સવારે 9:30 વાગ્યા સુધીમાં સરેરાશ 18 ટકાથી વધુ મતદાન પણ નોંધાયું
સાંસદ મોહનભાઈ કુંડારિયા મોરબીમાં નિવાસ કરતા હોય આજે મોરબી ખાતેથી મતદાન કર્યું
રાજકોટ જિલ્લા પંચાયતની 36 સીટ માટે 111 ઉમેદવાર છે. એકપણ સીટ બિનહરીફ થઈ નથી
WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજે જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં લોકો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. તેમજ સવારે 9:30 વાગ્યા સુધીમાં સરેરાશ 18 ટકાથી વધુ મતદાન પણ નોંધાઇ ચૂક્યું છે. આ સાથે રાજકીય દિગ્ગજો સહિત અગ્રણીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. ત્યારે સાંસદ મોહન કુંડારિયાએ મોરબી તેમજ કેબિનેટ મંત્રી કુંવરજી બાવાળીયાએ વીંછીયા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો ગોંડલની તાલુકા તાલુકા શાળા નં.1માં EVM બંધ થતા મતદારો અને ઉમેદવાર પણ રોષે ભરાયા હતા. જો કે તંત્ર દ્વારા તરત જ અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ તેમાં એકાદ કલાકથી વધુ સમય વીતી જતા ભારે રોષ જોવા મળ્યો હતો. બિલિયાળામાં દુલ્હને લગ્ન પહેલા જ મતદાન કરવાનો નિર્ણય કર્યો હતો. અને વરરાજા સાથે મતદાન કેન્દ્રમાં પહોંચીને પરિવાર સાથે મતદાન કર્યું હતું.
બીજીતરફ જેતપુરમાં પણ તાલુકા-જિલ્લા પંચાયત, અને નગરપાલિકાનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં પણ 120 મતદાન મથકો ઉપર મતદાનની પ્રક્રિયા પ્રમાણમાં ધીમી ચાલી રહી છે. અને પ્રથમ 9:30 સુધીમાં અંદાજે 12% જેટલું મતદાન નોંધાયું છે. નોંધનીય છે કે, અહીં જેતપુર તાલુકા પંચાયતની 20, જિલ્લા પંચાયતની 04 બેઠકો અને નગરપાલિકાની 1 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે. અને કુલ 120 પૈકી 69 મતદાન મથકોને ખાસ સંવેદનશીલ જાહેર કરવામાં આવતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
સાંસદ મોહનભાઈ કુંડારિયા મોરબીમાં નિવાસ કરતા હોય આજે મોરબી ખાતેથી મતદાન કર્યું હતું. મોરબીનાં રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિધાલય ખાતે સાંસદ મોહન કુંડારીયાએ મતદાન કર્યું હતું. અને મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તેવી અપીલ પણ તેમણે કરી છે. તો વીંછીયાનાં વતની અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ વીંછીયા કન્યા પ્રાથમિક શાળા નંબર બે ખાતે પહોંચ્યા હતા. અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે પોતાનો મત આપી મતદાનની ફરજ નિભાવી હતી. આ તકે બંને નેતાઓએ લોકોને મતદાન માટે ઉમટી પડવા હાકલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા પંચાયતની 36 સીટ માટે 111 ઉમેદવાર છે. એકપણ સીટ બિનહરીફ થઈ નથી. જ્યારે રાજકોટની 11 તાલુકા પંચાયતમાં 202 સીટ છે. તેમાંથી 5 સીટ બિનહરીફ થતા 197 સીટ માટે જંગ છે. આ બંને પંચાયતના મતદાન પણ એક જ સ્થળે ચાલી રહ્યા છે. અને મતદારોએ એક જ બૂથમાં મુકવામાં આવેલા જુદા-જુદા બે ઈવીએમમાં પોતાનો મત આપી રહ્યા છે. આ બંને ચૂંટણી માટે હાલ 9.41 લાખ મતદારો નોંધાયા છે. અને વહેલી સવારથી જ મતદારોનો સારો એવો ધસારો રહેતા કોર્પોરેશનની ચૂંટણી કરતા વધુ મતદાન થવાનો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે.
