રાજકોટમાં મ્યુરકમાઈકોસીસનાં 212 કેસ, દરરોજ અંદાજે 50 નવા દર્દીઓ સામે આવી રહ્યાં છે – ડૉ. ગુલેરિયા.
Watch Gujarat. દેશમાં મ્યુકરમાઇકોસીસના સૌથી વધારે કેસ રાજકોટમાં નોંધાયા છે. આ કારણે દિલ્હીની ટીમ પણ હરકતમાં આવી છે. ગુજરાતમાં માત્ર રાજકોટ તેમજ અમદાવાદમાં મ્યુકરમાઇકોસીસનાં સૌથી વધુ ત્રણ આંકડામાં કેસ નોંધાયા છે. જેને લઈને બુધવારે રાત્રે એઇમ્સના ડાયરેકટર ડો. ગુલેરિયા, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, દેશના અગ્રણી તબીબો તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલના તમામ અધિક્ષકોની હાઈલેવલની વીડિયો કોન્ફરન્સ બેઠક યોજાઈ હતી. એઈમ્સનાં ડાયરેક્ટરે રાજકોટને મ્યુકરમાઇકોસીસની સારવારનું રોલ મોડલ બનાવવાનું જણાવ્યું હતું.
આ બેઠકમાં એઇમ્સના ડાયરેકટર ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે, રાજકોટમાં મ્યુકરમાઇકોસીસનાં 212 કેસ છે. અને દરરોજ અંદાજે 50 નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે સૌથી વધુ મ્યુકર વોર્ડ અને સર્જરી શરૂ કરવી જોઈએ. અને ઇન્જેક્શન જથ્થો આપવા માટે તંત્રને આદેશ કર્યા હતા. સાથે જ તેમણે કહ્યું હતું કે, હવે રાજકોટને મ્યુકરમાઇકોસિસની સારવારનું રોલ મોડેલ બનાવવુ જોઈએ. અને આ માટે જરૂરી તમામ મદદ પુરી પાડવાની ખાતરી પણ તેમણે આપી હતી.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મ્યુકરમાઇકોસીસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરના 9 દર્દીના આ બીમારીથી મોત થયા છે. સૌરાષ્ટ્રમાં મ્યુકરમાઇકોસીસથી જામનગરમાં 5 મોત થયા છે. જેમાં રાજકોટમાં 3 મોત, સુરેન્દ્રનગરના 1 દર્દીનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. એટલું જ નહીં રાજકોટમાં મ્યુકરમાઇકોસીસના કેસો વચ્ચે ચિંતાજનક સમાચાર એ છે કે, રાજકોટમાં આ ટ્રીટમેન્ટ માટે વપરાતા ઈન્જેક્શનની અછતને કારણે દર્દીના ઓપરેશન અટકાવવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. મ્યુકરમાં વપરાતા એમ્ફટેરિસીન નામના ઇન્જેક્શનની અછત પડી છે. ઓપરેશન બાદ દર્દીને 70 ઇન્જેક્શનનો કોર્સ કરવાની જરૂર પડે છે.
આ ઉપરાંત હાલમાં મ્યુકરમાઇકોસીસની સર્જરી માટે પણ લાબું વેઇટિંગ લિસ્ટ છે. આ કારણે દર્દીઓને યોગ્ય સમયે સારવાર મળતી નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસનાં દર્દીઓ માટે 400 જેટલા બેડની સુવિધા ઉભી કરવામાં આવી હોવાના તંત્રનાં દાવા વચ્ચે નવા કેસ ઝડપથી સામે આવી રહ્યા છે. અને ઈન્જેક્શનની અછતને કારણે અઠવાડિયાથી દર્દીઓને ઇન્જેક્શન અપાયા ન હોવાનો પરિવારજનો દ્વારા આરોપ કરાઈ રહ્યો છે.
રાજકોટમાં મ્યુરકમાઈકોસીસનાં 212 કેસ, દરરોજ અંદાજે 50 નવા દર્દીઓ સામે આવી રહ્યાં છે – ડૉ. ગુલેરિયા.
Watch Gujarat. દેશમાં મ્યુકરમાઇકોસીસના સૌથી વધારે કેસ રાજકોટમાં નોંધાયા છે. આ કારણે દિલ્હીની ટીમ પણ હરકતમાં આવી છે. ગુજરાતમાં માત્ર રાજકોટ તેમજ અમદાવાદમાં મ્યુકરમાઇકોસીસનાં સૌથી વધુ ત્રણ આંકડામાં કેસ નોંધાયા છે. જેને લઈને બુધવારે રાત્રે એઇમ્સના ડાયરેકટર ડો. ગુલેરિયા, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, દેશના અગ્રણી તબીબો તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલના તમામ અધિક્ષકોની હાઈલેવલની વીડિયો કોન્ફરન્સ બેઠક યોજાઈ હતી. એઈમ્સનાં ડાયરેક્ટરે રાજકોટને મ્યુકરમાઇકોસીસની સારવારનું રોલ મોડલ બનાવવાનું જણાવ્યું હતું.
આ બેઠકમાં એઇમ્સના ડાયરેકટર ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે, રાજકોટમાં મ્યુકરમાઇકોસીસનાં 212 કેસ છે. અને દરરોજ અંદાજે 50 નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે સૌથી વધુ મ્યુકર વોર્ડ અને સર્જરી શરૂ કરવી જોઈએ. અને ઇન્જેક્શન જથ્થો આપવા માટે તંત્રને આદેશ કર્યા હતા. સાથે જ તેમણે કહ્યું હતું કે, હવે રાજકોટને મ્યુકરમાઇકોસિસની સારવારનું રોલ મોડેલ બનાવવુ જોઈએ. અને આ માટે જરૂરી તમામ મદદ પુરી પાડવાની ખાતરી પણ તેમણે આપી હતી.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મ્યુકરમાઇકોસીસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરના 9 દર્દીના આ બીમારીથી મોત થયા છે. સૌરાષ્ટ્રમાં મ્યુકરમાઇકોસીસથી જામનગરમાં 5 મોત થયા છે. જેમાં રાજકોટમાં 3 મોત, સુરેન્દ્રનગરના 1 દર્દીનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. એટલું જ નહીં રાજકોટમાં મ્યુકરમાઇકોસીસના કેસો વચ્ચે ચિંતાજનક સમાચાર એ છે કે, રાજકોટમાં આ ટ્રીટમેન્ટ માટે વપરાતા ઈન્જેક્શનની અછતને કારણે દર્દીના ઓપરેશન અટકાવવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. મ્યુકરમાં વપરાતા એમ્ફટેરિસીન નામના ઇન્જેક્શનની અછત પડી છે. ઓપરેશન બાદ દર્દીને 70 ઇન્જેક્શનનો કોર્સ કરવાની જરૂર પડે છે.
આ ઉપરાંત હાલમાં મ્યુકરમાઇકોસીસની સર્જરી માટે પણ લાબું વેઇટિંગ લિસ્ટ છે. આ કારણે દર્દીઓને યોગ્ય સમયે સારવાર મળતી નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસનાં દર્દીઓ માટે 400 જેટલા બેડની સુવિધા ઉભી કરવામાં આવી હોવાના તંત્રનાં દાવા વચ્ચે નવા કેસ ઝડપથી સામે આવી રહ્યા છે. અને ઈન્જેક્શનની અછતને કારણે અઠવાડિયાથી દર્દીઓને ઇન્જેક્શન અપાયા ન હોવાનો પરિવારજનો દ્વારા આરોપ કરાઈ રહ્યો છે.