રોકડ અને સોના – ચાંદીના ઘરેણાની લુંટ થતા પોલીસ કમિશ્નર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો
લૂંટ કરવા આવેલ ત્રિપુટીએ પહેલા રણછોડનગરમાંથી એક બાઈકની ચોરી કરી
પોલીસે મોરબી, સુરેન્દ્રનગર, વાંકાનેર વગેરે સ્થળોએ નાકાબંદી કરી લૂંટારૂઓને પકડવા માટે જુદી જુદી ટિમો દોડાવી
આ સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલવા પોલીસે અન્ય જિલ્લાની પોલીસને એલર્ટ કરીને તપાસ હાથ ધરી
WatchGujarat. શહેરનાં ચંપકનગરમાં રહેતા અને ઘર સાથે જ શિવ જવેલર્સ નામે સોના ચાંદીના દાગીનાનો શોરૂમ ધરાવતા વેપારીના શોરૂમમાં ધોળા દિવસે દિલધડક લૂંટ થયાની ઘટના સામે આવી હતી. જેમાં એક વીંટી લેવા બહાને ઘુસેલા ત્રણ હિંદીભાષી લુંટારૂઓએ વેપારીને બંદૂક દેખાડી શોરૂમ-તિજોરીમાંથી રૂ. 82,96,900/- નાં સોના ચાંદીના દાગીના અને અઢી લાખ રોકડની લૂંટ ચલાવી હતી. બનાવ બાદ પગલે દોડી ગયેલી પોલીસે ચોતરફ નાકાબંદી કરી લૂંટનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી છે. લૂંટારૂઓ ચોરીના બાઈકથી લૂંટને અંજામ આપી મોરબી તરફ ભાગ્યા હોવાનું સામે અવતા હાલ પોલીસની ટીમો દોડી ગઈ છે. જોકે પ્રાથમિક તપાસમાં લૂંટારૂઓ 3 નહિ પરંતુ 5 હોવાનું ઉપરાંત તે બે દિવસથી રેકી કરતા હોવાનું જાણવા મળ્યું છે.
લૂંટની ઘટના બાદ પોલીસ કમિશ્નર સહિતના અધિકારી દોડી ગયા હતા. બાદમાં ફરિયાદીએ શોરૂમમાં ચેક કરતા વેચાણ માટે રાખેલા અને સગા સંબંધીના તિજોરીમાં સાચવવા રાખેલા 82,96,900 રૂપિયાના સોના ચાંદીના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું. તેમજ જતા જતા અઢી લાખ રોકડા લૂંટારુઓ લૂંટી ગયા હોવાથી ત્રણેય લૂંટારૂઓએ રૂ. 85,46,900ની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં નોંધાવવામાં આવી છે. જેને લઈ લુટારૂઓનો પીછો કરતી પોલીસને એવું જાણવા મળ્યું હતું કે લૂંટ કરવા આવેલ ત્રિપુટીએ પહેલા રણછોડનગરમાંથી એક બાઈકની ચોરી કરી હતી. બાઈકની ઉઠાંતરી બાદ આ લૂંટને અંજામ આપ્યો હતો.
ત્યારબાદ ગ્રીનલેન્ડ ચોકડી, બેડી ચોકડી થઇને તેઓ મોરબી તરફ નાસી છૂટ્યા હતા. હાલ પોલીસે મોરબી, સુરેન્દ્રનગર, વાંકાનેર વગેરે સ્થળોએ નાકાબંદી કરી લૂંટારૂઓને પકડવા માટે જુદી જુદી ટિમો દોડાવી છે. આ દરમિયાન છેલ્લે તેઓ મોરબી રવાપર પાસે જોવા મળ્યા હોવાનું જાણવા મળતા જ પોલીસે આખી રાત શોધખોળ કરી હતી. જોકે હજુ સુધી કોઈ કલુ મળ્યો નથી. સીસીટીવી ચેક કરતા આ લૂંટમાં ત્રણ નહીં પરંતુ પાંચ આરોપીઓ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. બે શખ્સોએ લૂંટ કરવા ગયેલા ત્રણેય શખ્સોની રેકી કરી હતી તેમજ શોરૂમમાં લૂંટ સમયે કોઈ આવતું નથી ને તેનું ધ્યાન રાખતા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આ સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલવા પોલીસે અન્ય જિલ્લાની પોલીસને એલર્ટ કરીને તપાસ હાથ ધરી છે.
