ખાતર ઉત્પાદક કંપનીઓએ સીધો 53% જેટલો તોતિંગ ભાવ વધારો જાહેર કર્યા બાદ કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ ખાતર કંપનીઓના બચાવમાં આવ્યા હતા
ભૂતકાળમાં યુપીએ સરકારમાં 2008 થી 2014 વચ્ચે આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પેદાસોનો જે ભાવ હતો એ ભાવ આજે પણ નથી - પાલ અંબાલિયા
કંપનીઓની સબસીડીમાં 140% નો વધારો એટલે કે જે એક થેલીએ 500 રૂપિયા આપતા હતા તે વધારીને 1200 કરી દેવાયા
WatchGujarat. કેન્દ્રીય કૃષિમંત્રીએ ખેડૂતો માટે એક રાહતના સમાચાર આપ્યા હતાં. જેમાં સબસીડી વધારવાનું જાહેર કરાયુ હતું. અને ખેડૂતોને અગાઉના ભાવે જ ખાતર મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને સ્વાભાવિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવાઇ રહ્યો છે. પરંતુ આ મામલે ગુજરાત કિસાન કોંગ્રેસનાં ચેરમેન પાલ અંબાલિયાએ સરકારની નીતિઓ ઉપર આકરા પ્રહાર કરીને અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમના કહેવા મુજબ કહેવાતી 56' ઇંચની સરકાર ખાતરની કંપનીઓ સામે ઘૂંટણિયે પડી ગઈ છે. અને જનતાની તિજોરીમાંથી સબસીડી આપી પાર્ટી ફંડ ઉભું કરવાની તૈયારી કરવામાં આવી છે.
https://youtu.be/a9NBEKOOYi4
અંબાલિયાએ જણાવ્યુ હતું કે, ખેડૂતોને ડીપીએ ખાતર હવે 2400 ના બદલે 1200 માં જ મળશે ત્યારે અનેક સવાલ ઉભા થાય છે. ખાતર ઉત્પાદક કંપનીઓએ સીધો 53% જેટલો તોતિંગ ભાવ વધારો જાહેર કર્યા બાદ કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ ખાતર કંપનીઓના બચાવમાં આવ્યા હતા. અને નિવેદનો આપ્યા હતા કે, આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પેદાશોમાં ભાવ વધારો થયો છે એટલે ખાતર ઉત્પાદક કંપનીઓ પાસે ભાવ વધારો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. પણ અધૂરા અભ્યાસ અને મેલી મુરાદ સાથે ખાતર કંપનીઓનો બચાવ કરવા આવેલા આ મંત્રીઓને એ યાદ ન રહ્યું કે ભૂતકાળમાં યુપીએ સરકારમાં 2008 થી 2014 વચ્ચે આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પેદાસોનો જે ભાવ હતો એ ભાવ આજે પણ નથી.
વર્ષ 2008 થી 2014 વચ્ચે ખાતરની થેલીનો ભાવ 450ની આસપાસ હતો ત્યારે કંપનીઓને 450માં જો પોસાતું હોય તો અત્યારે કેમ ન પોસાય? પણ આખી રમત જ અલગ છે ખાતર કંપનીઓ ભાવ વધારો ઝીંકે પછી ખેડૂતોનો વિરોધ સ્વાભાવિક છે. એટલે સરકાર અને મંત્રીઓ હરકતમાં આવે પાછલા બારણેથી સેટિંગ થાય અને ભાજપા માટે સરકારી તિજોરીમાંથી ચૂંટણી ફંડ ઉભું થાય છે. અને એટલે ઇતિહાસમાં ક્યારેય ન થયું હોય એ મોદી હૈ તો મુમકીન હૈ કહેવત યથાર્થ થતી હોય તેમ ખાતર કંપનીઓની સબસીડીમાં 140% નો વધારો એટલે કે જે એક થેલીએ 500 રૂપિયા આપતા હતા તે વધારીને 1200 કરી દેવાયા છે.
જોકે આ બાબતથી અભણ ખેડૂત સ્વાભાવિક રીતે જ ખુશ થાય કેમ કે તેઓને જુના ભાવે ખાતર મળશે એ જ સમજાયું છે. ખેડૂતો અર્થશાસ્ત્રી તો છે નહીં કે એને ખબર પડે કે આ 700 રૂપિયા એક થેલીએ વધારાના આપવાના છે. એ પણ એના (પ્રજા)નાં ગજવામાંથી જવાના છે. આ સરકારમાં બેઠેલા કોઈના કરિયાવરના રૂપિયા નથી જનતાની તિજોરી પર જ ભારણ પડવાનું છે. પણ આખી રમત ખેડૂતોના ખંભા પર બંધુક રાખી રમવામાં આવી છે. ખાતર કંપનીઓની સબસિડીમાં તબક્કાવાર વધારો કરી 70 વર્ષમાં એક થેલીએ માત્ર 500 રૂપિયા સુધી જે સબસીડી અપાતી હતી. મોદી સરકારે એક જ જાટકે તેમાં રૂપિયા 700નો વધારો કરી 1200 રૂપિયા કરી આપી છે. મતલબ સાફ છે કે આ પાછળ સરકારની મેલી મુરાદ છે અથવા તો કહેવાતી 56 ઇંચની સરકાર ખાતર કંપનીઓ સામે ઘૂંટણિયે પડી ગઈ છે.
ખાતર ઉત્પાદક કંપનીઓએ સીધો 53% જેટલો તોતિંગ ભાવ વધારો જાહેર કર્યા બાદ કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ ખાતર કંપનીઓના બચાવમાં આવ્યા હતા
ભૂતકાળમાં યુપીએ સરકારમાં 2008 થી 2014 વચ્ચે આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પેદાસોનો જે ભાવ હતો એ ભાવ આજે પણ નથી - પાલ અંબાલિયા
કંપનીઓની સબસીડીમાં 140% નો વધારો એટલે કે જે એક થેલીએ 500 રૂપિયા આપતા હતા તે વધારીને 1200 કરી દેવાયા
WatchGujarat. કેન્દ્રીય કૃષિમંત્રીએ ખેડૂતો માટે એક રાહતના સમાચાર આપ્યા હતાં. જેમાં સબસીડી વધારવાનું જાહેર કરાયુ હતું. અને ખેડૂતોને અગાઉના ભાવે જ ખાતર મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને સ્વાભાવિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવાઇ રહ્યો છે. પરંતુ આ મામલે ગુજરાત કિસાન કોંગ્રેસનાં ચેરમેન પાલ અંબાલિયાએ સરકારની નીતિઓ ઉપર આકરા પ્રહાર કરીને અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમના કહેવા મુજબ કહેવાતી 56' ઇંચની સરકાર ખાતરની કંપનીઓ સામે ઘૂંટણિયે પડી ગઈ છે. અને જનતાની તિજોરીમાંથી સબસીડી આપી પાર્ટી ફંડ ઉભું કરવાની તૈયારી કરવામાં આવી છે.
અંબાલિયાએ જણાવ્યુ હતું કે, ખેડૂતોને ડીપીએ ખાતર હવે 2400 ના બદલે 1200 માં જ મળશે ત્યારે અનેક સવાલ ઉભા થાય છે. ખાતર ઉત્પાદક કંપનીઓએ સીધો 53% જેટલો તોતિંગ ભાવ વધારો જાહેર કર્યા બાદ કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ ખાતર કંપનીઓના બચાવમાં આવ્યા હતા. અને નિવેદનો આપ્યા હતા કે, આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પેદાશોમાં ભાવ વધારો થયો છે એટલે ખાતર ઉત્પાદક કંપનીઓ પાસે ભાવ વધારો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. પણ અધૂરા અભ્યાસ અને મેલી મુરાદ સાથે ખાતર કંપનીઓનો બચાવ કરવા આવેલા આ મંત્રીઓને એ યાદ ન રહ્યું કે ભૂતકાળમાં યુપીએ સરકારમાં 2008 થી 2014 વચ્ચે આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પેદાસોનો જે ભાવ હતો એ ભાવ આજે પણ નથી.
વર્ષ 2008 થી 2014 વચ્ચે ખાતરની થેલીનો ભાવ 450ની આસપાસ હતો ત્યારે કંપનીઓને 450માં જો પોસાતું હોય તો અત્યારે કેમ ન પોસાય? પણ આખી રમત જ અલગ છે ખાતર કંપનીઓ ભાવ વધારો ઝીંકે પછી ખેડૂતોનો વિરોધ સ્વાભાવિક છે. એટલે સરકાર અને મંત્રીઓ હરકતમાં આવે પાછલા બારણેથી સેટિંગ થાય અને ભાજપા માટે સરકારી તિજોરીમાંથી ચૂંટણી ફંડ ઉભું થાય છે. અને એટલે ઇતિહાસમાં ક્યારેય ન થયું હોય એ મોદી હૈ તો મુમકીન હૈ કહેવત યથાર્થ થતી હોય તેમ ખાતર કંપનીઓની સબસીડીમાં 140% નો વધારો એટલે કે જે એક થેલીએ 500 રૂપિયા આપતા હતા તે વધારીને 1200 કરી દેવાયા છે.
જોકે આ બાબતથી અભણ ખેડૂત સ્વાભાવિક રીતે જ ખુશ થાય કેમ કે તેઓને જુના ભાવે ખાતર મળશે એ જ સમજાયું છે. ખેડૂતો અર્થશાસ્ત્રી તો છે નહીં કે એને ખબર પડે કે આ 700 રૂપિયા એક થેલીએ વધારાના આપવાના છે. એ પણ એના (પ્રજા)નાં ગજવામાંથી જવાના છે. આ સરકારમાં બેઠેલા કોઈના કરિયાવરના રૂપિયા નથી જનતાની તિજોરી પર જ ભારણ પડવાનું છે. પણ આખી રમત ખેડૂતોના ખંભા પર બંધુક રાખી રમવામાં આવી છે. ખાતર કંપનીઓની સબસિડીમાં તબક્કાવાર વધારો કરી 70 વર્ષમાં એક થેલીએ માત્ર 500 રૂપિયા સુધી જે સબસીડી અપાતી હતી. મોદી સરકારે એક જ જાટકે તેમાં રૂપિયા 700નો વધારો કરી 1200 રૂપિયા કરી આપી છે. મતલબ સાફ છે કે આ પાછળ સરકારની મેલી મુરાદ છે અથવા તો કહેવાતી 56 ઇંચની સરકાર ખાતર કંપનીઓ સામે ઘૂંટણિયે પડી ગઈ છે.