જૂનાગઢ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા પ્રદીપસિંહ જાડેજાને મળવા માટે એક યુવાન આવ્યો
યુવાને મીની લોકડાઉનમાં બંધ દુકાન 2 – 4 કલાક ચાલ રાખવા વિનંતી કરી
દુકાન ખોલવા પાછળનું કારણ પિતાની માંદગી અને તમામ બચત વપરાઇ ગઇ હોવાનું જણાવ્યું
પછી Dy.SP એ જે કર્યું તે જાણીને તમે ખાખીની અંદર છુપાયેલા સંદેવનશીલ વ્યક્તિનો અંદાજો આવશે
WatchGujarat. હાલ રાજ્યમાં આંશિક લોકડાઉન ચાલી રહ્યું છે. જે અંતર્ગત જીવન જરૂરિયાત સિવાય બધા વેપાર-ધંધા બંધ હોવાથી લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક વેપારીએ તેના પિતા બીમાર હોય દવા માટે રૂપિયાની જરૂર હોવાનું કહી દુકાન ખોલવાની મંજૂરી માંગી હતી. આ સમયે ત્યાં ફરજ પર હાજર ડીવાયએસપીએ વેપારી યુવકને તેની જરૂરિયાત મુજબનાં રૂપિયા આપી ખાખી વર્દીની પાછળ છુપાયેલા સંવેદનશીલ હૃદયનો પરિચય આપ્યો હતો. જેને પગલે વેપારી યુવકે પણ ભીની આંખો સાથે ડીવાયએસપીને દિલથી સલામ કરી હતી.
જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા પ્રદીપસિંહ જાડેજાને મળવા માટે એક યુવાન આવ્યો હતો. આ યુવાને કહ્યું હતું કે, સર, જૂનાગઢમાં માંગનાથ રોડ પર મારી ઠંડાપીણાની એક દુકાન મિની લોકડાઉનને કારણે બંધ છે. હું આપને વિનંતી કરવા આવ્યો છું કે, આપ ત્યાંના પીઆઇને કહીને મારી દુકાનને 2-4 કલાક માટે ખુલી રાખવાની મંજૂરી આપો. ત્યારે આવી માંગણી કરનાર યુવાન વેપારીને Dy.SP જાડેજાએ પૂછયું, કેમ ભાઈ તારે દુકાન ખોલવી છે ?
જેના જવાબમાં યુવાને પોતાની પાસે રહેલી ફાઇલ બતાવીને કહ્યું, 'મારા પિતા બીમાર છે. વધુ સારવાર માટે તેમને રાજકોટ લઈ ગયા છીએ. સારવારમાં બધી બચત પૂરી થઈ ગઈ છે. પપ્પાની અમુક દવાઓ લેવાની છે પણ એ માટે પૂરતી રકમ નથી. જો દુકાન ખોલવાની મંજૂરી મળે તો થોડી કમાણી થાય અને પપ્પાની દવા લઇ શકું.' આ સાંભળીને કડક ખાખી વરદીની પાછળ રહેલું સંવેદનશીલ હૃદય એ યુવાનની પીડા સમજી ગયું હતું.
પિતાની દવાઓ માટે વેપાર કરવા માંગતા આ યુવકને ડીવાયએસપીએ કહ્યું કે, ભાઈ હું તારી પરિસ્થિતિ સમજી શકું છું પણ તને એકને દુકાન ખોલવાની મંજૂરી આપું તો બાકીના વેપારીઓને અન્યાય થાય. અત્યારે જૂનાગઢમાં જાહેરનામું અમલમાં છે, જેનાં અનુસાર જીવનજરૂરી ચીજવસ્તુ સિવાયની કોઈ વસ્તુ કે સેવા આપતી દુકાન ખુલી ન રાખી શકાય એટલે તને દુકાન ખોલવાની મંજૂરી તો ન આપી શકાય પણ આપણે વચ્ચેનો કોઈ રસ્તો કાઢીએ જેનાથી નિયમનું પાલન થાય અને તમારૂ કામ પણ થઇ જાય.
