ઘરે તેમના અંતિમ દર્શન માટે તેમજ સ્મશાને લઈ જવા માટે નજીકના સગા વ્હાલઓ એકઠા થયા, જો કે સ્મશાન ખાતે ફરજ બજાવનાર કર્મીએ મૃતદેહ કોરોના સંક્રમિત હોવાનું કહ્યુ – નિલેશભાઈ રાણપરા
સ્મશાનેથી મૃતદેહને પરત લાવ્યા બાદ પરિવારજનોએ કલાકો સુધી તેમને દોશી હોસ્પિટલ ખાતે રાહ જોવી પડી
મૃતદેહ પાછો આવતા હોસ્પિટલ તંત્ર પણ ક્ષોભમાં મુકાયું
હોસ્પિટલ તંત્ર ની ભૂલના કારણે અનેક માનવીય જિંદગી કોરોના શિકાર બની શકે તેમ છે
Watchgujarat. શહેરમાં ફરી એક વખત હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે. જેમાં દોશી હોસ્પિટલ દ્વારા કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ નિપજતા પરિવારને વૃદ્ધાનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. વૃદ્ધા કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે તે વાતથી અજાણ પરિવારજનો મૃતદેહ સ્વીકાર્યા બાદ તેને ઘરે લઈ જઈ રીતિરિવાજ મુજબ ઘરે કરવામાં આવતી વિધિઓ પણ કરી હતી. ત્યાંથી મૃતદેહને અંતિમ સંસ્કાર અર્થે સ્મશાન ખાતે પણ લઈ જવામાં આવતા ભાંડો ફૂટ્યો હતો. તેમજ દોશી હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલો મરણનો દાખલો જોતા સ્મશાનમાં ફરજ બજાવતા કર્મચારીએ આ મૃતદેહ કોરોનાગ્રસ્ત હોવાનું જણાવતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો.
મીડિયા સાથેની વાતચીતમાં નિલેશભાઈ રાણપરાએ જણાવ્યું હતું કે, મારી માતા પુષ્પાબેન રાણપરાને ત્રણ તારીખના રોજ દોશી હોસ્પિટલ ખાતે એડમીટ કરવામાં આવ્યા હતા. એડમિટ કરતા સમયે તેમનો કોરોનાનો રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 6 તારીખ ના રોજ તેમને ઓક્સિજનની કમી થતાં તેમને ઓક્સિજન આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે આજરોજ સવારમાં મારા પુત્રએ મને જણાવ્યું હતું કે દાદીને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. ત્યારે બપોરના એકાદ વાગ્યા આસપાસ હોસ્પિટલના તબીબોએ કાર્ડિયોગ્રામ કાઢીને જણાવ્યું હતું કે આપના માતા હવે નથી રહ્યા.
ત્યારબાદ અમે મારી માતાનો મૃતદેહ લઈ ઘરે પહોંચ્યા હતા. તેમજ જ્ઞાતિના રીતરિવાજ મુજબ નજીકના સગા વ્હાલાઓને જાણ પણ કરી હતી. મૃતદેહને પોતાના ઘરે બપોરના દોઢ વાગ્યાના લઈ ગયા હતાં. અને જ્ઞાતિના રીતિરિવાજ મુજબ ઘરે થતી અંતિમ વિધિ પણ કરી હતી. તેમજ અંતિમ યાત્રામાં પણ પરિજનો જોડાયા હતા. ઘરે તેમના અંતિમ દર્શન માટે તેમજ સ્મશાને લઈ જવા માટે નજીકના સગા વ્હાલઓ એકઠા થયા હતા. જો કે સ્મશાન ખાતે ફરજ બજાવનાર કર્મીએ મૃતદેહ કોરોના સંક્રમિત હોવાનું કહેતા અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
એટલું જ નહીં સ્મશાનેથી મૃતદેહને પરત લાવ્યા બાદ પરિવારજનોએ હોસ્પિટલ તંત્રને અનેક રજૂઆત કરી હતી પરંતુ કલાકો સુધી તેમને દોશી હોસ્પિટલ ખાતે રાહ જોવી પડી હતી. કલાકો સુધી રાહ જોયા બાદ પરિવારજનોને હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આપની માતાનાં મૃતદેહને નાનામોવા સ્મશાન ખાતે અંતિમવિધિની વ્યવસ્થા કરી આપીએ છીએ. આમ, દર્દીનું મૃત્યુ નિપજ્યા બાદ પુષ્પાબેન રાણપરાનો દેહ 12 કલાક બાદ પૂર્ણતઃ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.
નોંધનીય છે કે, મૃતદેહ પાછો આવતા હોસ્પિટલ તંત્ર પણ ક્ષોભમાં મુકાયું હતું. કારણકે હોસ્પિટલ તંત્ર ની ભૂલના કારણે અનેક માનવીય જિંદગી કોરોના શિકાર બની શકે તેમ છે. કોવિડ 19ની ગાઇડ લાઈન મુજબ કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થાય તો મૃતદેહને તેના પરિજનોને સોંપવાની જગ્યાએ હોસ્પિટલથી સીધો સ્મશાન ખાતે લઇ જવામાં આવે છે.
ઘરે તેમના અંતિમ દર્શન માટે તેમજ સ્મશાને લઈ જવા માટે નજીકના સગા વ્હાલઓ એકઠા થયા, જો કે સ્મશાન ખાતે ફરજ બજાવનાર કર્મીએ મૃતદેહ કોરોના સંક્રમિત હોવાનું કહ્યુ – નિલેશભાઈ રાણપરા
સ્મશાનેથી મૃતદેહને પરત લાવ્યા બાદ પરિવારજનોએ કલાકો સુધી તેમને દોશી હોસ્પિટલ ખાતે રાહ જોવી પડી
મૃતદેહ પાછો આવતા હોસ્પિટલ તંત્ર પણ ક્ષોભમાં મુકાયું
હોસ્પિટલ તંત્ર ની ભૂલના કારણે અનેક માનવીય જિંદગી કોરોના શિકાર બની શકે તેમ છે
Watchgujarat. શહેરમાં ફરી એક વખત હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે. જેમાં દોશી હોસ્પિટલ દ્વારા કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ નિપજતા પરિવારને વૃદ્ધાનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. વૃદ્ધા કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે તે વાતથી અજાણ પરિવારજનો મૃતદેહ સ્વીકાર્યા બાદ તેને ઘરે લઈ જઈ રીતિરિવાજ મુજબ ઘરે કરવામાં આવતી વિધિઓ પણ કરી હતી. ત્યાંથી મૃતદેહને અંતિમ સંસ્કાર અર્થે સ્મશાન ખાતે પણ લઈ જવામાં આવતા ભાંડો ફૂટ્યો હતો. તેમજ દોશી હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલો મરણનો દાખલો જોતા સ્મશાનમાં ફરજ બજાવતા કર્મચારીએ આ મૃતદેહ કોરોનાગ્રસ્ત હોવાનું જણાવતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો.
મીડિયા સાથેની વાતચીતમાં નિલેશભાઈ રાણપરાએ જણાવ્યું હતું કે, મારી માતા પુષ્પાબેન રાણપરાને ત્રણ તારીખના રોજ દોશી હોસ્પિટલ ખાતે એડમીટ કરવામાં આવ્યા હતા. એડમિટ કરતા સમયે તેમનો કોરોનાનો રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 6 તારીખ ના રોજ તેમને ઓક્સિજનની કમી થતાં તેમને ઓક્સિજન આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે આજરોજ સવારમાં મારા પુત્રએ મને જણાવ્યું હતું કે દાદીને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. ત્યારે બપોરના એકાદ વાગ્યા આસપાસ હોસ્પિટલના તબીબોએ કાર્ડિયોગ્રામ કાઢીને જણાવ્યું હતું કે આપના માતા હવે નથી રહ્યા.
ત્યારબાદ અમે મારી માતાનો મૃતદેહ લઈ ઘરે પહોંચ્યા હતા. તેમજ જ્ઞાતિના રીતરિવાજ મુજબ નજીકના સગા વ્હાલાઓને જાણ પણ કરી હતી. મૃતદેહને પોતાના ઘરે બપોરના દોઢ વાગ્યાના લઈ ગયા હતાં. અને જ્ઞાતિના રીતિરિવાજ મુજબ ઘરે થતી અંતિમ વિધિ પણ કરી હતી. તેમજ અંતિમ યાત્રામાં પણ પરિજનો જોડાયા હતા. ઘરે તેમના અંતિમ દર્શન માટે તેમજ સ્મશાને લઈ જવા માટે નજીકના સગા વ્હાલઓ એકઠા થયા હતા. જો કે સ્મશાન ખાતે ફરજ બજાવનાર કર્મીએ મૃતદેહ કોરોના સંક્રમિત હોવાનું કહેતા અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
એટલું જ નહીં સ્મશાનેથી મૃતદેહને પરત લાવ્યા બાદ પરિવારજનોએ હોસ્પિટલ તંત્રને અનેક રજૂઆત કરી હતી પરંતુ કલાકો સુધી તેમને દોશી હોસ્પિટલ ખાતે રાહ જોવી પડી હતી. કલાકો સુધી રાહ જોયા બાદ પરિવારજનોને હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આપની માતાનાં મૃતદેહને નાનામોવા સ્મશાન ખાતે અંતિમવિધિની વ્યવસ્થા કરી આપીએ છીએ. આમ, દર્દીનું મૃત્યુ નિપજ્યા બાદ પુષ્પાબેન રાણપરાનો દેહ 12 કલાક બાદ પૂર્ણતઃ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.
નોંધનીય છે કે, મૃતદેહ પાછો આવતા હોસ્પિટલ તંત્ર પણ ક્ષોભમાં મુકાયું હતું. કારણકે હોસ્પિટલ તંત્ર ની ભૂલના કારણે અનેક માનવીય જિંદગી કોરોના શિકાર બની શકે તેમ છે. કોવિડ 19ની ગાઇડ લાઈન મુજબ કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થાય તો મૃતદેહને તેના પરિજનોને સોંપવાની જગ્યાએ હોસ્પિટલથી સીધો સ્મશાન ખાતે લઇ જવામાં આવે છે.