શિયાળો હોવા છતાં અચાનક આ અંડરબ્રીજમાં પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવ્યું
તંત્રની બેદરકારી સામે અનેક સવાલો લોકોમાં ઉઠ્યા
કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલા આ બ્રીજમાં વગર વરસાદે પાણી ભરાતા કામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ
WatchGujarat. શહેરનાં આમ્રપાલી અંડરબ્રીજ ખાતે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સતાધીશો દ્વારા અંડરબ્રીજ બનાવાયો છે. ગત સપ્તાહે જ આ બ્રીજનું મુખ્યમંત્રી રૂપાણીનાં હસ્તે લોકાર્પણ કરાયું હતું. પરંતુ શિયાળો હોવા છતાં અચાનક આ અંડરબ્રીજમાં પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જેને લઈ ચોમાસામાં આ બ્રીજ સ્વિમિંગ પુલ બની જશે તેવી દહેશત લોકોમાં ઉઠી છે. સાથે જ તંત્રની બેદરકારી સામે અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે બ્રીજમાં પાણી ભરાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. તેમજ અહીં રિક્ષાચાલકો વાહન ધોતા નજરે પડ્યા હતા. જેને લઈને જાગૃત નાગરિકે તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા આ ચર્ચા ટોક ઓફ ટાઉન બની હતી. કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલા આ બ્રીજમાં વગર વરસાદે પાણી ભરાતા કામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ પણ લોકો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બ્રીજ લોકાર્પણ થયાનાં બીજા જ દિવસે તંત્ર દ્વારા બ્રીજમાંથી જિલ્લા પંચાયત તરફ જવાનો રસ્તો સફેદ પથ્થરો મૂકીને બંધ કરી દેવાયો હતો. જેને લઈને લોકોમાં ભારે વિરોધનો સુર ઉઠ્યો હતો. આ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં બ્રીજમાં પાણી ભરાતા લોકોની સુવિધા માટે બનેલો આ બ્રીજ માથાના દુખાવા સમાન બની ગયો છે. જો કે બ્રીજ મંજુર કરતી વખતે તેમાં મોટરો મૂકી હોવાથી ચોમાસામાં પણ કોઈ મુશ્કેલી નહીં પડેનાં દાવા તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા. પણ વરસાદને તો હજુ મહિનાઓની વાર છે. ત્યાં શિયાળામાં બ્રીજમાં પાણી ભરાઈ જતા તંત્ર દોડતું થઈ ગયું છે. અને જેને બ્રીજનો કોન્ટ્રાકટ અપાયો હતો તે કંપનીનાં સંચાલકોને જાણ કરવા સહિતની જરૂરી કાર્યવાહી શરૂ કરાઇ છે.
- શિયાળો હોવા છતાં અચાનક આ અંડરબ્રીજમાં પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવ્યું
- તંત્રની બેદરકારી સામે અનેક સવાલો લોકોમાં ઉઠ્યા
- કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલા આ બ્રીજમાં વગર વરસાદે પાણી ભરાતા કામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ
WatchGujarat. શહેરનાં આમ્રપાલી અંડરબ્રીજ ખાતે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સતાધીશો દ્વારા અંડરબ્રીજ બનાવાયો છે. ગત સપ્તાહે જ આ બ્રીજનું મુખ્યમંત્રી રૂપાણીનાં હસ્તે લોકાર્પણ કરાયું હતું. પરંતુ શિયાળો હોવા છતાં અચાનક આ અંડરબ્રીજમાં પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જેને લઈ ચોમાસામાં આ બ્રીજ સ્વિમિંગ પુલ બની જશે તેવી દહેશત લોકોમાં ઉઠી છે. સાથે જ તંત્રની બેદરકારી સામે અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે બ્રીજમાં પાણી ભરાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. તેમજ અહીં રિક્ષાચાલકો વાહન ધોતા નજરે પડ્યા હતા. જેને લઈને જાગૃત નાગરિકે તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા આ ચર્ચા ટોક ઓફ ટાઉન બની હતી. કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલા આ બ્રીજમાં વગર વરસાદે પાણી ભરાતા કામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ પણ લોકો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બ્રીજ લોકાર્પણ થયાનાં બીજા જ દિવસે તંત્ર દ્વારા બ્રીજમાંથી જિલ્લા પંચાયત તરફ જવાનો રસ્તો સફેદ પથ્થરો મૂકીને બંધ કરી દેવાયો હતો. જેને લઈને લોકોમાં ભારે વિરોધનો સુર ઉઠ્યો હતો. આ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં બ્રીજમાં પાણી ભરાતા લોકોની સુવિધા માટે બનેલો આ બ્રીજ માથાના દુખાવા સમાન બની ગયો છે. જો કે બ્રીજ મંજુર કરતી વખતે તેમાં મોટરો મૂકી હોવાથી ચોમાસામાં પણ કોઈ મુશ્કેલી નહીં પડેનાં દાવા તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા. પણ વરસાદને તો હજુ મહિનાઓની વાર છે. ત્યાં શિયાળામાં બ્રીજમાં પાણી ભરાઈ જતા તંત્ર દોડતું થઈ ગયું છે. અને જેને બ્રીજનો કોન્ટ્રાકટ અપાયો હતો તે કંપનીનાં સંચાલકોને જાણ કરવા સહિતની જરૂરી કાર્યવાહી શરૂ કરાઇ છે.