ત્યારબાદ Dy.SP જાડેજા એ યુવાનને પુછ્યું, દવાઓ લેવા માટે કેટલી રકમની જરૂર છે ? પેલા યુવાને જેટલી જરૂર હતી એ રકમ કહી એટલે તરત સાહેબે પોતાના ખિસ્સામાંથી પાકીટ કાઢીને દવા માટે જરૂરી રકમ કાઢી યુવકના હાથમાં મૂકી દીધી. જો કે વેપારીને આ રકમની ભારે જરૂર હોવા છતાં તેનું સ્વાભિમાન તેને સ્વીકારતા રોકી રહ્યું હતું. ત્યારે ફરી ડીવાયએસપીએ કહ્યું કે, જો ભાઈ સરકાર મને ઘણો પગાર આપે છે. છતાં તને એવું લાગતું હોય તો તારી પાસે જ્યારે વધુ રકમ ભેગી થાય ત્યારે મને આ રૂપિયા પરત આપી દેજે. પરંતુ અત્યારે તારા પિતાની દવાઓ લઈ લે.
ડીવાયએસપીની આ વાત સાંભળીને પેલો યુવાન એક પોલીસ અધિકારીના સંવેદનશીલ હૈયામાંથી વહેતી માનવતાના ઝરણામાં તરબોળ થઈને રકમ લઇ જતો રહ્યો. ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે લોકડાઉનમાં અમુક રિક્ષાવાળાઓએ જાડેજા સાહેબને મળીને પોતાની વ્યથા રજુ કરી હતી. ત્યારે પણ તેમણે એક સામાજિક સંસ્થા સાથે સંકલન કરીને 60થી વધુ રિક્ષાવાળાઓને બે વખત ઘરવખરીની તમામ કીટ અપાવી હતી. ત્યારે આ કપરા સમયમાં ખરેખર બધા પોલીસ અધિકારીઓ આવા સંવેદનશીલ બને તો કેવું સારૂ થાય.
જૂનાગઢ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા પ્રદીપસિંહ જાડેજાને મળવા માટે એક યુવાન આવ્યો
દુકાન ખોલવા પાછળનું કારણ પિતાની માંદગી અને તમામ બચત વપરાઇ ગઇ હોવાનું જણાવ્યું
પછી Dy.SP એ જે કર્યું તે જાણીને તમે ખાખીની અંદર છુપાયેલા સંદેવનશીલ વ્યક્તિનો અંદાજો આવશે
WatchGujarat. હાલ રાજ્યમાં આંશિક લોકડાઉન ચાલી રહ્યું છે. જે અંતર્ગત જીવન જરૂરિયાત સિવાય બધા વેપાર-ધંધા બંધ હોવાથી લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક વેપારીએ તેના પિતા બીમાર હોય દવા માટે રૂપિયાની જરૂર હોવાનું કહી દુકાન ખોલવાની મંજૂરી માંગી હતી. આ સમયે ત્યાં ફરજ પર હાજર ડીવાયએસપીએ વેપારી યુવકને તેની જરૂરિયાત મુજબનાં રૂપિયા આપી ખાખી વર્દીની પાછળ છુપાયેલા સંવેદનશીલ હૃદયનો પરિચય આપ્યો હતો. જેને પગલે વેપારી યુવકે પણ ભીની આંખો સાથે ડીવાયએસપીને દિલથી સલામ કરી હતી.
જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા પ્રદીપસિંહ જાડેજાને મળવા માટે એક યુવાન આવ્યો હતો. આ યુવાને કહ્યું હતું કે, સર, જૂનાગઢમાં માંગનાથ રોડ પર મારી ઠંડાપીણાની એક દુકાન મિની લોકડાઉનને કારણે બંધ છે. હું આપને વિનંતી કરવા આવ્યો છું કે, આપ ત્યાંના પીઆઇને કહીને મારી દુકાનને 2-4 કલાક માટે ખુલી રાખવાની મંજૂરી આપો. ત્યારે આવી માંગણી કરનાર યુવાન વેપારીને Dy.SP જાડેજાએ પૂછયું, કેમ ભાઈ તારે દુકાન ખોલવી છે ?
