મ્યુકરમાઇકોસીસ માટે જરૂરી દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો હાલ ઉપલબ્ધ
ખાનગી હોસ્પિટલમાંથી કોઈ દર્દી આવે તો તેની પણ સારવાર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે
ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ શહેર-જિલ્લાની 14 હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી
મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રી અને ધારાસભ્યો તેમજ સાંસદની ગ્રાન્ટમાંથી આ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. અને સાથે મૃતકોની સંખ્યામાં ઘટાડો સતત બીજા દિવસે પણ યથાવત છે. અને છેલ્લા 24 કલાકમાં વધુ 39 દર્દીઓનો કોરોનાની સારવાર દરમિયાન ભોગ લેવાયો છે. તો બપોર સુધી વધુ 112 પોઝીટીવ કેસ પણ સામે આવ્યા છે. જોકે શહેરમાં મ્યુકરમાઇકોસીસનાં કેસો વધતા વહીવટીતંત્ર ચિંતામાં મુકાયું છે. કલેકટરે પત્રકાર પરિષદ યોજી આ માટે હાલ સરકારી અને ખાનગી મળી 25 ડોક્ટરો ખડેપગે હોવા સહિતની જાણકારી આપી હતી.
કલેક્ટર રેમ્યા મોહનનાં જણાવ્યા મુજબ, કોરોનાનાં સંક્રમણમાં રાહત મળવાની સાથે મ્યુકરમાઇકોસીસનાં કેસો સતત વધી રહ્યા છે. અને હાલ દરરોજ અંદાજે 40-50 કેસ સામે આવી રહ્યા છે. જોકે આ મામલે તંત્ર સતર્ક છે. અને હાલમાં 500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તો 22 ખાનગી તેમજ 3 સરકારી ડોક્ટર્સ સહિત કુલ 25 ડોક્ટરોની ટીમ જરૂરી ઓપરેશન કરવા માટે સતત ખડેપગે છે. સાથે જ મ્યુકરમાઇકોસીસ માટે જરૂરી દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો હાલ ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલમાંથી કોઈ દર્દી આવે તો તેની પણ સારવાર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. સાથે જ આ મુદ્દે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનું સતત માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ ઓક્સિજનની ખપતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ શહેર-જિલ્લાની 14 હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રી અને ધારાસભ્યો તેમજ સાંસદની ગ્રાન્ટમાંથી આ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ઉપરાંત CHC, PHC, અને નગરપાલિકાઓ વિસ્તારની હોસ્પિટલમાં પણ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
રાજકોટ શહેર તેમજ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 39નો ભોગ લીધો છે. સતાવાર વિગતો અનુસાર ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 સુધીમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા શહેર અને જીલ્લાના 39 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જો કે મોત અંગેનો આખરી નિર્ણય સરકાર દ્વારા ખાસ નિમાયેલી ડેથ ઓડિટ કમિટી કરશે. ગઈકાલે થયેલા 38 પૈકી માત્ર 8નાં મૃત્યુ કોરોનાને કારણે થયાનું કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું છે.
બીજીતરફ પોઝીટીવ કેસની સંખ્યામાં ધીમો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને બપોર સુધીમાં વધુ 112 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. મ્યુ. કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે 5 વાગ્યાથી આજે બપોરે 12 સુધીમાં કોરોનાનાં વધુ 112 કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 38,622 થઈ છે. જો કે આ પૈકી 35,663 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા હાલ રિકવરી રેઈટ 92.60 ટકા પર પહોંચ્યો છે. જ્યારે પોઝીટીવીટી રેઈટ 3.57 ટકા થયો છે.
મ્યુકરમાઇકોસીસ માટે જરૂરી દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો હાલ ઉપલબ્ધ
ખાનગી હોસ્પિટલમાંથી કોઈ દર્દી આવે તો તેની પણ સારવાર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે
ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ શહેર-જિલ્લાની 14 હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી
મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રી અને ધારાસભ્યો તેમજ સાંસદની ગ્રાન્ટમાંથી આ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. અને સાથે મૃતકોની સંખ્યામાં ઘટાડો સતત બીજા દિવસે પણ યથાવત છે. અને છેલ્લા 24 કલાકમાં વધુ 39 દર્દીઓનો કોરોનાની સારવાર દરમિયાન ભોગ લેવાયો છે. તો બપોર સુધી વધુ 112 પોઝીટીવ કેસ પણ સામે આવ્યા છે. જોકે શહેરમાં મ્યુકરમાઇકોસીસનાં કેસો વધતા વહીવટીતંત્ર ચિંતામાં મુકાયું છે. કલેકટરે પત્રકાર પરિષદ યોજી આ માટે હાલ સરકારી અને ખાનગી મળી 25 ડોક્ટરો ખડેપગે હોવા સહિતની જાણકારી આપી હતી.
કલેક્ટર રેમ્યા મોહનનાં જણાવ્યા મુજબ, કોરોનાનાં સંક્રમણમાં રાહત મળવાની સાથે મ્યુકરમાઇકોસીસનાં કેસો સતત વધી રહ્યા છે. અને હાલ દરરોજ અંદાજે 40-50 કેસ સામે આવી રહ્યા છે. જોકે આ મામલે તંત્ર સતર્ક છે. અને હાલમાં 500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તો 22 ખાનગી તેમજ 3 સરકારી ડોક્ટર્સ સહિત કુલ 25 ડોક્ટરોની ટીમ જરૂરી ઓપરેશન કરવા માટે સતત ખડેપગે છે. સાથે જ મ્યુકરમાઇકોસીસ માટે જરૂરી દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો હાલ ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલમાંથી કોઈ દર્દી આવે તો તેની પણ સારવાર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. સાથે જ આ મુદ્દે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનું સતત માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ ઓક્સિજનની ખપતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ શહેર-જિલ્લાની 14 હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રી અને ધારાસભ્યો તેમજ સાંસદની ગ્રાન્ટમાંથી આ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ઉપરાંત CHC, PHC, અને નગરપાલિકાઓ વિસ્તારની હોસ્પિટલમાં પણ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
રાજકોટ શહેર તેમજ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 39નો ભોગ લીધો છે. સતાવાર વિગતો અનુસાર ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 સુધીમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા શહેર અને જીલ્લાના 39 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જો કે મોત અંગેનો આખરી નિર્ણય સરકાર દ્વારા ખાસ નિમાયેલી ડેથ ઓડિટ કમિટી કરશે. ગઈકાલે થયેલા 38 પૈકી માત્ર 8નાં મૃત્યુ કોરોનાને કારણે થયાનું કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું છે.
બીજીતરફ પોઝીટીવ કેસની સંખ્યામાં ધીમો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને બપોર સુધીમાં વધુ 112 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. મ્યુ. કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે 5 વાગ્યાથી આજે બપોરે 12 સુધીમાં કોરોનાનાં વધુ 112 કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 38,622 થઈ છે. જો કે આ પૈકી 35,663 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા હાલ રિકવરી રેઈટ 92.60 ટકા પર પહોંચ્યો છે. જ્યારે પોઝીટીવીટી રેઈટ 3.57 ટકા થયો છે.