દિવાળીના પર્વ નિમિત્તે યોજાનાર સમૂહયજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો જોવાવવાની સંભાવના
યજ્ઞ પછી કષ્ટભંજન દેવ હનુમાનજીને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવવામાં આવશે
વાઘા વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા
સાળંગપુર. દિવાળીના પર્વ નિમિત્તે સમૂહયજ્ઞ પછી કષ્ટભંજન દેવ હનુમાનજીને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવવામાં આવશે. ખાસ તૈયાર કરવામાં આવેલા સુવર્ણ અને હીરાજડિત વાઘા 8 કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવ્યા છે, જેની કિંમત રૂ. 6.50 કરોડ જેટલી થવા પામે છે. શ્રી કષ્ટભંજન દેવનાં મુગટ અને કુંડળમાં રિયલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે. જેની કિંમત અંદાજે રૂ. 1 કરોડ છે.
સાળંગપુર મંદિરને આ વાઘા વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. આ સુવર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.
કષ્ટભંજન દેવ માટે તૈયાર કરાયેલા સુવર્ણ - હીરાજડિત વાઘાની ખાસીયત
સાળંગપુર મંદિરમાં અર્પણ કરવામાં આવેલા સુવર્ણ વાઘા 8 કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવ્યા છે. વાઘાને તૈયાર થતાં 1 વર્ષ જેટલો સમય લાગ્યો છે. 22 જેટલા મુખ્ય ડિઝાઇનર અને આર્ટિસ્ટ સાથે મળી 100 જેટલા સોનીઓએ કામ કર્યું છે. અને તૈયાર થવામાં આશરે 1050 માનવ કલાક જેટલો સમય લાગ્યો છે. એને સ્વામિનારાયણ જ્વેલ નામની કંપની પાસે બનાવડાવ્યા છે.
સુવર્ણ વાઘા એ અર્વાચીન,પ્રાચીન સુવર્ણ કળાનું કોમ્બિનેશન છે. વાઘામાં રિયલ ડાયમંડ,એમરલ્ડ સ્ટોન અને રિયલ રુબિ જડેલું છે. એ ઉપરાંત તેમાં 3D WORK- બિકાનેરી મીણો- પેન્ટિંગ મીણો- ફિલિગ્રી વર્ક પણ છે અને સોરોસ્કી જડેલું છે. સુવર્ણ વાઘાની પ્રથમ ડિઝાઇન કરવા માટે સ્પેશિયલ ડિઝાઇનરોની ટીમ અપોઇન્ટ કરવામાં આવી હતી. ઘણીબધી ડિઝાઇન બનાવી- તપાસી- સમયાંતરે સંતોના માર્ગદર્શનથી ફાઈનલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.
પ્રસંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગાદિપતિ રાકેશપ્રસાદ મહારાજ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા.
દિવાળીના પર્વ નિમિત્તે યોજાનાર સમૂહયજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો જોવાવવાની સંભાવના
યજ્ઞ પછી કષ્ટભંજન દેવ હનુમાનજીને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવવામાં આવશે
વાઘા વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા
સાળંગપુર. દિવાળીના પર્વ નિમિત્તે સમૂહયજ્ઞ પછી કષ્ટભંજન દેવ હનુમાનજીને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવવામાં આવશે. ખાસ તૈયાર કરવામાં આવેલા સુવર્ણ અને હીરાજડિત વાઘા 8 કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવ્યા છે, જેની કિંમત રૂ. 6.50 કરોડ જેટલી થવા પામે છે. શ્રી કષ્ટભંજન દેવનાં મુગટ અને કુંડળમાં રિયલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે. જેની કિંમત અંદાજે રૂ. 1 કરોડ છે.
સાળંગપુર મંદિરને આ વાઘા વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. આ સુવર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.
કષ્ટભંજન દેવ માટે તૈયાર કરાયેલા સુવર્ણ - હીરાજડિત વાઘાની ખાસીયત
સાળંગપુર મંદિરમાં અર્પણ કરવામાં આવેલા સુવર્ણ વાઘા 8 કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવ્યા છે. વાઘાને તૈયાર થતાં 1 વર્ષ જેટલો સમય લાગ્યો છે. 22 જેટલા મુખ્ય ડિઝાઇનર અને આર્ટિસ્ટ સાથે મળી 100 જેટલા સોનીઓએ કામ કર્યું છે. અને તૈયાર થવામાં આશરે 1050 માનવ કલાક જેટલો સમય લાગ્યો છે. એને સ્વામિનારાયણ જ્વેલ નામની કંપની પાસે બનાવડાવ્યા છે.
સુવર્ણ વાઘા એ અર્વાચીન,પ્રાચીન સુવર્ણ કળાનું કોમ્બિનેશન છે. વાઘામાં રિયલ ડાયમંડ,એમરલ્ડ સ્ટોન અને રિયલ રુબિ જડેલું છે. એ ઉપરાંત તેમાં 3D WORK- બિકાનેરી મીણો- પેન્ટિંગ મીણો- ફિલિગ્રી વર્ક પણ છે અને સોરોસ્કી જડેલું છે. સુવર્ણ વાઘાની પ્રથમ ડિઝાઇન કરવા માટે સ્પેશિયલ ડિઝાઇનરોની ટીમ અપોઇન્ટ કરવામાં આવી હતી. ઘણીબધી ડિઝાઇન બનાવી- તપાસી- સમયાંતરે સંતોના માર્ગદર્શનથી ફાઈનલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.
પ્રસંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગાદિપતિ રાકેશપ્રસાદ મહારાજ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા.