રાજકોટ. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ જિલ્લા ડેરીમાં કર્મચારીઓની ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે. ભારતીય કિસાન સંઘે આ ભ્રષ્ટાચાર ખુદ ચેરમેને કર્યો હોવાનો સણસણતો આરોપ લગાવ્યો છે. અને ચેરમેન ગોવિંદ રાણપરિયા સગાવાદ ચલાવતા હોવાને કારણે જિલ્લાનાં કુલ 594 ગામ પૈકી ચેરમેનનાં એકમાત્ર સાજડીયાળી ગામના 28 કર્મચારીઓની મુખ્ય વિભાગમાં ભરતી થયાનું જણાવ્યું હતું. અને આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની રજુઆત કરવામાં આવી છે.
ભારતીય કિસાન સંઘનાં પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરિયાએ પોતાના ગામના જ 28 કર્મચારીઓની મુખ્ય વિભાગમાં ભરતી કરી છે. આ ઉપરાંત જિલ્લાનાં પશુપાલકોને દૂધનો યોગ્ય ભાવ રાજકોટ ડેરી દ્વારા આપવામાં ન આવતો હોવાનો આક્ષેપ કરતા આ બાબતોને લઈને માલધારીઓ અને ખેડૂતોમાં રોષ હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજકોટ ડેરીમાં કેટલાક ઉમેદવારોનાં ફોર્મ રિજેકટ થવાની સંભાવના છે. ત્યારે આ અંગેનો ચૂકાદો ન આવે ત્યાં સુધી ડેરીમાં કોઈ વહીવટદારની નિમણૂક કરવી જરૂરી બની ગઈ હોવાથી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી વહીવટદારની નિમણુંક કરવાની માંગ પણ તેમણે કરી હતી. રજૂઆત વખતે કિસાન સંઘ દ્વારા વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો
રાજકોટ. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ જિલ્લા ડેરીમાં કર્મચારીઓની ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે. ભારતીય કિસાન સંઘે આ ભ્રષ્ટાચાર ખુદ ચેરમેને કર્યો હોવાનો સણસણતો આરોપ લગાવ્યો છે. અને ચેરમેન ગોવિંદ રાણપરિયા સગાવાદ ચલાવતા હોવાને કારણે જિલ્લાનાં કુલ 594 ગામ પૈકી ચેરમેનનાં એકમાત્ર સાજડીયાળી ગામના 28 કર્મચારીઓની મુખ્ય વિભાગમાં ભરતી થયાનું જણાવ્યું હતું. અને આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની રજુઆત કરવામાં આવી છે.
ભારતીય કિસાન સંઘનાં પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરિયાએ પોતાના ગામના જ 28 કર્મચારીઓની મુખ્ય વિભાગમાં ભરતી કરી છે. આ ઉપરાંત જિલ્લાનાં પશુપાલકોને દૂધનો યોગ્ય ભાવ રાજકોટ ડેરી દ્વારા આપવામાં ન આવતો હોવાનો આક્ષેપ કરતા આ બાબતોને લઈને માલધારીઓ અને ખેડૂતોમાં રોષ હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજકોટ ડેરીમાં કેટલાક ઉમેદવારોનાં ફોર્મ રિજેકટ થવાની સંભાવના છે. ત્યારે આ અંગેનો ચૂકાદો ન આવે ત્યાં સુધી ડેરીમાં કોઈ વહીવટદારની નિમણૂક કરવી જરૂરી બની ગઈ હોવાથી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી વહીવટદારની નિમણુંક કરવાની માંગ પણ તેમણે કરી હતી. રજૂઆત વખતે કિસાન સંઘ દ્વારા વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો