રાજકોટ : સમરસ હોસ્ટેલનાં કોવિડ કેર સેન્ટર ખાતે સદભાવના વૃધ્ધાશ્રમનાં 30 વૃદ્ધો કોરોનાને હરાવ્યો હતો. અને આજે આ તમામને ડિસ્ચાર્જ કરાયા હતા. આ દરમિયાન આંખમાં અવિરત અશ્રુધારા વહાવતા વૃદ્ધ માતા તેમજ સતત ધ્રુજતા હાથે અશકત વૃધ્ધ પી.પી.ઇ. કીટ પહેરેલા યુવાન અને યુવતીને વળગીને રડી પડ્યા હતા. જેને લઈ અનોખા ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. અને કઠણ કાળજાના માનવીનું હ્દય પણ કંપી ઉઠયું હતું.
આજરોજ રાજકોટની સમરસ હોસ્ટેલ ખાતેથી 56 થી માંડીને 80 વર્ષથી વધુ વયના સદભાવના વૃધ્ધાશ્રમના કુલ 30 જેટલા વૃધ્ધો કોરોનાના સંક્રમણથી મુકત થઇ નિર્ભીક અને સ્વસ્થ બનીને પરત ફરી રહ્યા હતા. ત્યારે આંખમાં આસું સાથે ડુમો ભરતા સ્વરે વૃધ્ધ ચંપાબેન નારણભાઈ પરમારે કહ્યું કે, આવા કપરા સમયમાં ઘરના લોકોય નથી સાચવતા અને અમને સદભાવના વૃધ્ધાશ્રમમાં મુકી ગયા હતા. તેમાં પણ અમને કાળમુખો કોરોના થયો હતો.
જો કે અહીં સમરસ હોસ્ટલમાં સગા દીકરા કરતાંય વધુ સારી રીતે સાચવે એવા અટેન્ડન્ટ દિકરા દિકરીઓએ રાત-દિવસ જોયા વગર અમારી સેવા કરી છે. ડોક્ટરો રાત્રે અગિયાર વાગ્યા સુધી આવીને ચેકિંગ કરી જતા, દવા આપી જતા. અમારી તબિયત જોવા કોઇ પોતીકું કહી શકાય તેવું નથી પણ અહીંના તમામ સ્ટાફે અમને બધાને પોતીકા બનાવી ખુબ જ સારી રીતે સાચવ્યા છે. આજે અમને સાજા કરીને પાછા અમારા આશ્રમમાં મોકલી રહ્યા છે. અમારા બધાય ઘરડાવનાં આશીર્વાદ છે કે, તેમની સાત પેઢીના લોકોને કોઈ ’દિ આવો રોગ ન થાય”
ડાયાબિટીસ અને ગેંગ્રીનના કારણે એક પગ ધરાવતા અને કોરોના સામે લડીને વિજેતા સાબિત થનાર 59 વર્ષીય હરીષભાઈ બગડાઇ કહે છે કે, અહીં 24 કલાક માણસો હાજર જ હોય છે. અને ખૂબ જ સારી રીતે સાચવે છે. ક્યારેક રાતે બે વાગ્યે પેશાબ-પાણી માટે જાગીને સાદ કરીએ તો પણ તરત જ આવીને હાથ ઝાલી મદદ કરે છે. અટેન્ડન્ટ ભાઈઓ, અમારામાંથી બે–ત્રણ લોકોને જરૂર પડ્યે નવરાવી, પોતાના હાથે જમાડી અને બેડ સુધી મુકી પણ જતા હતા. આ ઘોર કળિયુગમાં પોતાના પણ ન કરે એવી સેવા અહીંના એટેન્ડન્ટોએ કરી છે.
સદભાવનાનાં આ વૃધ્ધ દર્દીઓની સેવા કરીને પોતાના મા-બાપની સેવા કર્યાનો સંતોષ વ્યક્ત કરતા એટેન્ડન્ટ પાથર મિત્તલ જણાવે છે કે, હું એટેન્ડન્ટ તરીકે સેવા બજાવું છું. અહીંયા આવેલા આ વડીલોની તમામ જરૂરીયાતને સમજી દીવસ રાત તેઓ સાથ રહીને તે પુરી કરવામાં અમને અનેરો આનંદ પ્રાપ્ત થયો છે. આટલા દિવસોનો તેમના સંગાથને કારણે તેઓ સાથે આત્મીયતા બંધાઇ ગઇ છે. તેઓ પરત સાજા થઇને તેમના નિવાસસ્થાને જઇ રહયા છે. ત્યારે અમને મળી અંતરના આર્શીવાદ સાથે આનંદ વ્યકત કર્યો છે. તે મારા માટે આજીવન સંભારણું બની રહેશે.
તો છેલ્લા થોડા દિવસથી કોવિડ મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા ડો. કોકિલા મકવાણા જણાવે છે કે, સદભાવના સંસ્થામાંથી આવેલા વૃધ્ધોની સેવા કરતા મને એવુ જ લાગે છે કે, હું મારા દાદા-દાદીની સેવા કરું છું. આજે તેઓ ડીસ્ચાર્જ થઈને જઈ રહ્યા છે તેની ખુબ જ ખુશી છે પણ તેઓની યાદ પણ બહુ જ આવશે. ઈશ્વરને મારી પ્રાર્થના છે કે, તેમને ક્યારેય ડોક્ટરોની કે દવાની જરૂર ના પડે અને તંદુરસ્ત તેમજ સુખમય જીવન પસાર કરી શકે.
રાજકોટ : સમરસ હોસ્ટેલનાં કોવિડ કેર સેન્ટર ખાતે સદભાવના વૃધ્ધાશ્રમનાં 30 વૃદ્ધો કોરોનાને હરાવ્યો હતો. અને આજે આ તમામને ડિસ્ચાર્જ કરાયા હતા. આ દરમિયાન આંખમાં અવિરત અશ્રુધારા વહાવતા વૃદ્ધ માતા તેમજ સતત ધ્રુજતા હાથે અશકત વૃધ્ધ પી.પી.ઇ. કીટ પહેરેલા યુવાન અને યુવતીને વળગીને રડી પડ્યા હતા. જેને લઈ અનોખા ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. અને કઠણ કાળજાના માનવીનું હ્દય પણ કંપી ઉઠયું હતું.
આજરોજ રાજકોટની સમરસ હોસ્ટેલ ખાતેથી 56 થી માંડીને 80 વર્ષથી વધુ વયના સદભાવના વૃધ્ધાશ્રમના કુલ 30 જેટલા વૃધ્ધો કોરોનાના સંક્રમણથી મુકત થઇ નિર્ભીક અને સ્વસ્થ બનીને પરત ફરી રહ્યા હતા. ત્યારે આંખમાં આસું સાથે ડુમો ભરતા સ્વરે વૃધ્ધ ચંપાબેન નારણભાઈ પરમારે કહ્યું કે, આવા કપરા સમયમાં ઘરના લોકોય નથી સાચવતા અને અમને સદભાવના વૃધ્ધાશ્રમમાં મુકી ગયા હતા. તેમાં પણ અમને કાળમુખો કોરોના થયો હતો.
જો કે અહીં સમરસ હોસ્ટલમાં સગા દીકરા કરતાંય વધુ સારી રીતે સાચવે એવા અટેન્ડન્ટ દિકરા દિકરીઓએ રાત-દિવસ જોયા વગર અમારી સેવા કરી છે. ડોક્ટરો રાત્રે અગિયાર વાગ્યા સુધી આવીને ચેકિંગ કરી જતા, દવા આપી જતા. અમારી તબિયત જોવા કોઇ પોતીકું કહી શકાય તેવું નથી પણ અહીંના તમામ સ્ટાફે અમને બધાને પોતીકા બનાવી ખુબ જ સારી રીતે સાચવ્યા છે. આજે અમને સાજા કરીને પાછા અમારા આશ્રમમાં મોકલી રહ્યા છે. અમારા બધાય ઘરડાવનાં આશીર્વાદ છે કે, તેમની સાત પેઢીના લોકોને કોઈ ’દિ આવો રોગ ન થાય”
ડાયાબિટીસ અને ગેંગ્રીનના કારણે એક પગ ધરાવતા અને કોરોના સામે લડીને વિજેતા સાબિત થનાર 59 વર્ષીય હરીષભાઈ બગડાઇ કહે છે કે, અહીં 24 કલાક માણસો હાજર જ હોય છે. અને ખૂબ જ સારી રીતે સાચવે છે. ક્યારેક રાતે બે વાગ્યે પેશાબ-પાણી માટે જાગીને સાદ કરીએ તો પણ તરત જ આવીને હાથ ઝાલી મદદ કરે છે. અટેન્ડન્ટ ભાઈઓ, અમારામાંથી બે–ત્રણ લોકોને જરૂર પડ્યે નવરાવી, પોતાના હાથે જમાડી અને બેડ સુધી મુકી પણ જતા હતા. આ ઘોર કળિયુગમાં પોતાના પણ ન કરે એવી સેવા અહીંના એટેન્ડન્ટોએ કરી છે.
સદભાવનાનાં આ વૃધ્ધ દર્દીઓની સેવા કરીને પોતાના મા-બાપની સેવા કર્યાનો સંતોષ વ્યક્ત કરતા એટેન્ડન્ટ પાથર મિત્તલ જણાવે છે કે, હું એટેન્ડન્ટ તરીકે સેવા બજાવું છું. અહીંયા આવેલા આ વડીલોની તમામ જરૂરીયાતને સમજી દીવસ રાત તેઓ સાથ રહીને તે પુરી કરવામાં અમને અનેરો આનંદ પ્રાપ્ત થયો છે. આટલા દિવસોનો તેમના સંગાથને કારણે તેઓ સાથે આત્મીયતા બંધાઇ ગઇ છે. તેઓ પરત સાજા થઇને તેમના નિવાસસ્થાને જઇ રહયા છે. ત્યારે અમને મળી અંતરના આર્શીવાદ સાથે આનંદ વ્યકત કર્યો છે. તે મારા માટે આજીવન સંભારણું બની રહેશે.
તો છેલ્લા થોડા દિવસથી કોવિડ મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા ડો. કોકિલા મકવાણા જણાવે છે કે, સદભાવના સંસ્થામાંથી આવેલા વૃધ્ધોની સેવા કરતા મને એવુ જ લાગે છે કે, હું મારા દાદા-દાદીની સેવા કરું છું. આજે તેઓ ડીસ્ચાર્જ થઈને જઈ રહ્યા છે તેની ખુબ જ ખુશી છે પણ તેઓની યાદ પણ બહુ જ આવશે. ઈશ્વરને મારી પ્રાર્થના છે કે, તેમને ક્યારેય ડોક્ટરોની કે દવાની જરૂર ના પડે અને તંદુરસ્ત તેમજ સુખમય જીવન પસાર કરી શકે.