અમદાવાદથી વતન જૂનાગઢમાં સ્થાયી થવા જઈ રહેલા પરિવારના એકના એક પૂત્ર સહિત બે વ્યકિતના કરૂણ મોત
ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
WatchGujarat. કુવાડવા હાઇવે પર બામણબોર પાસે બંધ ટ્રક પાછળ આઈસર ઘૂસી જતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી વતન જૂનાગઢમાં સ્થાયી થવા જઈ રહેલા પરિવારના એકના એક પૂત્ર સહિત બે વ્યકિતના કરૂણ મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય 4 વ્યકિતને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ જીવલેણ અકસ્માત અંગે જાણવા મળતી વિગત મુજબ, બામણબોર પાસે રોડ પર ગતરાત્રે ત્રણેક વાગ્યે બંધ હાલતમાં ઉભેલા ટ્રક પાછળ અમદાવાદ સાઈડથી આવી રહેલું આઈસર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઈજાને પગલે વિશાલ કાનજી સેવડા અને એક પરપ્રાંતિય મજૂરનું મોત નિપજ્યું હતું. જ્યારે આઈસરમાં બેઠેલા મૃતકના માતા લીલાબેન કાનાભાઈ સેવડા, બહેન દિક્ષિતાબેન કાનાભાઈ સેવડા, ઉપરાંત સાવનીબેન ભુપતભાઈ સેવડા સહિત ડ્રાઈવર સામત કરશન ગરચરને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે રાજકોટ કુવાડવા રોડ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જેની પ્રાથમિક પૂછતાછમાં આ મૃતક યુવાન મુળ ચોરવાડનાં જૂૂજાપુરનો વતની હોવાનું તેમજ પોતાના પરિવાર સાથે અમદાવાદથી માદરે વતન સ્થાયી થવા માતા લીલાબેન બહેન દિક્ષિતા અને પિતરાઈ બહેન સાવની સેવડા સાથે જઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવાન વિશાલ તેના માતા પિતાનો એકમાત્ર પુત્ર હોઈ પરિવારજનોમાં આક્રંદ છવાયો છે.
અમદાવાદથી વતન જૂનાગઢમાં સ્થાયી થવા જઈ રહેલા પરિવારના એકના એક પૂત્ર સહિત બે વ્યકિતના કરૂણ મોત
ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
WatchGujarat. કુવાડવા હાઇવે પર બામણબોર પાસે બંધ ટ્રક પાછળ આઈસર ઘૂસી જતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી વતન જૂનાગઢમાં સ્થાયી થવા જઈ રહેલા પરિવારના એકના એક પૂત્ર સહિત બે વ્યકિતના કરૂણ મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય 4 વ્યકિતને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ જીવલેણ અકસ્માત અંગે જાણવા મળતી વિગત મુજબ, બામણબોર પાસે રોડ પર ગતરાત્રે ત્રણેક વાગ્યે બંધ હાલતમાં ઉભેલા ટ્રક પાછળ અમદાવાદ સાઈડથી આવી રહેલું આઈસર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઈજાને પગલે વિશાલ કાનજી સેવડા અને એક પરપ્રાંતિય મજૂરનું મોત નિપજ્યું હતું. જ્યારે આઈસરમાં બેઠેલા મૃતકના માતા લીલાબેન કાનાભાઈ સેવડા, બહેન દિક્ષિતાબેન કાનાભાઈ સેવડા, ઉપરાંત સાવનીબેન ભુપતભાઈ સેવડા સહિત ડ્રાઈવર સામત કરશન ગરચરને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે રાજકોટ કુવાડવા રોડ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જેની પ્રાથમિક પૂછતાછમાં આ મૃતક યુવાન મુળ ચોરવાડનાં જૂૂજાપુરનો વતની હોવાનું તેમજ પોતાના પરિવાર સાથે અમદાવાદથી માદરે વતન સ્થાયી થવા માતા લીલાબેન બહેન દિક્ષિતા અને પિતરાઈ બહેન સાવની સેવડા સાથે જઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવાન વિશાલ તેના માતા પિતાનો એકમાત્ર પુત્ર હોઈ પરિવારજનોમાં આક્રંદ છવાયો છે.