મોરબીના સીરામીક ફેક્ટરી પરિસરમાં લોકોને બોટલ ચઢાવવામાં આવતા હોવાનો વિડીયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી હતી
શરદી, ઉધરસ અને તાવથી પીડિત શ્રમીકોને હોસ્પિટલમાં જગ્યા નહીં મળતા તેમણે રાજકોટ ખસેડવાને બદલે ફેક્ટરીમાં સારવાર આપવાનો નિર્ણય કર્યો – અરૂણભાઇ, માલિક – કેપ્શન સીરામીક
મોરબીનાં આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા
WatchGujarat. દેશભરમાં હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ સંક્રમિતોની સંખ્યામાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે. દરમિયાન કેપ્શન સીરામીકનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. જેમાં શ્રમિકોને એક સિરામિક ફેકટરીમાં સારવાર અપાતી હોવાનું જોઈ શકાય છે. ફેક્ટરી માલિકનાં જણાવ્યા મુજબ હોસ્પિટલમાં જગ્યા નહીં મળવાથી તેમણે ડોક્ટરને બોલાવીને શ્રમિકોને આ રીતે સારવાર આપી હતી.
https://youtu.be/-lubR3PM0vU
કેપ્શન સીરામીકનાં માલિક અરૂણભાઈએ જણાવ્યું હતું કે, આ ઘટના ત્રણેક દિવસ પહેલાની છે. જ્યારે તેમની ફેક્ટરીમાં કામ કરતા ચારેક શ્રમિકોની તબિયત લથડી હતી. તેમજ શરદી-તાવ-ઉધરસ થતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઉભી થઇ હતી. જોકે હોસ્પિટલમાં જગ્યા નહીં મળતા તેમણે શ્રમિકોને રાજકોટ ખસેડવાને બદલે ફેક્ટરીમાં સારવાર આપવાનો નિર્ણય કર્યો હતો.
પ્રથમ તો તેઓ જે ડોક્ટર પાસે રેગ્યુલર જાય છે તેના દ્વારા શ્રમિકોને દવાઓ આપવામાં આવી હતી. પરંતુ તેનાથી ફરક નહીં પડતા હોસ્પિટલમાં દાખલ કારવાની જરૂર પડી હતી. જોકે હોસ્પિટલમાં જગ્યા નહીં હોઇ પોતે ફેક્ટરીમાં આ વ્યવસ્થા કરી હતી. તેમજ ડોક્ટરે જાતે જ વિઝીટ કરીને શ્રમિકોને બાટલા ચડાવ્યા હતા. આ તમામ શ્રમિકોનાં કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હાલ મોરબી શહેરની હોસ્પિટલો હાઉસફુલ હોવાનું અને મોરબીનાં દર્દીઓને રાજકોટ ખસેડવામાં આવી રહ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે સીરામીક ફેક્ટરીનાં માલિકે કરેલી આ વ્યવસ્થાને અમુક લોકો વખાણી રહ્યા છે. જ્યારે અમુક લોકો વ્યવસ્થાની ટીકા પણ કરી રહ્યા છે. અને શ્રમિકોને રાજકોટ ખસેડવાની તરફેણ કરી રહ્યા છે. મોરબીની ગોકુલ નકલંક હોસ્પિટલનાં ફોટાઓ પણ સામે આવ્યા છે. જેમાં પણ દર્દીઓની મોટી ભીડ જામી હોવાનું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ત્યારે મોરબીનાં આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે.
મોરબીના સીરામીક ફેક્ટરી પરિસરમાં લોકોને બોટલ ચઢાવવામાં આવતા હોવાનો વિડીયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી હતી
શરદી, ઉધરસ અને તાવથી પીડિત શ્રમીકોને હોસ્પિટલમાં જગ્યા નહીં મળતા તેમણે રાજકોટ ખસેડવાને બદલે ફેક્ટરીમાં સારવાર આપવાનો નિર્ણય કર્યો – અરૂણભાઇ, માલિક – કેપ્શન સીરામીક
મોરબીનાં આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા
WatchGujarat. દેશભરમાં હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ સંક્રમિતોની સંખ્યામાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે. દરમિયાન કેપ્શન સીરામીકનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. જેમાં શ્રમિકોને એક સિરામિક ફેકટરીમાં સારવાર અપાતી હોવાનું જોઈ શકાય છે. ફેક્ટરી માલિકનાં જણાવ્યા મુજબ હોસ્પિટલમાં જગ્યા નહીં મળવાથી તેમણે ડોક્ટરને બોલાવીને શ્રમિકોને આ રીતે સારવાર આપી હતી.
કેપ્શન સીરામીકનાં માલિક અરૂણભાઈએ જણાવ્યું હતું કે, આ ઘટના ત્રણેક દિવસ પહેલાની છે. જ્યારે તેમની ફેક્ટરીમાં કામ કરતા ચારેક શ્રમિકોની તબિયત લથડી હતી. તેમજ શરદી-તાવ-ઉધરસ થતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઉભી થઇ હતી. જોકે હોસ્પિટલમાં જગ્યા નહીં મળતા તેમણે શ્રમિકોને રાજકોટ ખસેડવાને બદલે ફેક્ટરીમાં સારવાર આપવાનો નિર્ણય કર્યો હતો.
પ્રથમ તો તેઓ જે ડોક્ટર પાસે રેગ્યુલર જાય છે તેના દ્વારા શ્રમિકોને દવાઓ આપવામાં આવી હતી. પરંતુ તેનાથી ફરક નહીં પડતા હોસ્પિટલમાં દાખલ કારવાની જરૂર પડી હતી. જોકે હોસ્પિટલમાં જગ્યા નહીં હોઇ પોતે ફેક્ટરીમાં આ વ્યવસ્થા કરી હતી. તેમજ ડોક્ટરે જાતે જ વિઝીટ કરીને શ્રમિકોને બાટલા ચડાવ્યા હતા. આ તમામ શ્રમિકોનાં કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હાલ મોરબી શહેરની હોસ્પિટલો હાઉસફુલ હોવાનું અને મોરબીનાં દર્દીઓને રાજકોટ ખસેડવામાં આવી રહ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે સીરામીક ફેક્ટરીનાં માલિકે કરેલી આ વ્યવસ્થાને અમુક લોકો વખાણી રહ્યા છે. જ્યારે અમુક લોકો વ્યવસ્થાની ટીકા પણ કરી રહ્યા છે. અને શ્રમિકોને રાજકોટ ખસેડવાની તરફેણ કરી રહ્યા છે. મોરબીની ગોકુલ નકલંક હોસ્પિટલનાં ફોટાઓ પણ સામે આવ્યા છે. જેમાં પણ દર્દીઓની મોટી ભીડ જામી હોવાનું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ત્યારે મોરબીનાં આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે.