરીખ અને તેમની ટીમે પંચાયત ચોકમાં રાજવી પાર્લરમાંથી અમુલ અને ગોપાલ ઘીના ચાર, ચાર પાઉચ ખરીદીને રાકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની ક્વોલીટી ડિપાર્ટમેન્ટમાં ચેક કરાવતા ઘી અને પેકીંગ પાઉચની ગુણવત્તા હલકી હોવાનું ખુલ્યું હતું. તેમજ બેચ નંબર ચેક કરતા તેમની કંપનીમાં આવા બેચ ન઼બરનો કોઇ માલ પેક નહીં થયાનું સ્પષ્ટ થતાં ડીસીપી જાડેજાન લેખિત ફરિયાદ પછી પોલીસને સાથે રાખીને કામગીરી કરી હતી.