લૂંટ કરવા આવેલ ત્રિપુટીએ પહેલા રણછોડનગરમાંથી એક બાઈકની ચોરી કરી
પોલીસે મોરબી, સુરેન્દ્રનગર, વાંકાનેર વગેરે સ્થળોએ નાકાબંદી કરી લૂંટારૂઓને પકડવા માટે જુદી જુદી ટિમો દોડાવી
આ સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલવા પોલીસે અન્ય જિલ્લાની પોલીસને એલર્ટ કરીને તપાસ હાથ ધરી
WatchGujarat. શહેરનાં ચંપકનગરમાં રહેતા અને ઘર સાથે જ શિવ જવેલર્સ નામે સોના ચાંદીના દાગીનાનો શોરૂમ ધરાવતા વેપારીના શોરૂમમાં ધોળા દિવસે દિલધડક લૂંટ થયાની ઘટના સામે આવી હતી. જેમાં એક વીંટી લેવા બહાને ઘુસેલા ત્રણ હિંદીભાષી લુંટારૂઓએ વેપારીને બંદૂક દેખાડી શોરૂમ-તિજોરીમાંથી રૂ. 82,96,900/- નાં સોના ચાંદીના દાગીના અને અઢી લાખ રોકડની લૂંટ ચલાવી હતી. બનાવ બાદ પગલે દોડી ગયેલી પોલીસે ચોતરફ નાકાબંદી કરી લૂંટનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી છે. લૂંટારૂઓ ચોરીના બાઈકથી લૂંટને અંજામ આપી મોરબી તરફ ભાગ્યા હોવાનું સામે અવતા હાલ પોલીસની ટીમો દોડી ગઈ છે. જોકે પ્રાથમિક તપાસમાં લૂંટારૂઓ 3 નહિ પરંતુ 5 હોવાનું ઉપરાંત તે બે દિવસથી રેકી કરતા હોવાનું જાણવા મળ્યું છે.
લૂંટની ઘટના બાદ પોલીસ કમિશ્નર સહિતના અધિકારી દોડી ગયા હતા. બાદમાં ફરિયાદીએ શોરૂમમાં ચેક કરતા વેચાણ માટે રાખેલા અને સગા સંબંધીના તિજોરીમાં સાચવવા રાખેલા 82,96,900 રૂપિયાના સોના ચાંદીના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું. તેમજ જતા જતા અઢી લાખ રોકડા લૂંટારુઓ લૂંટી ગયા હોવાથી ત્રણેય લૂંટારૂઓએ રૂ. 85,46,900ની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં નોંધાવવામાં આવી છે. જેને લઈ લુટારૂઓનો પીછો કરતી પોલીસને એવું જાણવા મળ્યું હતું કે લૂંટ કરવા આવેલ ત્રિપુટીએ પહેલા રણછોડનગરમાંથી એક બાઈકની ચોરી કરી હતી. બાઈકની ઉઠાંતરી બાદ આ લૂંટને અંજામ આપ્યો હતો.
ત્યારબાદ ગ્રીનલેન્ડ ચોકડી, બેડી ચોકડી થઇને તેઓ મોરબી તરફ નાસી છૂટ્યા હતા. હાલ પોલીસે મોરબી, સુરેન્દ્રનગર, વાંકાનેર વગેરે સ્થળોએ નાકાબંદી કરી લૂંટારૂઓને પકડવા માટે જુદી જુદી ટિમો દોડાવી છે. આ દરમિયાન છેલ્લે તેઓ મોરબી રવાપર પાસે જોવા મળ્યા હોવાનું જાણવા મળતા જ પોલીસે આખી રાત શોધખોળ કરી હતી. જોકે હજુ સુધી કોઈ કલુ મળ્યો નથી. સીસીટીવી ચેક કરતા આ લૂંટમાં ત્રણ નહીં પરંતુ પાંચ આરોપીઓ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. બે શખ્સોએ લૂંટ કરવા ગયેલા ત્રણેય શખ્સોની રેકી કરી હતી તેમજ શોરૂમમાં લૂંટ સમયે કોઈ આવતું નથી ને તેનું ધ્યાન રાખતા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આ સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલવા પોલીસે અન્ય જિલ્લાની પોલીસને એલર્ટ કરીને તપાસ હાથ ધરી છે.