ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ભવ્ય રેલી યોજાયા બાદ નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે.
મેયર, રાજ્યસભા સાંસદ બાદ વધુ એક ધારાસભ્ય કોરોના પોઝિટીવ
રાજકોટ. શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે-દિવસે ઝડપથી વધી રહ્યું છે. તેમાં પણ સી.આર પાટીલનાં સ્વાગતમાં યોજાયેલ ભવ્ય રેલી બાદ ભાજપનાં એક પછી એક નેતાઓ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. અને તાજેતરમાં મેયર બીનાબેન આચાર્ય રાજયસભાના સાંસદ અભય ભારદ્વાજ સહિત ધારાસભ્ય અરવિંદ રૈયાણી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે આજે વધુ એક MLA ગોવિંદભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપમાં ગભરાટ વધ્યો છે.
ભાજપનાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ગત તારીખ 21-22 ઓગષ્ટનાં રોજ રાજકોટ આવ્યા હતા. આ દરમિયાન કોરોનાનાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના તમામ નિયમો નેવે મૂકીને સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે પાટીલનાં અહીંથી પરત ફર્યા બાદ નિયમોનો ઉલાળીયો કરનાર ભાજપનાં નેતાઓ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે.
થોડા દિવસો પૂર્વે રાજકોટનાં મેયર બીનાબેન આચાર્ય અને તેમના પતિ, રાજ્યસભા સાંસદ અભયભાઈ ભારદ્વાજ અને તેમનો પરિવાર, પોરબંદર સાંસદ રમેશ ધડુક અને પરિવાર, તેમજ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, સરગમ કલબ પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે હવે આ લિસ્ટમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલનું નામ ઉમેરાઈ ગયું છે.
અચાનક તબિયત નાદુરસ્ત થવાને કારણે કરાવેલો ગોવિંદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને લઈને તેઓ સ્ટાર સીનર્જી દ્વારા સંચાલિત પેટ્રીયા હોટલમાં આઇસોલેટ થયા છે. જો કે હાલ તેમને માત્ર સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. તેમની તબિયત સ્થિર હોવાનું પણ ડોક્ટરો જણાવી રહ્યા છે.
- ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ભવ્ય રેલી યોજાયા બાદ નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે.
- મેયર, રાજ્યસભા સાંસદ બાદ વધુ એક ધારાસભ્ય કોરોના પોઝિટીવ
રાજકોટ. શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે-દિવસે ઝડપથી વધી રહ્યું છે. તેમાં પણ સી.આર પાટીલનાં સ્વાગતમાં યોજાયેલ ભવ્ય રેલી બાદ ભાજપનાં એક પછી એક નેતાઓ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. અને તાજેતરમાં મેયર બીનાબેન આચાર્ય રાજયસભાના સાંસદ અભય ભારદ્વાજ સહિત ધારાસભ્ય અરવિંદ રૈયાણી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે આજે વધુ એક MLA ગોવિંદભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપમાં ગભરાટ વધ્યો છે.
ભાજપનાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ગત તારીખ 21-22 ઓગષ્ટનાં રોજ રાજકોટ આવ્યા હતા. આ દરમિયાન કોરોનાનાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના તમામ નિયમો નેવે મૂકીને સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે પાટીલનાં અહીંથી પરત ફર્યા બાદ નિયમોનો ઉલાળીયો કરનાર ભાજપનાં નેતાઓ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે.
થોડા દિવસો પૂર્વે રાજકોટનાં મેયર બીનાબેન આચાર્ય અને તેમના પતિ, રાજ્યસભા સાંસદ અભયભાઈ ભારદ્વાજ અને તેમનો પરિવાર, પોરબંદર સાંસદ રમેશ ધડુક અને પરિવાર, તેમજ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, સરગમ કલબ પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે હવે આ લિસ્ટમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલનું નામ ઉમેરાઈ ગયું છે.
અચાનક તબિયત નાદુરસ્ત થવાને કારણે કરાવેલો ગોવિંદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને લઈને તેઓ સ્ટાર સીનર્જી દ્વારા સંચાલિત પેટ્રીયા હોટલમાં આઇસોલેટ થયા છે. જો કે હાલ તેમને માત્ર સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. તેમની તબિયત સ્થિર હોવાનું પણ ડોક્ટરો જણાવી રહ્યા છે.