દિવાળીની રાતે 8 થી 10 અને નૂતનવર્ષને વધાવવા રાતે 11:55 થી 12:30 દરમિયાન ફટાકડા ફોડવા મંજુરી અપાઇ
મનોજ અગ્રવાલે વિડીયો મેસેજનાં માધ્યમથી રંગીલા રાજકોટવાસીઓને દિવાળી અને નૂતનવર્ષના તહેવારની શુભેચ્છાઓ આપી છે. સાથે તહેવારની ઉજવણીમાં કાયદા, અને નિયમોનું કડક પાલન કરવા અનુરોધ પણ કર્યો
શહેરમાં શાંતિ અને સલામતી જળવાઇ રહે તે માટે 3000થી વધુ જવાનો પોલીસ અધિકારીઓની રાહબરીમાં ફૂટ પેટ્રોલીંગ કરી રહ્યા છે.
રાજકોટ. કોરોનાની મહામારીને ધ્યાને રાખીને અનેક રાજ્યોમાં ફટાકડા ફોડવા ઉપર જ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. પરંતુ રાજકોટમાં ફટાકડા ફોડવાની છુટ છે. આ માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા એક જાહેરનામું બહાર પાડી દિવાળીની રાતે 8 થી 10 અને નૂતનવર્ષને વધાવવા રાતે 11:55 થી 12:30 દરમિયાન ફટાકડા ફોડવા જણાવાયું છે. ત્યારે આજે મનોજ અગ્રવાલે વિડીયો મેસેજનાં માધ્યમથી રંગીલા રાજકોટવાસીઓને દિવાળી અને નૂતનવર્ષના તહેવારની શુભેચ્છાઓ આપી છે. સાથે તહેવારની ઉજવણીમાં કાયદા, અને નિયમોનું કડક પાલન કરવા અનુરોધ પણ કર્યો છે. અને નિયમોનું ઉલંઘન કરનારા સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે તેવું પણ જણાવ્યું છે.
મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોના કન્ટ્રોલમાં આવી રહ્યો છે. તેમાં નગરજનોની સાવચેતી પણ એટલી જ જવાબદાર છે. શહેરીજનોએ હંમેશા પોલીસને સહકાર આપ્યો છે. ત્યારે દિવાળી તેમજ નવા વર્ષનાં તહેવારમાં પણ નગરજનોને ખાસ વિનંતી છે કે પોલીસના જાહેરનામાનો કડક અમલ કરવો. અને કેન્દ્ર સરકાર, સુપ્રિમ કોર્ટનાં આદેશ અનુસાર રાજ્ય સરકારે જે માર્ગદર્શિકા બહાર પાડી છે, તે મુજબ દિવાળીએ રાતે 2 કલાક અને બેસતા વર્ષને વધાવવા 35 મિનીટ સુધી ફટાકડા ફોડવા. જેમાં જાહેર રોડ રસ્તા, પેટ્રોલ પંપનાં 100 મીટર નજીક કે હોસ્પિટલ નજીક ફટાકડા ન ફોડવાની અપીલ પણ તેમણે કરી છે.
https://youtu.be/_0Kl8Bd6Bjc
વધુમાં તેમણે જણાવ્યું છે કે, હાલ 400 વેપારીઓને ફટાકડાનું વેંચાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. સાથે આ નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. શહેરમાં શાંતિ અને સલામતી જળવાઇ રહે તે માટે 3000થી વધુ જવાનો પોલીસ અધિકારીઓની રાહબરીમાં ફૂટ પેટ્રોલીંગ કરી રહ્યા છે. અને બજારોમાં પણ ખાનગી ડ્રેસમાં પોલીસ સતત વોચ રાખી રહી હોવાનું પણ પોલીસ કમિશ્નરે જણાવ્યું છે.
દિવાળીની રાતે 8 થી 10 અને નૂતનવર્ષને વધાવવા રાતે 11:55 થી 12:30 દરમિયાન ફટાકડા ફોડવા મંજુરી અપાઇ
મનોજ અગ્રવાલે વિડીયો મેસેજનાં માધ્યમથી રંગીલા રાજકોટવાસીઓને દિવાળી અને નૂતનવર્ષના તહેવારની શુભેચ્છાઓ આપી છે. સાથે તહેવારની ઉજવણીમાં કાયદા, અને નિયમોનું કડક પાલન કરવા અનુરોધ પણ કર્યો
શહેરમાં શાંતિ અને સલામતી જળવાઇ રહે તે માટે 3000થી વધુ જવાનો પોલીસ અધિકારીઓની રાહબરીમાં ફૂટ પેટ્રોલીંગ કરી રહ્યા છે.
રાજકોટ. કોરોનાની મહામારીને ધ્યાને રાખીને અનેક રાજ્યોમાં ફટાકડા ફોડવા ઉપર જ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. પરંતુ રાજકોટમાં ફટાકડા ફોડવાની છુટ છે. આ માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા એક જાહેરનામું બહાર પાડી દિવાળીની રાતે 8 થી 10 અને નૂતનવર્ષને વધાવવા રાતે 11:55 થી 12:30 દરમિયાન ફટાકડા ફોડવા જણાવાયું છે. ત્યારે આજે મનોજ અગ્રવાલે વિડીયો મેસેજનાં માધ્યમથી રંગીલા રાજકોટવાસીઓને દિવાળી અને નૂતનવર્ષના તહેવારની શુભેચ્છાઓ આપી છે. સાથે તહેવારની ઉજવણીમાં કાયદા, અને નિયમોનું કડક પાલન કરવા અનુરોધ પણ કર્યો છે. અને નિયમોનું ઉલંઘન કરનારા સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે તેવું પણ જણાવ્યું છે.
મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોના કન્ટ્રોલમાં આવી રહ્યો છે. તેમાં નગરજનોની સાવચેતી પણ એટલી જ જવાબદાર છે. શહેરીજનોએ હંમેશા પોલીસને સહકાર આપ્યો છે. ત્યારે દિવાળી તેમજ નવા વર્ષનાં તહેવારમાં પણ નગરજનોને ખાસ વિનંતી છે કે પોલીસના જાહેરનામાનો કડક અમલ કરવો. અને કેન્દ્ર સરકાર, સુપ્રિમ કોર્ટનાં આદેશ અનુસાર રાજ્ય સરકારે જે માર્ગદર્શિકા બહાર પાડી છે, તે મુજબ દિવાળીએ રાતે 2 કલાક અને બેસતા વર્ષને વધાવવા 35 મિનીટ સુધી ફટાકડા ફોડવા. જેમાં જાહેર રોડ રસ્તા, પેટ્રોલ પંપનાં 100 મીટર નજીક કે હોસ્પિટલ નજીક ફટાકડા ન ફોડવાની અપીલ પણ તેમણે કરી છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે, હાલ 400 વેપારીઓને ફટાકડાનું વેંચાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. સાથે આ નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. શહેરમાં શાંતિ અને સલામતી જળવાઇ રહે તે માટે 3000થી વધુ જવાનો પોલીસ અધિકારીઓની રાહબરીમાં ફૂટ પેટ્રોલીંગ કરી રહ્યા છે. અને બજારોમાં પણ ખાનગી ડ્રેસમાં પોલીસ સતત વોચ રાખી રહી હોવાનું પણ પોલીસ કમિશ્નરે જણાવ્યું છે.