જસદણ તાલુકાના આણંદપુર ગામના 50 વર્ષની ઉંમરના ચંદ્રાબેન ખાચરને કોરોનાનું સંક્રમણ ખૂબ વધતા પરિવારજનોમાં ચિંતા વધારી
પરિવારજનોએ ‘‘જીવવું તો ગામમાં, મરવું તો ગામમાં’’ એમ નક્કી કરીને ચંદ્રાબેનને વીરનગરના ડેડિકેટેડ કોવિડ હેલ્થ કેર સેન્ટર ખાતે લઇ આવ્યા
ચંદ્રાબેનના વિધેયાત્મક વલણને લીધે ત્રીજા દિવસથી અમને પોઝિટિવ પરિણામો મળવા માંડયા - ડો. ધવલ ગોસાઈ
WatchGujarat. કોરોનાનાં સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે એક સારી બાબત સામે આવી છે. જેમાં સી.આર.પી. સ્કોર 272, ડી ડાઇમર 4200 અને 80 ટકા ક્ષતિગ્રસ્ત ફેફસા હોવા છતાં માત્ર 5 દિવસની સરકારી સારવારમાં મહિલાએ કોરોના પર વિજય મેળવ્યો છે. આણંદપુરના ચંદ્રાબેન ખાચરનાં કેસને ત્રણ એમ.ડી.ડોકટર્સે ફેઇલ ગણાવ્યો હતો. પરંતુ વીરનગર ખાતે તેમણે કોરોનાને હરાવી આ ડોક્ટર્સને પણ ખોટા પાડ્યા છે.
જાણવા મળતી વિગતો અનુસાર જસદણ તાલુકાના આણંદપુર ગામના પૈસે-ટકે સધ્ધર એવા 50 વર્ષની ઉંમરના ચંદ્રાબેન ખાચરને કોરોનાનું સંક્રમણ ખૂબ વધી ગયું હતું. તેમનો સી.આર.પી.સ્કોર 272, ડી ડાઇમર 4200 અને સી.ટી.સ્કેનનો સ્કોર 18નો હતો. અતિ ગંભીર કહી શકાય એવા આ દર્દીને રાજકોટમાં બેડ નહીં મળતા વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર મોકલાયા હતા. જોકે ત્યાં ત્રણ એમ.ડી.ડોક્ટર્સે તેમનો કેસ ફેઇલ ગણાવીને સારવાર કરવાની જ ના પાડી દીધી.
અંતે હારી-થાકીને તેમના પરિવારજનોએ ‘‘જીવવું તો ગામમાં, મરવું તો ગામમાં’’ એમ નક્કી કરીને ચંદ્રાબેનને વીરનગરના ડેડિકેટેડ કોવિડ હેલ્થ કેર સેન્ટર ખાતે લઇ આવ્યા હતા. જયાં આ સેન્ટરના નોડલ ઓફિસર ડો. ધવલ ગોસાઈ ઉપરાંત મેડિકલ ઓફિસર ડો. વિધિ વાઘેલા, ડો. શીતલ મેનીયા, ડો. નીલેશ બાંભણીયા અને ડો. હેતલ નકુમે સાવ નંખાઇ ગયેલા, પણ મનથી જરાય હિંમત ન હારેલા ચંદ્રાબેનની સારવાર શરૂ કરી હતી.
ડો. ધવલ જણાવે છે કે ચંદ્રાબેનને ગ્લુકોઝની બોટલ ચડાવવા માટે નસ પકડવાની ટ્રાય કરી, ત્યાં જ 4200 ડી ડાઇમરને લીધે ચંદ્રાબેનને કલોટ થઇ ગયા. પરંતુ ન અમે હિંમત હાર્યા, ન ચંદ્રાબેને અમને હિંમત હારવા દીધી. સવાર-સાંજના અડધી કલાકના મહામુત્યુંજય મંત્રના જાપ, સતત કાઉન્સેલિંગ. અને ચંદ્રાબેનના વિધેયાત્મક વલણને લીધે ત્રીજા દિવસથી અમને પોઝિટિવ સીગ્નલ્સ મળવા મંડયા. સતત 12 દિવસની તબીબી મથામણ બાદ અમે તેમને મોતના મુખમાંથી પરત લાવી શકયા. અને તેઓ સંપૂર્ણપણે કોરોનામુકત થઇ શકયા. આમ કોરોનાને હરાવવા રાજયસરકારની ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પણ પૂરતી સક્ષમ છે, તેવું જસદણ તાલુકાના ગામડાંની આ હાઇરીસ્ક મહિલાએ સાબિત કરી આપ્યું છે.
જસદણ તાલુકાના આણંદપુર ગામના 50 વર્ષની ઉંમરના ચંદ્રાબેન ખાચરને કોરોનાનું સંક્રમણ ખૂબ વધતા પરિવારજનોમાં ચિંતા વધારી
પરિવારજનોએ ‘‘જીવવું તો ગામમાં, મરવું તો ગામમાં’’ એમ નક્કી કરીને ચંદ્રાબેનને વીરનગરના ડેડિકેટેડ કોવિડ હેલ્થ કેર સેન્ટર ખાતે લઇ આવ્યા
WatchGujarat. કોરોનાનાં સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે એક સારી બાબત સામે આવી છે. જેમાં સી.આર.પી. સ્કોર 272, ડી ડાઇમર 4200 અને 80 ટકા ક્ષતિગ્રસ્ત ફેફસા હોવા છતાં માત્ર 5 દિવસની સરકારી સારવારમાં મહિલાએ કોરોના પર વિજય મેળવ્યો છે. આણંદપુરના ચંદ્રાબેન ખાચરનાં કેસને ત્રણ એમ.ડી.ડોકટર્સે ફેઇલ ગણાવ્યો હતો. પરંતુ વીરનગર ખાતે તેમણે કોરોનાને હરાવી આ ડોક્ટર્સને પણ ખોટા પાડ્યા છે.
જાણવા મળતી વિગતો અનુસાર જસદણ તાલુકાના આણંદપુર ગામના પૈસે-ટકે સધ્ધર એવા 50 વર્ષની ઉંમરના ચંદ્રાબેન ખાચરને કોરોનાનું સંક્રમણ ખૂબ વધી ગયું હતું. તેમનો સી.આર.પી.સ્કોર 272, ડી ડાઇમર 4200 અને સી.ટી.સ્કેનનો સ્કોર 18નો હતો. અતિ ગંભીર કહી શકાય એવા આ દર્દીને રાજકોટમાં બેડ નહીં મળતા વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર મોકલાયા હતા. જોકે ત્યાં ત્રણ એમ.ડી.ડોક્ટર્સે તેમનો કેસ ફેઇલ ગણાવીને સારવાર કરવાની જ ના પાડી દીધી.
અંતે હારી-થાકીને તેમના પરિવારજનોએ ‘‘જીવવું તો ગામમાં, મરવું તો ગામમાં’’ એમ નક્કી કરીને ચંદ્રાબેનને વીરનગરના ડેડિકેટેડ કોવિડ હેલ્થ કેર સેન્ટર ખાતે લઇ આવ્યા હતા. જયાં આ સેન્ટરના નોડલ ઓફિસર ડો. ધવલ ગોસાઈ ઉપરાંત મેડિકલ ઓફિસર ડો. વિધિ વાઘેલા, ડો. શીતલ મેનીયા, ડો. નીલેશ બાંભણીયા અને ડો. હેતલ નકુમે સાવ નંખાઇ ગયેલા, પણ મનથી જરાય હિંમત ન હારેલા ચંદ્રાબેનની સારવાર શરૂ કરી હતી.
ડો. ધવલ જણાવે છે કે ચંદ્રાબેનને ગ્લુકોઝની બોટલ ચડાવવા માટે નસ પકડવાની ટ્રાય કરી, ત્યાં જ 4200 ડી ડાઇમરને લીધે ચંદ્રાબેનને કલોટ થઇ ગયા. પરંતુ ન અમે હિંમત હાર્યા, ન ચંદ્રાબેને અમને હિંમત હારવા દીધી. સવાર-સાંજના અડધી કલાકના મહામુત્યુંજય મંત્રના જાપ, સતત કાઉન્સેલિંગ. અને ચંદ્રાબેનના વિધેયાત્મક વલણને લીધે ત્રીજા દિવસથી અમને પોઝિટિવ સીગ્નલ્સ મળવા મંડયા. સતત 12 દિવસની તબીબી મથામણ બાદ અમે તેમને મોતના મુખમાંથી પરત લાવી શકયા. અને તેઓ સંપૂર્ણપણે કોરોનામુકત થઇ શકયા. આમ કોરોનાને હરાવવા રાજયસરકારની ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પણ પૂરતી સક્ષમ છે, તેવું જસદણ તાલુકાના ગામડાંની આ હાઇરીસ્ક મહિલાએ સાબિત કરી આપ્યું છે.