જેના જવાબમાં યુવાને પોતાની પાસે રહેલી ફાઇલ બતાવીને કહ્યું, 'મારા પિતા બીમાર છે. વધુ સારવાર માટે તેમને રાજકોટ લઈ ગયા છીએ. સારવારમાં બધી બચત પૂરી થઈ ગઈ છે. પપ્પાની અમુક દવાઓ લેવાની છે પણ એ માટે પૂરતી રકમ નથી. જો દુકાન ખોલવાની મંજૂરી મળે તો થોડી કમાણી થાય અને પપ્પાની દવા લઇ શકું.' આ સાંભળીને કડક ખાખી વરદીની પાછળ રહેલું સંવેદનશીલ હૃદય એ યુવાનની પીડા સમજી ગયું હતું.
પિતાની દવાઓ માટે વેપાર કરવા માંગતા આ યુવકને ડીવાયએસપીએ કહ્યું કે, ભાઈ હું તારી પરિસ્થિતિ સમજી શકું છું પણ તને એકને દુકાન ખોલવાની મંજૂરી આપું તો બાકીના વેપારીઓને અન્યાય થાય. અત્યારે જૂનાગઢમાં જાહેરનામું અમલમાં છે, જેનાં અનુસાર જીવનજરૂરી ચીજવસ્તુ સિવાયની કોઈ વસ્તુ કે સેવા આપતી દુકાન ખુલી ન રાખી શકાય એટલે તને દુકાન ખોલવાની મંજૂરી તો ન આપી શકાય પણ આપણે વચ્ચેનો કોઈ રસ્તો કાઢીએ જેનાથી નિયમનું પાલન થાય અને તમારૂ કામ પણ થઇ જાય.
ત્યારબાદ Dy.SP જાડેજા એ યુવાનને પુછ્યું, દવાઓ લેવા માટે કેટલી રકમની જરૂર છે ? પેલા યુવાને જેટલી જરૂર હતી એ રકમ કહી એટલે તરત સાહેબે પોતાના ખિસ્સામાંથી પાકીટ કાઢીને દવા માટે જરૂરી રકમ કાઢી યુવકના હાથમાં મૂકી દીધી. જો કે વેપારીને આ રકમની ભારે જરૂર હોવા છતાં તેનું સ્વાભિમાન તેને સ્વીકારતા રોકી રહ્યું હતું. ત્યારે ફરી ડીવાયએસપીએ કહ્યું કે, જો ભાઈ સરકાર મને ઘણો પગાર આપે છે. છતાં તને એવું લાગતું હોય તો તારી પાસે જ્યારે વધુ રકમ ભેગી થાય ત્યારે મને આ રૂપિયા પરત આપી દેજે. પરંતુ અત્યારે તારા પિતાની દવાઓ લઈ લે.
ડીવાયએસપીની આ વાત સાંભળીને પેલો યુવાન એક પોલીસ અધિકારીના સંવેદનશીલ હૈયામાંથી વહેતી માનવતાના ઝરણામાં તરબોળ થઈને રકમ લઇ જતો રહ્યો. ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે લોકડાઉનમાં અમુક રિક્ષાવાળાઓએ જાડેજા સાહેબને મળીને પોતાની વ્યથા રજુ કરી હતી. ત્યારે પણ તેમણે એક સામાજિક સંસ્થા સાથે સંકલન કરીને 60થી વધુ રિક્ષાવાળાઓને બે વખત ઘરવખરીની તમામ કીટ અપાવી હતી. ત્યારે આ કપરા સમયમાં ખરેખર બધા પોલીસ અધિકારીઓ આવા સંવેદનશીલ બને તો કેવું સારૂ થાય.