ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકવાયો હતો.
પાટીદારોની આસ્થાનાં પ્રતીક ખોડલધામ ખાતે ગુજરાતનો સૌથી મોટો 1551 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ લહેરાવાયો
ગાંધીનગરના રાધે રાધે ગ્રુપ દ્વારા મંદિરોના ઇતિહાસમાં સૌપ્રથમ વખત આટલો મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો
WatchGujarat. દેશભરમાં કોરોનાકાળ વચ્ચે સૌપ્રથમ 72માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરનાં ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકવાયો હતો. તો બીજીતરફ પાટીદારોની આસ્થાનાં પ્રતીક ખોડલધામ ખાતે ગુજરાતનો સૌથી મોટો 1551 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો.
આજરોજ શહેર અને જિલ્લામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણી અંતર્ગત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ખાસ હાજર રહ્યા હતા. તેમજ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. ત્યારબાદ તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. અને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જો કે સંપૂર્ણ કાર્યક્રમમાં આચારસંહિતાની અમલવારી અને કોવિડ ગાઈડલાઈનના નિયમોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
બીજીતરફ ખોડલધામ ખાતે 72માં પ્રજાસતાક દિને ગુજરાતનો સૌથી મોટો 1551 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો. ગાંધીનગરના રાધે રાધે ગ્રુપ દ્વારા મંદિરોના ઇતિહાસમાં સૌપ્રથમ વખત આટલો મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ તકે દર્શનાર્થે આવેલા ભાવિકોએ પણ રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી હતી. નોંધનીય છેકે ખોડલધામ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ધર્મધજાની સાથે-સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકે છે.
ઉપરાંત શહેરની કોર્પોરેશન કચેરી ખાતે મ્યુ. કમિશ્નર ઉદ્દીત અગ્રવાલ તેમજ પૂર્વ મેયર બીનાબેન આચાર્યની હાજરીમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયું હતું. તો ભાજપનાં કાર્યાલય ખાતે સ્થાનિક આગેવાન નીતિન ભારદ્વાજનાં હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ સિવાય પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો..
ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકવાયો હતો.
પાટીદારોની આસ્થાનાં પ્રતીક ખોડલધામ ખાતે ગુજરાતનો સૌથી મોટો 1551 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ લહેરાવાયો
ગાંધીનગરના રાધે રાધે ગ્રુપ દ્વારા મંદિરોના ઇતિહાસમાં સૌપ્રથમ વખત આટલો મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો
WatchGujarat. દેશભરમાં કોરોનાકાળ વચ્ચે સૌપ્રથમ 72માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરનાં ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકવાયો હતો. તો બીજીતરફ પાટીદારોની આસ્થાનાં પ્રતીક ખોડલધામ ખાતે ગુજરાતનો સૌથી મોટો 1551 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો.
આજરોજ શહેર અને જિલ્લામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણી અંતર્ગત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ખાસ હાજર રહ્યા હતા. તેમજ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. ત્યારબાદ તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. અને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જો કે સંપૂર્ણ કાર્યક્રમમાં આચારસંહિતાની અમલવારી અને કોવિડ ગાઈડલાઈનના નિયમોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
બીજીતરફ ખોડલધામ ખાતે 72માં પ્રજાસતાક દિને ગુજરાતનો સૌથી મોટો 1551 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો. ગાંધીનગરના રાધે રાધે ગ્રુપ દ્વારા મંદિરોના ઇતિહાસમાં સૌપ્રથમ વખત આટલો મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ તકે દર્શનાર્થે આવેલા ભાવિકોએ પણ રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી હતી. નોંધનીય છેકે ખોડલધામ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ધર્મધજાની સાથે-સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકે છે.
ઉપરાંત શહેરની કોર્પોરેશન કચેરી ખાતે મ્યુ. કમિશ્નર ઉદ્દીત અગ્રવાલ તેમજ પૂર્વ મેયર બીનાબેન આચાર્યની હાજરીમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયું હતું. તો ભાજપનાં કાર્યાલય ખાતે સ્થાનિક આગેવાન નીતિન ભારદ્વાજનાં હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ સિવાય પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો..