શહેરનાં કેકેવી ચોક સહિતના વિસ્તારોમાં રાત્રી કરફ્યુ શરૂ થવાના અડધો કલાક પહેલાં ટ્રાફિક સિગ્નલો પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા
ટ્રાફિક ક્લિયર કરાવવા વિનંતી કરવાની સાથે મહિલાએ પોલીસ કર્મચારી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી
વાહન ચાલકો આડેધડ ન ચલાવે તે માટે આવા ચાર રસ્તાઓ પર પોલીસનો બંદોબસ્ત રહેશે - પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ
WatchGujarat. કોરોના કાળમાં સામાન્ય નાગરીકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં છે. એમાં કહેવાતાં ‘પ્રજા-મિત્ર’ પોલીસ દ્વારા પડતાં પર પાટું મારવાનો ખેલ ખેલાતો હોય છે. હાલમાં જ્યારે રાજ્ય સરકારે 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યુ શરૂ કરવાની જાહેરાત કરી છે. ત્યારે રાજકોટમાં એક કારચાલક મહિલાને ટ્રાફિક પોલીસે અટકાવી હોવાનો વિડીયો વાઈરલ થયો હતો. જેમાં મહિલા પોતાના ઘરે જવાની વ્યથા વ્યક્ત કરે છે ત્યારે પોલીસ કર્મીએને સુફિયાણી સલાહ આપવા લાગે છે અને એક તબક્કે તો પોલીસ કર્મી ‘એ મારો વિષય નથી’ એવો સદંતર અયોગ્ય ઉત્તર આપીને ફરજ બજાવ્યાનો કે ઉપરી અધિકારીઓના આદેશનું પાલન કર્યાનો સંતોષ માણતો જોવા મળે છે.
મહિલાને થયેલી હેરાનગતિનો વિડીયો વાઈરલ થયા બાદ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને જાણે પ્રજાની પીડા સમજાઈ હોય એવું બનવા પામ્યું છે. અને હવેથી રાત્રિ કર્ફ્યુના 1 કલાક અગાઉ ટ્રાફિક સિગ્નલ પર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યયભરમાં જ્યાં કર્ફ્યુ લાગું કરાયો છે ત્યાં હજી પ્રજાજનોને પડતી અગવડો યથાવત્ રહેવા પામી છે.
https://youtu.be/O4gWJJz6IOA
જાણો શું હતું મહિલા કાર ચાલકનાં વાયરલ થયેલા વિડીયોમાં
ગતરાત્રે શહેરનાં કેકેવી ચોક સહિતના વિસ્તારોમાં રાત્રી કરફ્યુ શરૂ થવાના અડધો કલાક પહેલાં ટ્રાફિક સિગ્નલો પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન એક મહિલા ચાલકની કાર કેકેવી ચોકના આ ટ્રાફિકમાં ફંસાઈ હતી. જેને લઈને ટ્રાફિક ક્લિયર કરાવવા વિનંતી કરવાની સાથે આ મહિલાએ પોલીસ કર્મચારી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. અને જણાવ્યું હતું કે, સાત વાગ્યા કરતા વહેલા ઓફિસેથી જવા નથી દેતા. અને એવામાં સિગ્નલો પર આ રીતે ટ્રાફિકજામ થાય છે. તો કરફ્યુનાં સમય પહેલા કંઈ રીતે પહોંચવું સાહેબ ?
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનાં જણાવ્યા મુજબ, ગતસાંજે ટ્રાફિકજામ સર્જાવા પાછળ ટ્રાફિક સિગ્નલો જવાબદાર હોવાનું ચિત્ર ઉપસતાં આજથી સાંજે સાત વાગ્યે જ તમામ ચાર રસ્તાઓ પરના ટ્રાફિક સિગ્નલોને બંધ કરી દેવામાં આવશે. જેથી લોકોને લાંબો સમય ઉભા ન રહેવું પડે તેમજ ટ્રાફિક ઝડપથી પસાર થઇ જાય. જોકે વાહન ચાલકો આડેધડ ન ચલાવે તે માટે આવા ચાર રસ્તાઓ પર પોલીસનો બંદોબસ્ત રહેશે. હાલ વધી રહેલા આ સંક્રમણ અટકાવવાની કામગીરી માટે 3 હજાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજમાં તૈનાત હોવાનું પણ તેમણે કહ્યું છે. સાથે સાથે લોકોને માસ્ક - સેનેટાઇઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોનાના નિયમોનું પાલન કરી અને પોલીસને સહકાર આપવાની અપીલ પણ તેમણે કરી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરના લોકોને ફરિયાદ કરવા માટે પણ બહુ જરૂર હોય તો જ પોલીસ સ્ટેશને કે પોલીસ કમિશ્નર કચેરીએ આવવું જોઈએ. અન્યથા શહેર પોલીસના ઇ-મેઇલ આઇડી, ફેસબૂક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને સિટીઝન પોર્ટલ પર ફરિયાદ અરજી કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સાથે જ કચેરીએ ટોળા રૂપે ન આવી બે વ્યકિતએ જ આવવાનું સુચન કર્યું છે. સાથે તમામ પોલીસ મથકના ઇ-મેલ આઇડી તથા ઇન્ચાર્જના મોબાઇલ નંબર પણ જાહેર કર્યા છે. તેનો જરૂર મુજબ ઉપયોગ કરવાની અને 100 નંબર પર ફોન કરવાથી પણ પ્રશ્નનો ઉકેલ લાવવાની ખાતરી આપતા તેમણે બિનજરૂરી બહાર ન નીકળવા લોકોને અનુરોધ કર્યો છે.
શહેરનાં કેકેવી ચોક સહિતના વિસ્તારોમાં રાત્રી કરફ્યુ શરૂ થવાના અડધો કલાક પહેલાં ટ્રાફિક સિગ્નલો પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા
ટ્રાફિક ક્લિયર કરાવવા વિનંતી કરવાની સાથે મહિલાએ પોલીસ કર્મચારી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી
વાહન ચાલકો આડેધડ ન ચલાવે તે માટે આવા ચાર રસ્તાઓ પર પોલીસનો બંદોબસ્ત રહેશે - પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ
WatchGujarat. કોરોના કાળમાં સામાન્ય નાગરીકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં છે. એમાં કહેવાતાં ‘પ્રજા-મિત્ર’ પોલીસ દ્વારા પડતાં પર પાટું મારવાનો ખેલ ખેલાતો હોય છે. હાલમાં જ્યારે રાજ્ય સરકારે 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યુ શરૂ કરવાની જાહેરાત કરી છે. ત્યારે રાજકોટમાં એક કારચાલક મહિલાને ટ્રાફિક પોલીસે અટકાવી હોવાનો વિડીયો વાઈરલ થયો હતો. જેમાં મહિલા પોતાના ઘરે જવાની વ્યથા વ્યક્ત કરે છે ત્યારે પોલીસ કર્મીએને સુફિયાણી સલાહ આપવા લાગે છે અને એક તબક્કે તો પોલીસ કર્મી ‘એ મારો વિષય નથી’ એવો સદંતર અયોગ્ય ઉત્તર આપીને ફરજ બજાવ્યાનો કે ઉપરી અધિકારીઓના આદેશનું પાલન કર્યાનો સંતોષ માણતો જોવા મળે છે.
મહિલાને થયેલી હેરાનગતિનો વિડીયો વાઈરલ થયા બાદ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને જાણે પ્રજાની પીડા સમજાઈ હોય એવું બનવા પામ્યું છે. અને હવેથી રાત્રિ કર્ફ્યુના 1 કલાક અગાઉ ટ્રાફિક સિગ્નલ પર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યયભરમાં જ્યાં કર્ફ્યુ લાગું કરાયો છે ત્યાં હજી પ્રજાજનોને પડતી અગવડો યથાવત્ રહેવા પામી છે.
જાણો શું હતું મહિલા કાર ચાલકનાં વાયરલ થયેલા વિડીયોમાં
ગતરાત્રે શહેરનાં કેકેવી ચોક સહિતના વિસ્તારોમાં રાત્રી કરફ્યુ શરૂ થવાના અડધો કલાક પહેલાં ટ્રાફિક સિગ્નલો પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન એક મહિલા ચાલકની કાર કેકેવી ચોકના આ ટ્રાફિકમાં ફંસાઈ હતી. જેને લઈને ટ્રાફિક ક્લિયર કરાવવા વિનંતી કરવાની સાથે આ મહિલાએ પોલીસ કર્મચારી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. અને જણાવ્યું હતું કે, સાત વાગ્યા કરતા વહેલા ઓફિસેથી જવા નથી દેતા. અને એવામાં સિગ્નલો પર આ રીતે ટ્રાફિકજામ થાય છે. તો કરફ્યુનાં સમય પહેલા કંઈ રીતે પહોંચવું સાહેબ ?
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનાં જણાવ્યા મુજબ, ગતસાંજે ટ્રાફિકજામ સર્જાવા પાછળ ટ્રાફિક સિગ્નલો જવાબદાર હોવાનું ચિત્ર ઉપસતાં આજથી સાંજે સાત વાગ્યે જ તમામ ચાર રસ્તાઓ પરના ટ્રાફિક સિગ્નલોને બંધ કરી દેવામાં આવશે. જેથી લોકોને લાંબો સમય ઉભા ન રહેવું પડે તેમજ ટ્રાફિક ઝડપથી પસાર થઇ જાય. જોકે વાહન ચાલકો આડેધડ ન ચલાવે તે માટે આવા ચાર રસ્તાઓ પર પોલીસનો બંદોબસ્ત રહેશે. હાલ વધી રહેલા આ સંક્રમણ અટકાવવાની કામગીરી માટે 3 હજાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજમાં તૈનાત હોવાનું પણ તેમણે કહ્યું છે. સાથે સાથે લોકોને માસ્ક - સેનેટાઇઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોનાના નિયમોનું પાલન કરી અને પોલીસને સહકાર આપવાની અપીલ પણ તેમણે કરી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરના લોકોને ફરિયાદ કરવા માટે પણ બહુ જરૂર હોય તો જ પોલીસ સ્ટેશને કે પોલીસ કમિશ્નર કચેરીએ આવવું જોઈએ. અન્યથા શહેર પોલીસના ઇ-મેઇલ આઇડી, ફેસબૂક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને સિટીઝન પોર્ટલ પર ફરિયાદ અરજી કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સાથે જ કચેરીએ ટોળા રૂપે ન આવી બે વ્યકિતએ જ આવવાનું સુચન કર્યું છે. સાથે તમામ પોલીસ મથકના ઇ-મેલ આઇડી તથા ઇન્ચાર્જના મોબાઇલ નંબર પણ જાહેર કર્યા છે. તેનો જરૂર મુજબ ઉપયોગ કરવાની અને 100 નંબર પર ફોન કરવાથી પણ પ્રશ્નનો ઉકેલ લાવવાની ખાતરી આપતા તેમણે બિનજરૂરી બહાર ન નીકળવા લોકોને અનુરોધ કર્યો છે.