સવારે 9:30 વાગ્યા સુધીમાં સરેરાશ 18 ટકાથી વધુ મતદાન પણ નોંધાયું
સાંસદ મોહનભાઈ કુંડારિયા મોરબીમાં નિવાસ કરતા હોય આજે મોરબી ખાતેથી મતદાન કર્યું
રાજકોટ જિલ્લા પંચાયતની 36 સીટ માટે 111 ઉમેદવાર છે. એકપણ સીટ બિનહરીફ થઈ નથી
WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજે જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં લોકો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. તેમજ સવારે 9:30 વાગ્યા સુધીમાં સરેરાશ 18 ટકાથી વધુ મતદાન પણ નોંધાઇ ચૂક્યું છે. આ સાથે રાજકીય દિગ્ગજો સહિત અગ્રણીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. ત્યારે સાંસદ મોહન કુંડારિયાએ મોરબી તેમજ કેબિનેટ મંત્રી કુંવરજી બાવાળીયાએ વીંછીયા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો ગોંડલની તાલુકા તાલુકા શાળા નં.1માં EVM બંધ થતા મતદારો અને ઉમેદવાર પણ રોષે ભરાયા હતા. જો કે તંત્ર દ્વારા તરત જ અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ તેમાં એકાદ કલાકથી વધુ સમય વીતી જતા ભારે રોષ જોવા મળ્યો હતો. બિલિયાળામાં દુલ્હને લગ્ન પહેલા જ મતદાન કરવાનો નિર્ણય કર્યો હતો. અને વરરાજા સાથે મતદાન કેન્દ્રમાં પહોંચીને પરિવાર સાથે મતદાન કર્યું હતું.
બીજીતરફ જેતપુરમાં પણ તાલુકા-જિલ્લા પંચાયત, અને નગરપાલિકાનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં પણ 120 મતદાન મથકો ઉપર મતદાનની પ્રક્રિયા પ્રમાણમાં ધીમી ચાલી રહી છે. અને પ્રથમ 9:30 સુધીમાં અંદાજે 12% જેટલું મતદાન નોંધાયું છે. નોંધનીય છે કે, અહીં જેતપુર તાલુકા પંચાયતની 20, જિલ્લા પંચાયતની 04 બેઠકો અને નગરપાલિકાની 1 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે. અને કુલ 120 પૈકી 69 મતદાન મથકોને ખાસ સંવેદનશીલ જાહેર કરવામાં આવતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
સાંસદ મોહનભાઈ કુંડારિયા મોરબીમાં નિવાસ કરતા હોય આજે મોરબી ખાતેથી મતદાન કર્યું હતું. મોરબીનાં રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિધાલય ખાતે સાંસદ મોહન કુંડારીયાએ મતદાન કર્યું હતું. અને મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તેવી અપીલ પણ તેમણે કરી છે. તો વીંછીયાનાં વતની અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ વીંછીયા કન્યા પ્રાથમિક શાળા નંબર બે ખાતે પહોંચ્યા હતા. અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે પોતાનો મત આપી મતદાનની ફરજ નિભાવી હતી. આ તકે બંને નેતાઓએ લોકોને મતદાન માટે ઉમટી પડવા હાકલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા પંચાયતની 36 સીટ માટે 111 ઉમેદવાર છે. એકપણ સીટ બિનહરીફ થઈ નથી. જ્યારે રાજકોટની 11 તાલુકા પંચાયતમાં 202 સીટ છે. તેમાંથી 5 સીટ બિનહરીફ થતા 197 સીટ માટે જંગ છે. આ બંને પંચાયતના મતદાન પણ એક જ સ્થળે ચાલી રહ્યા છે. અને મતદારોએ એક જ બૂથમાં મુકવામાં આવેલા જુદા-જુદા બે ઈવીએમમાં પોતાનો મત આપી રહ્યા છે. આ બંને ચૂંટણી માટે હાલ 9.41 લાખ મતદારો નોંધાયા છે. અને વહેલી સવારથી જ મતદારોનો સારો એવો ધસારો રહેતા કોર્પોરેશનની ચૂંટણી કરતા વધુ મતદાન થવાનો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે.