પ્રાઇવેટ શોરૂમમાં નોકરી કરતી યુવતિને યુવક સાથે પ્રેમ થયો
પરિવારની મંજુરી બાદ પ્રેમી યુગલે લગ્ન કર્યા
એક મહિના પૂર્વે નેહલે પિતાને ફોન કરી અહીંથી તેડી જાવ તેમ કહેતા તેણીના પિતા તેને માવતરે લઇ ગયા
WatchGujarat. શહેરનાં જીવરાજ પાર્ક ભારતનગરમાં ચાર માસ પૂર્વે પ્રેમલગ્ન કરનાર નવોઢાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. યુવતિનાં પિતાએ આ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી કહેતી કે, 'મારો પતિ મારી નાંખશે કા તેના ત્રાસથી મરી જઈશ' હાલ તો તાલુકા પોલીસે પતિ સામે ગુનો દાખલ કરી આરોપી પતિને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર, જામનગર હાઇવે પર પરાપીપળીયા પાટિયા પાસે મહાદેવ પાર્કમાં રહેતા વિજયભાઈ લીલાધરભાઇ બદ્રકિયા નામના 53 વર્ષીય આધેડે તાલુકા પોલીસ સ્ટેશનમાં જમાઈ નિલેષ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં નિલેષે પોતાની દિકરી નેહલને મરવા મજબુર કરી હોવાનો સણસણતો આક્ષેપ લગાવ્યો છે. અંગે નોંધાવેલી
ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, નેહલ એક પ્રાઇવેટ શોરૂમમાં નોકરી કરતી હતી. એક વર્ષ પૂર્વે તેને નિલેષ સાથે પ્રેમસંબંધ છે. તેવું પરિવારને જણાવતા બંનેના પરિવાર મળ્યા હતા. અને રાજીખુશીથી 12 ઓક્ટોબર 2020ના રોજ ધામધૂમથી લગ્ન કરી આપ્યા હતા. અને દિકરી-જમાઈ બંને ભારતનગરમાં રહેવા ગયા હતા. એક મહિના પૂર્વે નેહલે પિતાને ફોન કરી અહીંથી તેડી જાવ તેમ કહેતા તેણીના પિતા તેને માવતરે લઇ ગયા હતા.
દરમિયાન પતિ ખુબ ત્રાસ આપતો હોવાની અને વાત વાતમાં ઠપકો આપી સંયુક્ત પરિવારમાં રહેવા દબાણ કરતો હોવાનું તેણીએ કહ્યું હતું. એટલું જ નહીં જો તે ત્યાં પરત જશે તો પતિ તેને મારી નાખશે અથવા તેના ત્રાસથી પોતે આપઘાત કરી લેશે તેવું પણ તેણીએ કહ્યું હતું. છતાં પતિ 10 દિવસ બાદ તેડવા આવ્યો હોવાથી પોતે સમજાવતા દિકરી સાથે જાવા તૈયાર થઈ ગઈ હતી. જોકે અંતે પતિના ત્રાસથી કંટાળી ગત 4 તારીખે નેહલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પ્રાઇવેટ શોરૂમમાં નોકરી કરતી યુવતિને યુવક સાથે પ્રેમ થયો
પરિવારની મંજુરી બાદ પ્રેમી યુગલે લગ્ન કર્યા
એક મહિના પૂર્વે નેહલે પિતાને ફોન કરી અહીંથી તેડી જાવ તેમ કહેતા તેણીના પિતા તેને માવતરે લઇ ગયા
WatchGujarat. શહેરનાં જીવરાજ પાર્ક ભારતનગરમાં ચાર માસ પૂર્વે પ્રેમલગ્ન કરનાર નવોઢાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. યુવતિનાં પિતાએ આ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી કહેતી કે, 'મારો પતિ મારી નાંખશે કા તેના ત્રાસથી મરી જઈશ' હાલ તો તાલુકા પોલીસે પતિ સામે ગુનો દાખલ કરી આરોપી પતિને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર, જામનગર હાઇવે પર પરાપીપળીયા પાટિયા પાસે મહાદેવ પાર્કમાં રહેતા વિજયભાઈ લીલાધરભાઇ બદ્રકિયા નામના 53 વર્ષીય આધેડે તાલુકા પોલીસ સ્ટેશનમાં જમાઈ નિલેષ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં નિલેષે પોતાની દિકરી નેહલને મરવા મજબુર કરી હોવાનો સણસણતો આક્ષેપ લગાવ્યો છે. અંગે નોંધાવેલી
ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, નેહલ એક પ્રાઇવેટ શોરૂમમાં નોકરી કરતી હતી. એક વર્ષ પૂર્વે તેને નિલેષ સાથે પ્રેમસંબંધ છે. તેવું પરિવારને જણાવતા બંનેના પરિવાર મળ્યા હતા. અને રાજીખુશીથી 12 ઓક્ટોબર 2020ના રોજ ધામધૂમથી લગ્ન કરી આપ્યા હતા. અને દિકરી-જમાઈ બંને ભારતનગરમાં રહેવા ગયા હતા. એક મહિના પૂર્વે નેહલે પિતાને ફોન કરી અહીંથી તેડી જાવ તેમ કહેતા તેણીના પિતા તેને માવતરે લઇ ગયા હતા.
દરમિયાન પતિ ખુબ ત્રાસ આપતો હોવાની અને વાત વાતમાં ઠપકો આપી સંયુક્ત પરિવારમાં રહેવા દબાણ કરતો હોવાનું તેણીએ કહ્યું હતું. એટલું જ નહીં જો તે ત્યાં પરત જશે તો પતિ તેને મારી નાખશે અથવા તેના ત્રાસથી પોતે આપઘાત કરી લેશે તેવું પણ તેણીએ કહ્યું હતું. છતાં પતિ 10 દિવસ બાદ તેડવા આવ્યો હોવાથી પોતે સમજાવતા દિકરી સાથે જાવા તૈયાર થઈ ગઈ હતી. જોકે અંતે પતિના ત્રાસથી કંટાળી ગત 4 તારીખે નેહલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.