રાજકોટ શહેરમાં આજે નવા 321 પોઝીટીવ કેસ સામે આવતા કુલ સંક્રમિતોની સંખ્યા 20,396 પર પહોંચી
તંત્ર દ્વારા દરરોજ નવી હોસ્પિટલમાં દબાણ કરી બેડ વધારવામાં આવે છે
મનપાના સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાથી અત્યાર સુધીમાં 167 લોકોના મોત નીપજ્યા છે
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં ભાઈ-ભત્રીજા સહિત પરિવારનાં 5 સભ્યોનો રિપોર્ટ પણ કોરોના પોઝીટિવ આવ્યો છે. જેને લઈ આ તમામ સભ્યો હોમ આઇસોલેટ થયા છે. જાણવા મળી રહેલી વિગતો મુજબ વિજય રૂપાણીનાં મોટાભાઈ લલિતભાઈ રૂપાણીને અમદાવાદ અને તેમના ભત્રીજા અનિમેષ રૂપાણી સહિતનાઓ રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને હોમ આઇસોલેટ થયા છે. અને હાલમાં તમામની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ શહેરમાં આજે નવા 321 પોઝીટીવ કેસ સામે આવતા કુલ સંક્રમિતોની સંખ્યા 20,396 પર પહોંચી છે. જેમાં મનપાના આરોગ્ય વિભાગના મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થયો છે. 5 દિવસમાં આરોગ્ય વિભાગના 70 કર્મચારીઓ ઉપરાંત મેલેરીયા વિભાગનાં 2 કર્મચારી અને વિજિલન્સના 5 પોલીસકર્મી સહીત કુલ 81 લોકોં કોરોનાથી સંક્રમિત થયા છે. તો ભક્તિનગર પોલીસ મથકમાં એક આરોપી, એક પોલીસમેન અને બે હોમગાર્ડ સહિત વધુ ચારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા દરરોજ નવી હોસ્પિટલમાં દબાણ કરી બેડ વધારવામાં આવે છે. જોકે બેડ વધે છે તેની બમણી ગતિએ હોસ્પિટલાઈઝેશન વધી રહ્યું છે. રાજકોટમાં હાલ 1900 બેડની ક્ષમતા થઈ હોવા છતાં માત્ર 444 બેડ ખાલી રહ્યાં છે. જ્યારે શહેર-જિલ્લામાં 1735 એક્ટિવ કેસ છે. શહેરમાં પોઝિટિવ કેસની સાથે એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. અને અલગ અલગ હોસ્પિટલમાં હાલ 1464 દર્દી સારવાર હેઠળ છે. સોમવારકે 144 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે મનપાના સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાથી અત્યાર સુધીમાં 167 લોકોના મોત નીપજ્યા છે.
રાજકોટ શહેરમાં આજે નવા 321 પોઝીટીવ કેસ સામે આવતા કુલ સંક્રમિતોની સંખ્યા 20,396 પર પહોંચી
તંત્ર દ્વારા દરરોજ નવી હોસ્પિટલમાં દબાણ કરી બેડ વધારવામાં આવે છે
મનપાના સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાથી અત્યાર સુધીમાં 167 લોકોના મોત નીપજ્યા છે
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં ભાઈ-ભત્રીજા સહિત પરિવારનાં 5 સભ્યોનો રિપોર્ટ પણ કોરોના પોઝીટિવ આવ્યો છે. જેને લઈ આ તમામ સભ્યો હોમ આઇસોલેટ થયા છે. જાણવા મળી રહેલી વિગતો મુજબ વિજય રૂપાણીનાં મોટાભાઈ લલિતભાઈ રૂપાણીને અમદાવાદ અને તેમના ભત્રીજા અનિમેષ રૂપાણી સહિતનાઓ રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને હોમ આઇસોલેટ થયા છે. અને હાલમાં તમામની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ શહેરમાં આજે નવા 321 પોઝીટીવ કેસ સામે આવતા કુલ સંક્રમિતોની સંખ્યા 20,396 પર પહોંચી છે. જેમાં મનપાના આરોગ્ય વિભાગના મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થયો છે. 5 દિવસમાં આરોગ્ય વિભાગના 70 કર્મચારીઓ ઉપરાંત મેલેરીયા વિભાગનાં 2 કર્મચારી અને વિજિલન્સના 5 પોલીસકર્મી સહીત કુલ 81 લોકોં કોરોનાથી સંક્રમિત થયા છે. તો ભક્તિનગર પોલીસ મથકમાં એક આરોપી, એક પોલીસમેન અને બે હોમગાર્ડ સહિત વધુ ચારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા દરરોજ નવી હોસ્પિટલમાં દબાણ કરી બેડ વધારવામાં આવે છે. જોકે બેડ વધે છે તેની બમણી ગતિએ હોસ્પિટલાઈઝેશન વધી રહ્યું છે. રાજકોટમાં હાલ 1900 બેડની ક્ષમતા થઈ હોવા છતાં માત્ર 444 બેડ ખાલી રહ્યાં છે. જ્યારે શહેર-જિલ્લામાં 1735 એક્ટિવ કેસ છે. શહેરમાં પોઝિટિવ કેસની સાથે એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. અને અલગ અલગ હોસ્પિટલમાં હાલ 1464 દર્દી સારવાર હેઠળ છે. સોમવારકે 144 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે મનપાના સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાથી અત્યાર સુધીમાં 167 લોકોના મોત નીપજ્યા છે.