રાજકોટ. આજરોજ શહેરનાં કોટેચા ચોકમાં જિલ્લા NSUI દ્વારા એક સત્રની સ્કૂલ ફી માફ કરવાની માંગ સાથે રસ્તા પર બેસી ચક્કાજામ કરાયો હતો. સાથે જ હાઇકોર્ટની ટકોર છતાં ગુજરાત સરકાર ફી મુદ્દે કોઈ સ્પષ્ટ નિર્ણય લેતી ન હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને પોલીસે ચક્કાજામ કરતા NSUIનાં 15 જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી છે. કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક કરવામાં આવ્યું ચક્કાજામ
NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, કોરાનાની મહામારી વચ્ચે શાળા-કોલેજો બંધ હોવા તેમજ રોજગાર-ધંધાઓમા મંદીનાં કારણોસર સમ્રગ રાજ્યના વાલીઓમાં ફી માફી માંગણીઓ ઉઠી છે. પંરતુ રાજ્યસરકાર વાલીઓને લોલીપોપ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. અને તેનું એકમાત્ર કારણ ખાનગી શાળા-કોલેજોના સંચાલકો સાથે સરકારની સાંઠગાંઠ હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. સ્પષ્ટપણે દેખાય આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હજુ શાળા-કોલેજો ક્યારે શરૂ થશે તે કહેવુ મુશ્કેલ છે.ત્યારે સરકારની જવાબદારી છે કે, આવા સંવેદનશીલ મુદાઓ પર સકારાત્મક વલણ દાખવવું જોઈએ. પરંતુ નામદાર હાઇકોર્ટની ટકોર છતાં સરકારના પેટનું પાણી શા માટે હલતું નથી ? તે પણ મોટો સવાલ છે. ઉદ્યોગપતિઓ માટે સરકાર આર્થિક સહાય કરે છે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કેમ નહી ?
સહિતનાં સવાલો ઉઠાવી રોહિતસિંહ એક સત્રની ફી માફ કરવાની માંગ કરી છે. સાથે જ સમ્રગ રાજ્યમાં NSUI વિદ્યાર્થીઓની ખાનગી શાળા- કોલેજોની એક સત્રની ફી માફી નહી મળે ત્યા સુધી વાલોઓને સાથે રાખી અલગ અલગ પ્રકારના વિરોધ પ્રદર્શનો અને કાર્યક્રમો આપવાનું ચાલુ રાખનાર હોવાનું પણ તેમણે કહ્યું છે
રાજકોટ. આજરોજ શહેરનાં કોટેચા ચોકમાં જિલ્લા NSUI દ્વારા એક સત્રની સ્કૂલ ફી માફ કરવાની માંગ સાથે રસ્તા પર બેસી ચક્કાજામ કરાયો હતો. સાથે જ હાઇકોર્ટની ટકોર છતાં ગુજરાત સરકાર ફી મુદ્દે કોઈ સ્પષ્ટ નિર્ણય લેતી ન હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને પોલીસે ચક્કાજામ કરતા NSUIનાં 15 જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી છે. કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક કરવામાં આવ્યું ચક્કાજામ
NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, કોરાનાની મહામારી વચ્ચે શાળા-કોલેજો બંધ હોવા તેમજ રોજગાર-ધંધાઓમા મંદીનાં કારણોસર સમ્રગ રાજ્યના વાલીઓમાં ફી માફી માંગણીઓ ઉઠી છે. પંરતુ રાજ્યસરકાર વાલીઓને લોલીપોપ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. અને તેનું એકમાત્ર કારણ ખાનગી શાળા-કોલેજોના સંચાલકો સાથે સરકારની સાંઠગાંઠ હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. સ્પષ્ટપણે દેખાય આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હજુ શાળા-કોલેજો ક્યારે શરૂ થશે તે કહેવુ મુશ્કેલ છે.ત્યારે સરકારની જવાબદારી છે કે, આવા સંવેદનશીલ મુદાઓ પર સકારાત્મક વલણ દાખવવું જોઈએ. પરંતુ નામદાર હાઇકોર્ટની ટકોર છતાં સરકારના પેટનું પાણી શા માટે હલતું નથી ? તે પણ મોટો સવાલ છે. ઉદ્યોગપતિઓ માટે સરકાર આર્થિક સહાય કરે છે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કેમ નહી ?
સહિતનાં સવાલો ઉઠાવી રોહિતસિંહ એક સત્રની ફી માફ કરવાની માંગ કરી છે. સાથે જ સમ્રગ રાજ્યમાં NSUI વિદ્યાર્થીઓની ખાનગી શાળા- કોલેજોની એક સત્રની ફી માફી નહી મળે ત્યા સુધી વાલોઓને સાથે રાખી અલગ અલગ પ્રકારના વિરોધ પ્રદર્શનો અને કાર્યક્રમો આપવાનું ચાલુ રાખનાર હોવાનું પણ તેમણે કહ્યું છે