રાજકોટ. તાજેતરમાં જ અપરાધની બે સંગીન ઘટના સામે આવી છે. જેમાં રાપરમાં એડવોકેટ ધનજીભાઈ મહેશ્વરીની નિર્મમ હત્યા કરવામાં આવી છે. તો યુપીનાં હાથરસ ખાતે ગેંગરેપ કરાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે સ્વયંસૈનિક દળોએ આ બંને ઘટનાઓને વખોડી કાઢી છે. સાથે જ બંને ઘટનાઓમાં સંડોવાયેલા બધા આરોપીઓને ફાંસીને માંચડે લટકાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું છે.
સ્વયંસૈનિક દળનાં સભ્યોએ આજે સવારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ વિવિધ બેનરો સાથે રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અને રાજકોટ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. જેમાં 25 સપ્ટેમ્બરે કચ્છનાં રાપરમાં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની ઘાતકી હત્યા કરાઈ તેના તમામ ઝડપાયેલ આરોપીઓને ફાંસીની સજા માટેની માંગ કરી હતી.
આ ઉપરાંત ઉત્તરપ્રદેશના હાથરસમાં 14 સપ્ટેમ્બરના રોજ 19 વર્ષીય યુવતી ઉપર તેના જ ગામના ચાર જેટલા નરાધમોએ યુવતી પર બળાત્કાર ગુજારી તેની જીભ કાપી નાખી હતી. અને સારવાર દરમિયાન આ યુવતીનું મોત નીપજ્યું છે. તેના ફરાર આરોપીને ઝડપી લઈને તાત્કાલિક ફાંસીની સજા આપવાની માંગ કરી છે
રાજકોટ. તાજેતરમાં જ અપરાધની બે સંગીન ઘટના સામે આવી છે. જેમાં રાપરમાં એડવોકેટ ધનજીભાઈ મહેશ્વરીની નિર્મમ હત્યા કરવામાં આવી છે. તો યુપીનાં હાથરસ ખાતે ગેંગરેપ કરાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે સ્વયંસૈનિક દળોએ આ બંને ઘટનાઓને વખોડી કાઢી છે. સાથે જ બંને ઘટનાઓમાં સંડોવાયેલા બધા આરોપીઓને ફાંસીને માંચડે લટકાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું છે.
સ્વયંસૈનિક દળનાં સભ્યોએ આજે સવારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ વિવિધ બેનરો સાથે રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અને રાજકોટ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. જેમાં 25 સપ્ટેમ્બરે કચ્છનાં રાપરમાં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની ઘાતકી હત્યા કરાઈ તેના તમામ ઝડપાયેલ આરોપીઓને ફાંસીની સજા માટેની માંગ કરી હતી.
આ ઉપરાંત ઉત્તરપ્રદેશના હાથરસમાં 14 સપ્ટેમ્બરના રોજ 19 વર્ષીય યુવતી ઉપર તેના જ ગામના ચાર જેટલા નરાધમોએ યુવતી પર બળાત્કાર ગુજારી તેની જીભ કાપી નાખી હતી. અને સારવાર દરમિયાન આ યુવતીનું મોત નીપજ્યું છે. તેના ફરાર આરોપીને ઝડપી લઈને તાત્કાલિક ફાંસીની સજા આપવાની માંગ કરી છે