નવનિયુક્ત મેયર પ્રદીપ ડવ ડોક્ટર હોવાની સાથે-સાથે ધર્મમાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે
મેયર તેમની ખુરશી ઉપર બેસતાની સાથે જ મેયર ચેમ્બર હર હર મહાદેવનાં નાદથી ગુંજી ઉઠી હતી
પાલિકાના હોદ્દેદારોના નામો જાહેર કરાતા ફટાકડા ફોડતા ટ્રાન્સફોર્મર નજીક આગની ઘટના બની
WatchGujarat. આજરોજ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠક બાદ જ કોર્પોરેશનનાં નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે ડો. પ્રદીપ ડવ, ડે. મેયર તરીકે ડો. દર્શિતાબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલ તેમજ દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળા અને શાસક પક્ષનાં નેતા તરીકે વિનુભાઈ ધવાનાં નામોની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટનાં 21માં મેયર તરીકે ડો. પ્રદિપ ડવે વિધિવત પૂજા કરી ચાર્જ સંભાળ્યો હતો. આ તકે મેયર ચેમ્બર હર હર મહાદેવનાં નાદથી ગુંજી ઉઠી હતી. બીજીતરફ આ અંગેની ઉજવણીમાં ફટાકડા ફોડતા ટ્રાન્સફોર્મર પાસે રહેલા કચરામાં સામાન્ય આગ લાગી હતી. જોકે ફાયર ફાઇટર દ્વારા ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
https://youtu.be/pWnBEbeA-Pw
નવનિયુક્ત મેયર પ્રદીપ ડવ ડોક્ટર હોવાની સાથે-સાથે ધર્મમાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે. જેને પગલે તેમણે મેયર તરીકેનો ચાર્જ સંભાળતા પહેલા બ્રાહ્મણને બોલાવીને વિધિવત પૂજા-અર્ચના કરી હતી. અને બાદમાં જ તેઓ મેયરની ખુરશી પર બિરાજમાન થયા હતા. તેમના આ ખુરશી ઉપર બેસતાની સાથે જ મેયર ચેમ્બર હર હર મહાદેવનાં નાદથી ગુંજી ઉઠી હતી. જો કે આ અંગેની ઉજવણી દરમિયાન ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. જેમાં ફટાકડાનો તણખો ઉડતા નજીકમાં રહેલા વીજ ટ્રાન્સફોર્મરની નીચે રહેલો કચરો સળગી ઉઠતા આગ લાગી હતી. આગ ટ્રાન્સફોર્મર નીચે લાગી હોય થોડીવાર માટે અફરાતફરી મચી ગઇ હતી. જોકે તરત ફાયર ફાઇટર દોડી ગયું હતું. અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાઓની ચૂંટણી પછી હાલ પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી રહી છે. આ પહેલા અમદાવાદ, વડોદરા અને ભાવનગર માટે મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી. હવે રાજકોટ, સુરત અને જામનગર માટે મેયર સહિતના હોદ્દેદારોનાં નામોની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટમાં મેયર તરીકે પ્રદીપ ડવની પસંદગી કરવામાં આવી છે. તેમજ જામનગરમાં મેયર તરીકે બીનાબેન કોઠારી તો સુરતમાં મેયર પદે હેમાલીબેન બોગવાળાની પસંદગી કરવામાં આવી છે.
નવનિયુક્ત મેયર પ્રદીપ ડવ ડોક્ટર હોવાની સાથે-સાથે ધર્મમાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે
મેયર તેમની ખુરશી ઉપર બેસતાની સાથે જ મેયર ચેમ્બર હર હર મહાદેવનાં નાદથી ગુંજી ઉઠી હતી
પાલિકાના હોદ્દેદારોના નામો જાહેર કરાતા ફટાકડા ફોડતા ટ્રાન્સફોર્મર નજીક આગની ઘટના બની
WatchGujarat. આજરોજ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠક બાદ જ કોર્પોરેશનનાં નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે ડો. પ્રદીપ ડવ, ડે. મેયર તરીકે ડો. દર્શિતાબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલ તેમજ દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળા અને શાસક પક્ષનાં નેતા તરીકે વિનુભાઈ ધવાનાં નામોની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટનાં 21માં મેયર તરીકે ડો. પ્રદિપ ડવે વિધિવત પૂજા કરી ચાર્જ સંભાળ્યો હતો. આ તકે મેયર ચેમ્બર હર હર મહાદેવનાં નાદથી ગુંજી ઉઠી હતી. બીજીતરફ આ અંગેની ઉજવણીમાં ફટાકડા ફોડતા ટ્રાન્સફોર્મર પાસે રહેલા કચરામાં સામાન્ય આગ લાગી હતી. જોકે ફાયર ફાઇટર દ્વારા ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
નવનિયુક્ત મેયર પ્રદીપ ડવ ડોક્ટર હોવાની સાથે-સાથે ધર્મમાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે. જેને પગલે તેમણે મેયર તરીકેનો ચાર્જ સંભાળતા પહેલા બ્રાહ્મણને બોલાવીને વિધિવત પૂજા-અર્ચના કરી હતી. અને બાદમાં જ તેઓ મેયરની ખુરશી પર બિરાજમાન થયા હતા. તેમના આ ખુરશી ઉપર બેસતાની સાથે જ મેયર ચેમ્બર હર હર મહાદેવનાં નાદથી ગુંજી ઉઠી હતી. જો કે આ અંગેની ઉજવણી દરમિયાન ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. જેમાં ફટાકડાનો તણખો ઉડતા નજીકમાં રહેલા વીજ ટ્રાન્સફોર્મરની નીચે રહેલો કચરો સળગી ઉઠતા આગ લાગી હતી. આગ ટ્રાન્સફોર્મર નીચે લાગી હોય થોડીવાર માટે અફરાતફરી મચી ગઇ હતી. જોકે તરત ફાયર ફાઇટર દોડી ગયું હતું. અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાઓની ચૂંટણી પછી હાલ પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી રહી છે. આ પહેલા અમદાવાદ, વડોદરા અને ભાવનગર માટે મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી. હવે રાજકોટ, સુરત અને જામનગર માટે મેયર સહિતના હોદ્દેદારોનાં નામોની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટમાં મેયર તરીકે પ્રદીપ ડવની પસંદગી કરવામાં આવી છે. તેમજ જામનગરમાં મેયર તરીકે બીનાબેન કોઠારી તો સુરતમાં મેયર પદે હેમાલીબેન બોગવાળાની પસંદગી કરવામાં આવી છે.