ગોઝારા અકસ્માતમાં ચણાકા ગામના 19 વર્ષીય ખુશાલ સંજયભાઈ ડોબરીયા અને 20 વર્ષીય કેવલ હર્ષદભાઈ ઉર્ફે હેમતભાઈ રાદડિયાએ પ્રાણ ગુમાવ્યા
ત્રણેય મિત્રો મંગળવારે બપોર બાદ વડિયા તાલુકાના બાંટવા દેવડી ગામે યોજાયેલા સંબંધીના સ્નેહમિલન કાર્યક્રમમાં ગયા હતા
શીતળા માતાજીના મંદિર પાસેના વળાંકે અકસ્માત સર્જાય
WatchGujarat. અમરનગર પાસે એક કાર વળાંક ન વળી શકતા ફંગોળાઈ 5 વખત પલટી જતા રસ્તાથી દૂર ફેંકાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારનાં ટાયર પણ નીકળી જતા કારનો બુકડો બોલી ગયો હતો. ગોઝારા અકસ્માતમાં ભેસાણ તાલુકાના ચણાકા ગામના બે વિદ્યાર્થી યુવાનનાં મોત થતાં અરેરાટી પ્રસરી ગઈ હતી. જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે રાજકોટ લાવવામાં આવ્યો છે.
જેતપુર તાલુકા પોલીસનાં જણાવ્યા મુજબ, ગોઝારા અકસ્માતમાં ચણાકા ગામના 19 વર્ષીય ખુશાલ સંજયભાઈ ડોબરીયા અને 20 વર્ષીય કેવલ હર્ષદભાઈ ઉર્ફે હેમતભાઈ રાદડિયાએ પ્રાણ ગુમાવ્યા હતા. જ્યારે નવા જાંજરીયા ગામનો 17 વર્ષનો પ્રિયેશ અલ્પેશભાઈ નસીત ગંભીર રીતે ઘવાયો હતો. આ ત્રણેય મિત્રો મંગળવારે બપોર બાદ વડિયા તાલુકાના બાંટવા દેવડી ગામે યોજાયેલા સંબંધીના સ્નેહમિલન કાર્યક્રમમાં ગયા હતા. અને ભોજન લીધા બાદ ત્રણેય યુવાનો, 'સોડા પીવા જઈએ છીએ' તેમ કહીને કારમાં નીકળ્યા હતા.
દરમિયાન અમરનગર પાસેથી તેઓ પોતાની કાર લઈને જતા હતા. પરંતુ પૂર ઝડપે જતી આ કાર ગામથી થોડે જ દૂર શીતળા માતાજીના મંદિર પાસેના વળાંકે પહોંચી ત્યારે ઊબડખાબડ રસતાને કારણે ગોળાઈ વળી ન શકતા હવામાં ફંગોળાઈને પાંચથી છ પલટી મારતી રોડ નીચે ઉતરીને રસ્તાથી સો ફૂટ દૂર મેદાન સુધી પહોંચી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં ખુશાલ અને કેવલ બંનેનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પ્રિયેશને ગંભીર હાલતમાં 108 મારફત હોસ્પિટલમાં ખસેડાયો હતો. ખુશાલ અને કેવલ બન્ને હાલ અભ્યાસ કરતા હતા. આશાસ્પદ યુવાનોના મોતને પગલે ચણાકા ગામમાં રહેતા એમના પરિવારમાં પણ માતમ છવાઈ ગયો છે.
ગોઝારા અકસ્માતમાં ચણાકા ગામના 19 વર્ષીય ખુશાલ સંજયભાઈ ડોબરીયા અને 20 વર્ષીય કેવલ હર્ષદભાઈ ઉર્ફે હેમતભાઈ રાદડિયાએ પ્રાણ ગુમાવ્યા
ત્રણેય મિત્રો મંગળવારે બપોર બાદ વડિયા તાલુકાના બાંટવા દેવડી ગામે યોજાયેલા સંબંધીના સ્નેહમિલન કાર્યક્રમમાં ગયા હતા
શીતળા માતાજીના મંદિર પાસેના વળાંકે અકસ્માત સર્જાય
WatchGujarat. અમરનગર પાસે એક કાર વળાંક ન વળી શકતા ફંગોળાઈ 5 વખત પલટી જતા રસ્તાથી દૂર ફેંકાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારનાં ટાયર પણ નીકળી જતા કારનો બુકડો બોલી ગયો હતો. ગોઝારા અકસ્માતમાં ભેસાણ તાલુકાના ચણાકા ગામના બે વિદ્યાર્થી યુવાનનાં મોત થતાં અરેરાટી પ્રસરી ગઈ હતી. જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે રાજકોટ લાવવામાં આવ્યો છે.
જેતપુર તાલુકા પોલીસનાં જણાવ્યા મુજબ, ગોઝારા અકસ્માતમાં ચણાકા ગામના 19 વર્ષીય ખુશાલ સંજયભાઈ ડોબરીયા અને 20 વર્ષીય કેવલ હર્ષદભાઈ ઉર્ફે હેમતભાઈ રાદડિયાએ પ્રાણ ગુમાવ્યા હતા. જ્યારે નવા જાંજરીયા ગામનો 17 વર્ષનો પ્રિયેશ અલ્પેશભાઈ નસીત ગંભીર રીતે ઘવાયો હતો. આ ત્રણેય મિત્રો મંગળવારે બપોર બાદ વડિયા તાલુકાના બાંટવા દેવડી ગામે યોજાયેલા સંબંધીના સ્નેહમિલન કાર્યક્રમમાં ગયા હતા. અને ભોજન લીધા બાદ ત્રણેય યુવાનો, 'સોડા પીવા જઈએ છીએ' તેમ કહીને કારમાં નીકળ્યા હતા.
દરમિયાન અમરનગર પાસેથી તેઓ પોતાની કાર લઈને જતા હતા. પરંતુ પૂર ઝડપે જતી આ કાર ગામથી થોડે જ દૂર શીતળા માતાજીના મંદિર પાસેના વળાંકે પહોંચી ત્યારે ઊબડખાબડ રસતાને કારણે ગોળાઈ વળી ન શકતા હવામાં ફંગોળાઈને પાંચથી છ પલટી મારતી રોડ નીચે ઉતરીને રસ્તાથી સો ફૂટ દૂર મેદાન સુધી પહોંચી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં ખુશાલ અને કેવલ બંનેનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પ્રિયેશને ગંભીર હાલતમાં 108 મારફત હોસ્પિટલમાં ખસેડાયો હતો. ખુશાલ અને કેવલ બન્ને હાલ અભ્યાસ કરતા હતા. આશાસ્પદ યુવાનોના મોતને પગલે ચણાકા ગામમાં રહેતા એમના પરિવારમાં પણ માતમ છવાઈ ગયો છે.