યુવાનો રોજગાર માટે ભટકી રહ્યાં છે. દિવસ ઉગતાની સાથે 10 હજાર યુવાનો નોકરી ગુમાવી રહ્યાં છે- પરેશ ધાનાણી
કોંગ્રેસ સરકાર આવશે તો શિક્ષણનાં સ્તરમાં સૌપ્રથમ સુધારો કરવામાં આવશે
WatchGujarat. કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે રાજકોટની મુલાકાતે છે. અહીં તેમણે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં માસ્કનાં દંડ, પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધારા સહિતનાં મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ કેટલાક પોલીસ કર્મચારીઓ ભાજપનાં જ ઈશારે કોંગ્રેસનાં કાર્યકરોને ખોટી રીતે હેરાન કરતા હોવાનો આક્ષેપ લગાવી આ અંગે પોલીસ કમિશ્નરને આવેદન પાઠવી રજુઆત પણ કરી હતી. ત્યારબાદ શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં સભાઓ સંબોધી હતી. જેમાં પણ ભાજપ સરકારની નીતિઓ અંગે આકરી ટીકા કરીને કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી.
પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, યુવાનો રોજગાર માટે ભટકી રહ્યાં છે. દિવસ ઉગતાની સાથે 10 હજાર યુવાનો નોકરી ગુમાવી રહ્યાં છે, તેનો ભાજપ જવાબ આપે. બીજીતરફ GSTને કારણે નાના અને મધ્યમ વર્ગીય વેપારીઓ લૂંટાઈ રહ્યા છે. તેમજ દેવાના ડુંગર નીચે ડૂબી રહ્યા છે. સાથે જ ભાજપનાં શાસનમાં શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું હોવાથી સરકારી શાળાઓ બંધ થઇ રહી છે. ત્યારે જો કોંગ્રેસ સરકાર આવશે તો શિક્ષણનાં સ્તરમાં સૌપ્રથમ સુધારો કરવામાં આવશે તેવું વચન પણ તેમણે આપ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા માસ્કના નામે સવાસો કરોડનો દંડ ગુજરાતની જનતા પાસેથી વસૂલવામાં આવ્યો છે. કોરોનાની મહામારી આવી ત્યારે સરકાર પાસે ખાટલા નહોતા. જેને લઈને ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્ટેલમાં દર્દીઓને રાખવા પડ્યા હતા. આ ક્યાં પ્રકારનું આયોજન છે? અને આટલું કર્યા પછી પણ કોરોના તો બેકાબૂ રહ્યો હતો. ઉપરાંત પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ અને ગેસ સિલિન્ડરમાં સતત ભાવ વધતા જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ જનતા સાથે રહી વિરોધ નોંધાવશે તેવો સંકલ્પ પણ ધાનાણીએ વ્યક્ત કર્યો હતો.
યુવાનો રોજગાર માટે ભટકી રહ્યાં છે. દિવસ ઉગતાની સાથે 10 હજાર યુવાનો નોકરી ગુમાવી રહ્યાં છે- પરેશ ધાનાણી
કોંગ્રેસ સરકાર આવશે તો શિક્ષણનાં સ્તરમાં સૌપ્રથમ સુધારો કરવામાં આવશે
WatchGujarat. કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે રાજકોટની મુલાકાતે છે. અહીં તેમણે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં માસ્કનાં દંડ, પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધારા સહિતનાં મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ કેટલાક પોલીસ કર્મચારીઓ ભાજપનાં જ ઈશારે કોંગ્રેસનાં કાર્યકરોને ખોટી રીતે હેરાન કરતા હોવાનો આક્ષેપ લગાવી આ અંગે પોલીસ કમિશ્નરને આવેદન પાઠવી રજુઆત પણ કરી હતી. ત્યારબાદ શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં સભાઓ સંબોધી હતી. જેમાં પણ ભાજપ સરકારની નીતિઓ અંગે આકરી ટીકા કરીને કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી.
પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, યુવાનો રોજગાર માટે ભટકી રહ્યાં છે. દિવસ ઉગતાની સાથે 10 હજાર યુવાનો નોકરી ગુમાવી રહ્યાં છે, તેનો ભાજપ જવાબ આપે. બીજીતરફ GSTને કારણે નાના અને મધ્યમ વર્ગીય વેપારીઓ લૂંટાઈ રહ્યા છે. તેમજ દેવાના ડુંગર નીચે ડૂબી રહ્યા છે. સાથે જ ભાજપનાં શાસનમાં શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું હોવાથી સરકારી શાળાઓ બંધ થઇ રહી છે. ત્યારે જો કોંગ્રેસ સરકાર આવશે તો શિક્ષણનાં સ્તરમાં સૌપ્રથમ સુધારો કરવામાં આવશે તેવું વચન પણ તેમણે આપ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા માસ્કના નામે સવાસો કરોડનો દંડ ગુજરાતની જનતા પાસેથી વસૂલવામાં આવ્યો છે. કોરોનાની મહામારી આવી ત્યારે સરકાર પાસે ખાટલા નહોતા. જેને લઈને ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્ટેલમાં દર્દીઓને રાખવા પડ્યા હતા. આ ક્યાં પ્રકારનું આયોજન છે? અને આટલું કર્યા પછી પણ કોરોના તો બેકાબૂ રહ્યો હતો. ઉપરાંત પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ અને ગેસ સિલિન્ડરમાં સતત ભાવ વધતા જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ જનતા સાથે રહી વિરોધ નોંધાવશે તેવો સંકલ્પ પણ ધાનાણીએ વ્યક્ત કર્યો હતો.