રાજકોટ. આજે શહેરનાં જિલ્લા પંચાયત ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સ્કૂલ ફીનાં મુદ્દે ઉગ્ર વિરોધ કરાયો હતો. જેમાં "શિક્ષણ નહીં તો ફી નહીં" સહિત વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે 'આપ' આગેવાનો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન આ અંગેની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. અને વિરોધ કરી રહેલા તમામની અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા. જો કે આપ દ્વારા ત્યાં પણ રામધૂન બોલાવવામાં આવી હતી.
આ તકે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનાં હાથમાં વિવિધ બેનરો જોવા મળ્યા હતા. જેમાં 'શિક્ષણ નહીં તો ફી નહીં', 'શાળા સંચાલકોનો નિભાવ ખર્ચ સરકાર ભોગવે' તેમજ 'માસ્ક ન પહેરવાનો દંડ રૂ. 1000 તો કરોડોની ફી બાબત સરકાર ચૂપ કેમ ?' સહિતના સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. તેમજ આવા સૂત્રોચ્ચાર સાથે આપ દ્વારા સરકાર પાસે ફી માફીની માંગ કરાઈ હતી.
આ તકે આમ આદમી પાર્ટીનાં શહેર પ્રમુખ રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ગુજરાત વાલી મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી ફી મુદ્દે સરકારને રજુઆત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં હાઇકોર્ટ દ્વારા પણ ગુજરાત સરકારને ફટકાર લગાવવામાં આવી હતી અને આવા તમામ નીતિવિષયક નિર્ણયો સરકારે લેવા જણાવાયું હતું. છતાં કહેવાતી સંવેદનશીલ સરકાર દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય જાહેર કરતી નથી.
રૂપાણી સરકાર અને શાળા સંચાલકો વચ્ચે ચાલતી સાંઠગાંઠનો ભોગ વિદ્યાર્થીઓ અને વાલીઓ બને છે. જેને લઈને વાલીઓમાં પણ સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તેમના રોષને વાચા આપવા અને વાલીઓનો અવાજ સરકારનાં બહેરા કાન સુધી પહોંચાડવા માટે વિરોધ પ્રદર્શનનાં કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું પણ તેમણે કહ્યું હતું.
રાજકોટ. આજે શહેરનાં જિલ્લા પંચાયત ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સ્કૂલ ફીનાં મુદ્દે ઉગ્ર વિરોધ કરાયો હતો. જેમાં "શિક્ષણ નહીં તો ફી નહીં" સહિત વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે 'આપ' આગેવાનો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન આ અંગેની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. અને વિરોધ કરી રહેલા તમામની અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા. જો કે આપ દ્વારા ત્યાં પણ રામધૂન બોલાવવામાં આવી હતી.
આ તકે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનાં હાથમાં વિવિધ બેનરો જોવા મળ્યા હતા. જેમાં 'શિક્ષણ નહીં તો ફી નહીં', 'શાળા સંચાલકોનો નિભાવ ખર્ચ સરકાર ભોગવે' તેમજ 'માસ્ક ન પહેરવાનો દંડ રૂ. 1000 તો કરોડોની ફી બાબત સરકાર ચૂપ કેમ ?' સહિતના સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. તેમજ આવા સૂત્રોચ્ચાર સાથે આપ દ્વારા સરકાર પાસે ફી માફીની માંગ કરાઈ હતી.
આ તકે આમ આદમી પાર્ટીનાં શહેર પ્રમુખ રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ગુજરાત વાલી મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી ફી મુદ્દે સરકારને રજુઆત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં હાઇકોર્ટ દ્વારા પણ ગુજરાત સરકારને ફટકાર લગાવવામાં આવી હતી અને આવા તમામ નીતિવિષયક નિર્ણયો સરકારે લેવા જણાવાયું હતું. છતાં કહેવાતી સંવેદનશીલ સરકાર દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય જાહેર કરતી નથી.
રૂપાણી સરકાર અને શાળા સંચાલકો વચ્ચે ચાલતી સાંઠગાંઠનો ભોગ વિદ્યાર્થીઓ અને વાલીઓ બને છે. જેને લઈને વાલીઓમાં પણ સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તેમના રોષને વાચા આપવા અને વાલીઓનો અવાજ સરકારનાં બહેરા કાન સુધી પહોંચાડવા માટે વિરોધ પ્રદર્શનનાં કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું પણ તેમણે કહ્યું હતું.