ખેડૂતો પોતાની રણનીતીમાં સફળ
ગુજરાત સામાજિક મંચનાં નેજા હેઠળ 100 ટ્રેકટર સાથે 600 ખેડૂતો દિલ્હી પહોંચ્યા
22 જાન્યુઆરીએ શહીદ ભગતસિંહ ગ્રુપનાં 1200 યુવનો પણ બાઈક લઈને નિકળ્યા
WatchGujarat. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા 27 તારીખે કિસાન સંમેલનનું આયોજન કરાયું છે. ત્યારે આજે સમિતિનાં આગેવાન પાલ આંબલિયાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આખરે ખેડૂતો પોતાની રણનીતીમાં સફળ થયા છે. અને 27 મીએ રાજકોટ ખેડૂત સંમેલનમાં સરકારનું ધ્યાન ભટકાવી ગુજરાત સામાજિક મંચનાં નેજા હેઠળ 100 ટ્રેકટર સાથે 600 ખેડૂતો દિલ્હી પહોંચ્યા છે. જેમાં ખેડૂત ઉપરાંત મજૂરો, માલધારીઓ, મહિલાઓ અને આદિવાસી વર્ગના લોકો પણ સામેલ છે. એટલું જ નહીં 22 જાન્યુઆરીએ શહીદ ભગતસિંહ ગ્રુપનાં 1200 યુવનો પણ બાઈક લઈને નિકળ્યા હતા. જેઓ પણ આજે બપોર બાદ દિલ્હી પહોંચી જશે.
વધુમાં આંબલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો દિલ્હી પહોંચે નહીં તે માટે સરકારે પુરતી સાવધાની રાખી હતી. તેમજ સતત વોચ રાખવામાં આવી રહી હતી. જેને પગલે કિસાન સંઘર્ષ સમિતિએ રણનીતિના ભાગરૂપે B ટીમ તૈયાર કરી છે. જેમાં ભાવનાબેન રબારી, દેવ દેસાઇ સહિતના લોકોની આગેવાનીમાં 100 ટ્રેક્ટર સાથે 600 ખેડૂતો દિલ્હીની પરેડમાં પહોંચી ગયા છે. સરકાર અમારા ઉપર ધ્યાન રાખતી રહી અને રણનીતિના ભાગરૂપે બીજી ટીમના સભ્યો આજે દિલ્હી પરેડમાં પહોંચી ગયા છે.
બીજીતરફ દિલ્હી ખેડૂત આંદોલનમાં પહોંચેલા ભાવના રબારીનાં જણાવ્યા મુજબ, અમે 100 ટ્રેક્ટર સાથે 600 ખેડૂતો સામાજિક મંચના નેજા હેઠળ દિલ્હી પહોંચ્યા છીએ. અમે સરકારે બનાવેલા ત્રણેય કૃષિ કાયદાઓનો ઉગ્ર વિરોધ કરીએ છીએ. અને એટલે જ ખેડૂત આંદોલનના સમર્થનમાં દિલ્હી પહોંચ્યા છીએ. ગુજરાતમાં આ કાયદાઓના વિરોધમાં સંમેલનો થઈ રહ્યા છે. અને તેઓ દિલ્હી આંદોલનમાં સમર્થન માટે પહોંચ્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ખેડૂતો પોતાની રણનીતીમાં સફળ
ગુજરાત સામાજિક મંચનાં નેજા હેઠળ 100 ટ્રેકટર સાથે 600 ખેડૂતો દિલ્હી પહોંચ્યા
WatchGujarat. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા 27 તારીખે કિસાન સંમેલનનું આયોજન કરાયું છે. ત્યારે આજે સમિતિનાં આગેવાન પાલ આંબલિયાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આખરે ખેડૂતો પોતાની રણનીતીમાં સફળ થયા છે. અને 27 મીએ રાજકોટ ખેડૂત સંમેલનમાં સરકારનું ધ્યાન ભટકાવી ગુજરાત સામાજિક મંચનાં નેજા હેઠળ 100 ટ્રેકટર સાથે 600 ખેડૂતો દિલ્હી પહોંચ્યા છે. જેમાં ખેડૂત ઉપરાંત મજૂરો, માલધારીઓ, મહિલાઓ અને આદિવાસી વર્ગના લોકો પણ સામેલ છે. એટલું જ નહીં 22 જાન્યુઆરીએ શહીદ ભગતસિંહ ગ્રુપનાં 1200 યુવનો પણ બાઈક લઈને નિકળ્યા હતા. જેઓ પણ આજે બપોર બાદ દિલ્હી પહોંચી જશે.
વધુમાં આંબલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો દિલ્હી પહોંચે નહીં તે માટે સરકારે પુરતી સાવધાની રાખી હતી. તેમજ સતત વોચ રાખવામાં આવી રહી હતી. જેને પગલે કિસાન સંઘર્ષ સમિતિએ રણનીતિના ભાગરૂપે B ટીમ તૈયાર કરી છે. જેમાં ભાવનાબેન રબારી, દેવ દેસાઇ સહિતના લોકોની આગેવાનીમાં 100 ટ્રેક્ટર સાથે 600 ખેડૂતો દિલ્હીની પરેડમાં પહોંચી ગયા છે. સરકાર અમારા ઉપર ધ્યાન રાખતી રહી અને રણનીતિના ભાગરૂપે બીજી ટીમના સભ્યો આજે દિલ્હી પરેડમાં પહોંચી ગયા છે.
બીજીતરફ દિલ્હી ખેડૂત આંદોલનમાં પહોંચેલા ભાવના રબારીનાં જણાવ્યા મુજબ, અમે 100 ટ્રેક્ટર સાથે 600 ખેડૂતો સામાજિક મંચના નેજા હેઠળ દિલ્હી પહોંચ્યા છીએ. અમે સરકારે બનાવેલા ત્રણેય કૃષિ કાયદાઓનો ઉગ્ર વિરોધ કરીએ છીએ. અને એટલે જ ખેડૂત આંદોલનના સમર્થનમાં દિલ્હી પહોંચ્યા છીએ. ગુજરાતમાં આ કાયદાઓના વિરોધમાં સંમેલનો થઈ રહ્યા છે. અને તેઓ દિલ્હી આંદોલનમાં સમર્થન માટે પહોંચ્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું.