બે દિવસ પહેલા શહેરમાં હત્યાના બનાવને પગલે ચમચારી મચી જવા પામી હતી
આજે ગ્રીનલેન્ડ ચોકડી પાસે વધુ એક હત્યાની ઘટના સામે આવી
હત્યાનો ભોગ બનનાર યુવક ગાઉ ગુનામાં સંડોવાયો હોવાની વિગતો સામે આવી
WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પુરી થયા બાદ ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. હજુ બે દિવસ પહેલા શહેરના હોસ્પિટલ ચોક નજીક હત્યાની ઘટના સામે આવી હતી. ત્યારે આજે શહેરના કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે માથામાં બોથડ પદાર્થનાં ઘા મારી યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અને પોલીસને જાણ કરવામાં આવતા બી-ડિવીઝન પીઆઇ ઓૈસુરા સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ, હત્યાનો ભોગ બનનાર યુવાન મુળ પોરબંદરનો વતની છે. અને હાલ શહેરનાં મામાવાડી વિસ્તાર પાસે રહેતા આ યુવાનનું નામ મુકેશ કાનાભાઇ સોલંકી અને તે દેવીપૂજક હોવાનું સામે આવ્યું છે. જો કે તેની હત્યા કોણે અને શા માટે કરી? તે અંગે હજુસુધી કોઈપણ માહિતી મળી નથી. મુકેશ નામના હત્યાનો ભોગ બનનાર યુવાન વિરૂધ્ધ પોરબંદરમાં પણ અમુક ગુના નોંધાયા હોવાની માહિતી પણ સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શહેરના હોસ્પિટલ ચોક નજીક 50 વર્ષીય આધેડને આડેધડ પથ્થરોનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં જ આ ઘટનાને અંજામ આપનાર બંને હત્યારાઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પરંતુ અવારનવાર બનતી હત્યાની ઘટનાઓને લઈને લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ આ હત્યા કરનાર આરોપીઓને જલ્દીથી ઝડપી લેવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
બે દિવસ પહેલા શહેરમાં હત્યાના બનાવને પગલે ચમચારી મચી જવા પામી હતી
આજે ગ્રીનલેન્ડ ચોકડી પાસે વધુ એક હત્યાની ઘટના સામે આવી
હત્યાનો ભોગ બનનાર યુવક ગાઉ ગુનામાં સંડોવાયો હોવાની વિગતો સામે આવી
WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પુરી થયા બાદ ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. હજુ બે દિવસ પહેલા શહેરના હોસ્પિટલ ચોક નજીક હત્યાની ઘટના સામે આવી હતી. ત્યારે આજે શહેરના કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે માથામાં બોથડ પદાર્થનાં ઘા મારી યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અને પોલીસને જાણ કરવામાં આવતા બી-ડિવીઝન પીઆઇ ઓૈસુરા સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ, હત્યાનો ભોગ બનનાર યુવાન મુળ પોરબંદરનો વતની છે. અને હાલ શહેરનાં મામાવાડી વિસ્તાર પાસે રહેતા આ યુવાનનું નામ મુકેશ કાનાભાઇ સોલંકી અને તે દેવીપૂજક હોવાનું સામે આવ્યું છે. જો કે તેની હત્યા કોણે અને શા માટે કરી? તે અંગે હજુસુધી કોઈપણ માહિતી મળી નથી. મુકેશ નામના હત્યાનો ભોગ બનનાર યુવાન વિરૂધ્ધ પોરબંદરમાં પણ અમુક ગુના નોંધાયા હોવાની માહિતી પણ સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શહેરના હોસ્પિટલ ચોક નજીક 50 વર્ષીય આધેડને આડેધડ પથ્થરોનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં જ આ ઘટનાને અંજામ આપનાર બંને હત્યારાઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પરંતુ અવારનવાર બનતી હત્યાની ઘટનાઓને લઈને લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ આ હત્યા કરનાર આરોપીઓને જલ્દીથી ઝડપી લેવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે.