વૃદ્ધે મકાનની ચાવી માંગતા મને દસ્તાવેજ કરી આપવાનું કહી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી
નિવૃત જીવન પસાર કરતા 81 વર્ષીય વૃદ્ધ અરવિંદભાઈ ન્યાલચંદ મહેતાએ તેની બે સગી ભાણેજ સામે ફરિયાદ નોંધાવી
ગત 7 જાન્યુઆરીએ કલેકટરને અરજી કર્યા બાદ અંતે બંને ભાણેજ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ
WatchGujarat. શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પ્રથમવાર બે મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેમાં નિવૃત્ત વૃદ્ધનું વાણીયાવાડીનું રૂ. 22 લાખનું મકાન બે ભાણેજોએ પચાવી પાડી દસ્તાવેજ કરી આપવા ધમકી આપ્યાની ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા અને નિવૃત જીવન પસાર કરતા 81 વર્ષીય વૃદ્ધ અરવિંદભાઈ ન્યાલચંદ મહેતાએ તેની બે સગી ભાણેજ શાસ્ત્રીનગરમાં રહેતી હીનાબેન દીપકભાઈ છનીયારા અને અમદાવાદ રહેતી અમિતા શૈલેષભાઇ પારેખ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, પોતે ગરેડીયા કુવા રોડ ઉપર પુજારા બ્રધર્સ નામે બોલ બેરિંગ તથા મશીનરીનો વેપાર કરતા હતા. 2016માં દુકાન બંધ કરી નિવૃત્તિ લીધી હતી. 1967માં હું પ્રહલાદ પ્લોટમાં રહેતો હતો ત્યારે લીલાધર ગોરધનભાઈ પાસેથી વાણીયાવાડીમાં રૂ. 22 લાખની કિંમતનું મકાન ખરીદ્યું હતું. બાદમાં આફ્રિકા રહેતા બનેવી અનિલભાઈ મહેતાનું 1964માં અવસાન થતાં બહેન મંજુબેનને તેમના 5 સંતાનો 3 દીકરી અને 2 દીકરાઓ સાથે રહેવા આપ્યું હતું.
ત્યારબાદ બહેન 5 વર્ષ બાદ મૃત્યુ પામ્યા હતા. 5 પૈકી 4 ભાણેજોના લગ્ન થઈ ગયા હતા. જ્યારે 4 ફેબ્રુઆરી 2020ના રોજ એકલા રહેતા ભાણેજ મિલનનું પણ અવસાન થયું હતું. તેની વિધિ પુરી થયા બાદ આરોપી બંને ભાણેજોએ મકાનને તાળું મારી દીધુ હતું. તેમજ એક બહેન અમદાવાદ તથા બીજી બહેન નાના મૌવા શાસ્ત્રીનગરમાં રહેવા ગઈ હતી. જેને લઈ મેં મકાનની ચાવી માંગતા મને દસ્તાવેજ કરી આપવાનું કહી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.
બંને ભાણેજે આપેલી ધમકીથી ડરી જઈ પોતે પોલીસ કમિશ્નરને અરજી કરી હતી. હાલમાં આ મકાન ઉપર મિલનભાઈ મહેતાનો કબ્જો છે તેવો નામદાર કોર્ટનો હુકમ છે તેવું તથા મહેતા એક્યુપ્રેશર નામનું બોર્ડ પણ આ બહેનોએ મકાન પર લગાવ્યું છે. તેમાં હીનાબેન મહેતા અને મોબાઈલ નંબર લખી ફક્ત બહેનો માટે કમર, ગુંટણના દુખાવાનું નિદાન કરવામાં આવશે તેવું લખેલું છે. અગાઉ જૂન 2020માં હીનાએ ચોકીદારની હાજરીમાં વાણીયાવાડીના મકાનમાં પગ તો મૂકી જુઓ તેવી ધમકી પણ આપી હોવાનું જણાવી પોતાની મરણ મૂડી સમાન મકાન પરત અપાવવા માંગ કરવામાં આવી છે.
વૃદ્ધ દ્વારા ગત 7 જાન્યુઆરીએ કલેકટરને અરજી કર્યા બાદ અંતે બંને ભાણેજ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. સૌરાષ્ટ્રમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે પ્રથમ વખત મહિલાઓ સામે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે. હાલ સમગ્ર મામલે પીઆઇ જે ડી ઝાલા, રાઇટર નિલેશભાઈ મકવાણા સહિતનાઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વૃદ્ધે મકાનની ચાવી માંગતા મને દસ્તાવેજ કરી આપવાનું કહી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી
નિવૃત જીવન પસાર કરતા 81 વર્ષીય વૃદ્ધ અરવિંદભાઈ ન્યાલચંદ મહેતાએ તેની બે સગી ભાણેજ સામે ફરિયાદ નોંધાવી
ગત 7 જાન્યુઆરીએ કલેકટરને અરજી કર્યા બાદ અંતે બંને ભાણેજ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ
WatchGujarat. શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પ્રથમવાર બે મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેમાં નિવૃત્ત વૃદ્ધનું વાણીયાવાડીનું રૂ. 22 લાખનું મકાન બે ભાણેજોએ પચાવી પાડી દસ્તાવેજ કરી આપવા ધમકી આપ્યાની ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા અને નિવૃત જીવન પસાર કરતા 81 વર્ષીય વૃદ્ધ અરવિંદભાઈ ન્યાલચંદ મહેતાએ તેની બે સગી ભાણેજ શાસ્ત્રીનગરમાં રહેતી હીનાબેન દીપકભાઈ છનીયારા અને અમદાવાદ રહેતી અમિતા શૈલેષભાઇ પારેખ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, પોતે ગરેડીયા કુવા રોડ ઉપર પુજારા બ્રધર્સ નામે બોલ બેરિંગ તથા મશીનરીનો વેપાર કરતા હતા. 2016માં દુકાન બંધ કરી નિવૃત્તિ લીધી હતી. 1967માં હું પ્રહલાદ પ્લોટમાં રહેતો હતો ત્યારે લીલાધર ગોરધનભાઈ પાસેથી વાણીયાવાડીમાં રૂ. 22 લાખની કિંમતનું મકાન ખરીદ્યું હતું. બાદમાં આફ્રિકા રહેતા બનેવી અનિલભાઈ મહેતાનું 1964માં અવસાન થતાં બહેન મંજુબેનને તેમના 5 સંતાનો 3 દીકરી અને 2 દીકરાઓ સાથે રહેવા આપ્યું હતું.
ત્યારબાદ બહેન 5 વર્ષ બાદ મૃત્યુ પામ્યા હતા. 5 પૈકી 4 ભાણેજોના લગ્ન થઈ ગયા હતા. જ્યારે 4 ફેબ્રુઆરી 2020ના રોજ એકલા રહેતા ભાણેજ મિલનનું પણ અવસાન થયું હતું. તેની વિધિ પુરી થયા બાદ આરોપી બંને ભાણેજોએ મકાનને તાળું મારી દીધુ હતું. તેમજ એક બહેન અમદાવાદ તથા બીજી બહેન નાના મૌવા શાસ્ત્રીનગરમાં રહેવા ગઈ હતી. જેને લઈ મેં મકાનની ચાવી માંગતા મને દસ્તાવેજ કરી આપવાનું કહી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.
બંને ભાણેજે આપેલી ધમકીથી ડરી જઈ પોતે પોલીસ કમિશ્નરને અરજી કરી હતી. હાલમાં આ મકાન ઉપર મિલનભાઈ મહેતાનો કબ્જો છે તેવો નામદાર કોર્ટનો હુકમ છે તેવું તથા મહેતા એક્યુપ્રેશર નામનું બોર્ડ પણ આ બહેનોએ મકાન પર લગાવ્યું છે. તેમાં હીનાબેન મહેતા અને મોબાઈલ નંબર લખી ફક્ત બહેનો માટે કમર, ગુંટણના દુખાવાનું નિદાન કરવામાં આવશે તેવું લખેલું છે. અગાઉ જૂન 2020માં હીનાએ ચોકીદારની હાજરીમાં વાણીયાવાડીના મકાનમાં પગ તો મૂકી જુઓ તેવી ધમકી પણ આપી હોવાનું જણાવી પોતાની મરણ મૂડી સમાન મકાન પરત અપાવવા માંગ કરવામાં આવી છે.
વૃદ્ધ દ્વારા ગત 7 જાન્યુઆરીએ કલેકટરને અરજી કર્યા બાદ અંતે બંને ભાણેજ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. સૌરાષ્ટ્રમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે પ્રથમ વખત મહિલાઓ સામે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે. હાલ સમગ્ર મામલે પીઆઇ જે ડી ઝાલા, રાઇટર નિલેશભાઈ મકવાણા સહિતનાઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.