ગોંડલના કુલદીપભાઈ વ્રજલાલ વીરપરિયા રીબડામાં કાસ્ટિંગ ફેક્ટરી ધરાવે છે
પરિવારમાં 88 વર્ષનાં મારા બાને કોરોના આવતા અમે સૌ ચિંતામાં મૂકાયા
વેક્સીન કમાલ કરી ગઈ અને સ્થિતિ ક્રિટિકલ થતા બચી જતા ઘરે જ સારવાર લઇ અમે કોરોનાને હરાવ્યો
WatchGujarat. કોરોનાની બીજી લહેરમાં એકાદ વ્યક્તિ નહીં પરંતુ આખા પરિવારો સંક્રમિત થવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. જેમાં એક વ્યક્તિને કોરોના થયા બાદ બાદ પરિવારના અન્ય સભ્યો પણ ઝપટે ચડી જાય છે. આવી જ ઘટના ગોંડલમાં સામે આવી હતી. જેમાં પટેલ પરિવારના 9 સભ્યોમાંથી 1 વર્ષના બાળકથી લઈ 88 વર્ષના વૃદ્ધા સુધીનાં સભ્યો સંક્રમિત થયા હતા. પરંતુ 45 વર્ષથી ઉપરના ત્રણેય વડીલોએ વેક્સીન લઇ લીધી હોઈ તમામે કોરોનાની ઉપર વિજય મેળવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલના કુલદીપભાઈ વ્રજલાલ વીરપરિયા રીબડામાં કાસ્ટિંગ ફેક્ટરી ધરાવે છે. તેના પરિવારમાં તેમના માતા જ્યોત્સ્નાબેન, પિતા વ્રજલાલ 88 વર્ષના દાદી રંભાબેન પત્ની પાયલ, 1 વર્ષનો પુત્ર શિવમ તેમજ તેમના બહેન અંકિતાબેન તથા તેમની બંને પુત્રી આર્યા, આધ્યા સહિતનાં કુલ 8 લોકો કોરોનાં સંક્રમિત થયા હતા.
આ અંગે કુલદીપભાઈના જણાવ્યા અનુસાર, જ્યારથી કોરોનાનો પેસારો થયો છે ત્યારથી જરૂર વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. જેને પગલે મારા માતાને કોરોનાના લક્ષણો ન હતા. પણ બહેન ઉપરાંત બંને ભાણેજો સહિત મારા પરિવારમાં બધાને કોરોના થયો હતો. મારા માતા-પિતા અને બાએ વેક્સીન લઇ લીધી હતી. માતાએ અને બાએ બંને ડોઝ લીધા હતા જ્યારે પિતાએ એક જ ડોઝ લીધો છે.
જો કે 88 વર્ષનાં મારા બાને કોરોના આવતા અમે સૌ ચિંતામાં મૂકાયા હતા. પરંતુ વેક્સીન કમાલ કરી ગઈ અને સ્થિતિ ક્રિટિકલ થતા બચી જતા ઘરે જ સારવાર લઇ અમે કોરોનાને હરાવ્યો છે. કોરોનાની આ બીજી લહેરમાં અનેકના પરિવારો વિખેરાય છે. પરંતુ ઈશ્વરની કૃપાથી અમે સૌ સ્વસ્થ થયા છીએ. મેં કોરોના રસીના બંને ડોઝ લીધા છે. અને મારું સ્પષ્ટ માનવું છે કે, આ વેક્સીનને કારણે જ મારો પરિવાર સ્વસ્થ થઈ ગયો છે.
ગોંડલના કુલદીપભાઈ વ્રજલાલ વીરપરિયા રીબડામાં કાસ્ટિંગ ફેક્ટરી ધરાવે છે
વેક્સીન કમાલ કરી ગઈ અને સ્થિતિ ક્રિટિકલ થતા બચી જતા ઘરે જ સારવાર લઇ અમે કોરોનાને હરાવ્યો
WatchGujarat. કોરોનાની બીજી લહેરમાં એકાદ વ્યક્તિ નહીં પરંતુ આખા પરિવારો સંક્રમિત થવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. જેમાં એક વ્યક્તિને કોરોના થયા બાદ બાદ પરિવારના અન્ય સભ્યો પણ ઝપટે ચડી જાય છે. આવી જ ઘટના ગોંડલમાં સામે આવી હતી. જેમાં પટેલ પરિવારના 9 સભ્યોમાંથી 1 વર્ષના બાળકથી લઈ 88 વર્ષના વૃદ્ધા સુધીનાં સભ્યો સંક્રમિત થયા હતા. પરંતુ 45 વર્ષથી ઉપરના ત્રણેય વડીલોએ વેક્સીન લઇ લીધી હોઈ તમામે કોરોનાની ઉપર વિજય મેળવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલના કુલદીપભાઈ વ્રજલાલ વીરપરિયા રીબડામાં કાસ્ટિંગ ફેક્ટરી ધરાવે છે. તેના પરિવારમાં તેમના માતા જ્યોત્સ્નાબેન, પિતા વ્રજલાલ 88 વર્ષના દાદી રંભાબેન પત્ની પાયલ, 1 વર્ષનો પુત્ર શિવમ તેમજ તેમના બહેન અંકિતાબેન તથા તેમની બંને પુત્રી આર્યા, આધ્યા સહિતનાં કુલ 8 લોકો કોરોનાં સંક્રમિત થયા હતા.
આ અંગે કુલદીપભાઈના જણાવ્યા અનુસાર, જ્યારથી કોરોનાનો પેસારો થયો છે ત્યારથી જરૂર વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. જેને પગલે મારા માતાને કોરોનાના લક્ષણો ન હતા. પણ બહેન ઉપરાંત બંને ભાણેજો સહિત મારા પરિવારમાં બધાને કોરોના થયો હતો. મારા માતા-પિતા અને બાએ વેક્સીન લઇ લીધી હતી. માતાએ અને બાએ બંને ડોઝ લીધા હતા જ્યારે પિતાએ એક જ ડોઝ લીધો છે.
જો કે 88 વર્ષનાં મારા બાને કોરોના આવતા અમે સૌ ચિંતામાં મૂકાયા હતા. પરંતુ વેક્સીન કમાલ કરી ગઈ અને સ્થિતિ ક્રિટિકલ થતા બચી જતા ઘરે જ સારવાર લઇ અમે કોરોનાને હરાવ્યો છે. કોરોનાની આ બીજી લહેરમાં અનેકના પરિવારો વિખેરાય છે. પરંતુ ઈશ્વરની કૃપાથી અમે સૌ સ્વસ્થ થયા છીએ. મેં કોરોના રસીના બંને ડોઝ લીધા છે. અને મારું સ્પષ્ટ માનવું છે કે, આ વેક્સીનને કારણે જ મારો પરિવાર સ્વસ્થ થઈ ગયો છે.