NSUI અને કોંગ્રેસના આગેવાનો સાયકલો હંકારીને DEO કચેરી પહોંચ્યા હતા અને સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો અને હલ્લાબોલ કર્યો
DEO ઓફીસની લોબીમા અંદર સાયકલ પહોંચાડીને રામધૂન બોલાવીને સુતેલી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો
કોરાનાકાળ માત્ર ખાનગી શાળા અને કોલેજોને નથી નડ્યો - NSUI જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત
WatchGujarat. રાજ્ય-સરકાર દ્રારા કોરાનાકાળને લીધે સ્કુલો-કોલેજો બંધ હોવાના કારણે વાહનવેરો માફ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે NSUI અને કોંગ્રેસ દ્રારા આ નિર્ણય વખોડી કાઢવામાં આવ્યો છે. તેમજ NSUI અને કોંગ્રેસના આગેવાનો સાયકલો હંકારીને DEO કચેરી પહોંચ્યા હતા અને સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો અને હલ્લાબોલ કર્યો હતો. DEO ઓફીસની લોબીમા અંદર સાયકલ પહોંચાડીને રામધૂન બોલાવીને સુતેલી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ કાર્યકરો દ્રારા આ નિર્ણયના વિરોધમા સુત્રોચ્ચાર અને રામધૂન બોલાવી હતી. જો કે પોલીસ દ્રારા પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની ટીંગાટીળી કરી અટકાયત કરવામાં આવી છે.
આ તકે NSUI જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, કોરાનાકાળ માત્ર ખાનગી શાળા અને કોલેજોને નથી નડ્યો. રાજ્યના વાલીઓએ વિદ્યાર્થીની ફી માટે સરકારને આજીજી કરીને રજૂઆતો કરી પંરતુ સરકારે માત્ર 25% ફી માફીની લોલીપોપ આપીને મૂર્ખ બનાવ્યા છે. બીજીતરફ કોરાનાકાળ વચ્ચે લોકો મંદી, મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત છે. તમામ લોકોના ધંધા અને રોજગાર ઠપ્પ છે તો તેમને કેમ કોઈ વેરામાફી અપાતી નથી ?
હાલ પેટ્રોલ-ડીઝલના અને રાંધણગેસના ભાવ દીવસે દિવસે વધી રહ્યા છે તો તેમા કેમ કોઈપણ જાતની સરકાર દ્રારા લોકોને વેરામાફી કે સહાય નહી ? ત્યારે રાજ્ય સરકારનો આ નિર્ણય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંચાલકોને રાજી રાખવા લેવાયો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. વધુમા જણાવ્યુ હતુ કે એક તરફ ખાનગી શાળા-કોલેજ સંચાલકો સરકારના કહેવામા નથી. તો તેમને આવી કરોડો રૂપીયાની રાહત કેમ આપી? આ સંચાલકો સરકારના કમાઉ દીકરા છે એટલે જ તેમને આવી ભેટ આપવામા આવી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
More #Rajkot #Congress #NSUI #oppose #at #DEO #office #Watchgujarat
NSUI અને કોંગ્રેસના આગેવાનો સાયકલો હંકારીને DEO કચેરી પહોંચ્યા હતા અને સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો અને હલ્લાબોલ કર્યો
DEO ઓફીસની લોબીમા અંદર સાયકલ પહોંચાડીને રામધૂન બોલાવીને સુતેલી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો
કોરાનાકાળ માત્ર ખાનગી શાળા અને કોલેજોને નથી નડ્યો - NSUI જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત
WatchGujarat. રાજ્ય-સરકાર દ્રારા કોરાનાકાળને લીધે સ્કુલો-કોલેજો બંધ હોવાના કારણે વાહનવેરો માફ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે NSUI અને કોંગ્રેસ દ્રારા આ નિર્ણય વખોડી કાઢવામાં આવ્યો છે. તેમજ NSUI અને કોંગ્રેસના આગેવાનો સાયકલો હંકારીને DEO કચેરી પહોંચ્યા હતા અને સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો અને હલ્લાબોલ કર્યો હતો. DEO ઓફીસની લોબીમા અંદર સાયકલ પહોંચાડીને રામધૂન બોલાવીને સુતેલી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ કાર્યકરો દ્રારા આ નિર્ણયના વિરોધમા સુત્રોચ્ચાર અને રામધૂન બોલાવી હતી. જો કે પોલીસ દ્રારા પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની ટીંગાટીળી કરી અટકાયત કરવામાં આવી છે.
આ તકે NSUI જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, કોરાનાકાળ માત્ર ખાનગી શાળા અને કોલેજોને નથી નડ્યો. રાજ્યના વાલીઓએ વિદ્યાર્થીની ફી માટે સરકારને આજીજી કરીને રજૂઆતો કરી પંરતુ સરકારે માત્ર 25% ફી માફીની લોલીપોપ આપીને મૂર્ખ બનાવ્યા છે. બીજીતરફ કોરાનાકાળ વચ્ચે લોકો મંદી, મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત છે. તમામ લોકોના ધંધા અને રોજગાર ઠપ્પ છે તો તેમને કેમ કોઈ વેરામાફી અપાતી નથી ?
હાલ પેટ્રોલ-ડીઝલના અને રાંધણગેસના ભાવ દીવસે દિવસે વધી રહ્યા છે તો તેમા કેમ કોઈપણ જાતની સરકાર દ્રારા લોકોને વેરામાફી કે સહાય નહી ? ત્યારે રાજ્ય સરકારનો આ નિર્ણય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંચાલકોને રાજી રાખવા લેવાયો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. વધુમા જણાવ્યુ હતુ કે એક તરફ ખાનગી શાળા-કોલેજ સંચાલકો સરકારના કહેવામા નથી. તો તેમને આવી કરોડો રૂપીયાની રાહત કેમ આપી? આ સંચાલકો સરકારના કમાઉ દીકરા છે એટલે જ તેમને આવી ભેટ આપવામા આવી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
More #Rajkot #Congress #NSUI #oppose #at #DEO #office #Watchgujarat