શહેર પોલીસ કમિશ્નર પાસે આંતરિક બદલી કરવા સુધીની સત્તા હોય છે
ડીજીપીના આદેશ બાદ ક્રાઇમબ્રાન્સ સહિત અન્ય પોલીસ કર્મીઓની જિલ્લા બહાર બદલીને કારણે ચર્ચાએ જોર પકડ્યું
મોટા ભાગના પોલીસકર્મીઓની મુખ્યત્વે આદીવાસી વિસ્તારમાં બદલી કરાતા તે બાબત પણ ખુબ જ સુચક બની
WatchGujarat. કોરોનાના કપરા કાળમાં વોરિયર્સ તરીકેની ભુમિકા ભજવતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ક્રાઇમબ્રાન્ચ સહિતના અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા 11 પોલીસ કર્મીઓની એકાએક બદલી કરી દેતા બેડામાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે તમામ બદલીઓ ડીજીપીના આદેશ બાદ કરવામાં આવી છે. જેને લઇને બદલીઓ અંગેનુ કારણ જાણવા માટે ડિપાર્ટમેન્ટમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. શહેરમાં ફરજ બજાવી ચુકેલા મોટાભાગના પોલીસ કર્મીઓની બદલી આદિવાસી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારોમાં કરી દેવામાં આવી છે.
સામાન્ય રીતે નવા પોલીસ કમિશ્નર નિયુક્ત થાય અથવાતો કોઇ પોલીસના કોઇ ડિપાર્ટમેન્ટની બેદરકારી બહાર આવે તેવા કિસ્સામાં બદલી કરી દેવામાં આવતી હોય છે. શહેર પોલીસ કમિશ્નર પાસે આંતરિક બદલી કરવા સુધીની સત્તા હોય છે. પરંતુ જ્યારે જિલ્લા બહાર પોલીસ કર્મીની બદલી કરવાની હોય તેવા કિસ્સામાં સત્તા ડીજીપીને સોંપવામાં આવી છે. આજે કરવામાં આવેલા 11 પોલીસ કર્મીની બદલી ડીજીપીના આદેશ બાદ કરવામાં આવી છે. જિલ્લા બહાર બદલી કરવા પાછળના અનેક કારણો હોઇ શકે છે. પરંતુ પોલીસ કર્મીઓના સજાના ભાગ રૂપે મોકલવામાં આવ્યા હોવાનું બેડામાં ચર્ચાઇ રહ્યું છે.
મોટા ભાગના પોલીસકર્મીઓની મુખ્યત્વે આદીવાસી વિસ્તારમાં બદલી કરાતા તે બાબત પણ ચર્ચાસ્પદ બની છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ઈન્ટર્નલ ઓડીટીંગના આધારે આ બદલીના હુકમો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. પોલીસમાં મહત્વની શાખા ક્રાઇમ બ્રાન્ચમાંથી બદલી થવી ઘણી સુચક વાત છે. રૂટીન તથા વહીવટી કારણોસર બદલી કરવામાં આવી હોવાનું મનાઇ રહ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચમા ફરજ બજાવતાં કુલદીપસિંહ દીલીપસિંહ જાડેજા(દાહોદ), સંતોષ નાગજીભાઈ મોરી(ડાંગ આહવા), રઘુવિરસિંહ જસુભા વાળા (તાપી વ્યારા), રાજેશ લક્ષ્મણભાઈ બાળા(નવસારી), મહેન્દ્રસિંહ વાસુદેવસિંહ જાડેજા (છોટા ઉદેપુર), યોગીરાજસિંહ સુખદેવસિંહ જાડેજા (પંચમહાલ ગોધરા), સમિર ઈકબાલભાઈ શેખ(વડોદરા ગ્રામ્ય),હેડકવાર્ટરના હરદેવસિંહ જગતસિંહ (ભરૃચ), રામદેવસિંહ પ્રવિણસિંહ (પાટણ), ભકિતનગરના અક્ષયજસિંહ જગદિશસિંહ રાણા(મહિસાગર), આજીડેમનાં જયેશ મનુભાઈ કુનળા(મહેસાણા)નો સમાવેશ થાય છે. જો કે કયા કારણથી આ 11 પોલીસમેનોની બદલી કરાઈ તે અંગે અધિકારીઓએ ચુપ્પી સાધી લીધી છે. બદલી થયેલા કોન્સ્ટેબલોએ તો કયા કારણથી પોતાની બદલી થઈ તે બાબતે આશ્ચર્ય વ્યકત કર્યુ છે.
શહેર પોલીસ કમિશ્નર પાસે આંતરિક બદલી કરવા સુધીની સત્તા હોય છે
ડીજીપીના આદેશ બાદ ક્રાઇમબ્રાન્સ સહિત અન્ય પોલીસ કર્મીઓની જિલ્લા બહાર બદલીને કારણે ચર્ચાએ જોર પકડ્યું
મોટા ભાગના પોલીસકર્મીઓની મુખ્યત્વે આદીવાસી વિસ્તારમાં બદલી કરાતા તે બાબત પણ ખુબ જ સુચક બની
WatchGujarat. કોરોનાના કપરા કાળમાં વોરિયર્સ તરીકેની ભુમિકા ભજવતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ક્રાઇમબ્રાન્ચ સહિતના અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા 11 પોલીસ કર્મીઓની એકાએક બદલી કરી દેતા બેડામાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે તમામ બદલીઓ ડીજીપીના આદેશ બાદ કરવામાં આવી છે. જેને લઇને બદલીઓ અંગેનુ કારણ જાણવા માટે ડિપાર્ટમેન્ટમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. શહેરમાં ફરજ બજાવી ચુકેલા મોટાભાગના પોલીસ કર્મીઓની બદલી આદિવાસી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારોમાં કરી દેવામાં આવી છે.
સામાન્ય રીતે નવા પોલીસ કમિશ્નર નિયુક્ત થાય અથવાતો કોઇ પોલીસના કોઇ ડિપાર્ટમેન્ટની બેદરકારી બહાર આવે તેવા કિસ્સામાં બદલી કરી દેવામાં આવતી હોય છે. શહેર પોલીસ કમિશ્નર પાસે આંતરિક બદલી કરવા સુધીની સત્તા હોય છે. પરંતુ જ્યારે જિલ્લા બહાર પોલીસ કર્મીની બદલી કરવાની હોય તેવા કિસ્સામાં સત્તા ડીજીપીને સોંપવામાં આવી છે. આજે કરવામાં આવેલા 11 પોલીસ કર્મીની બદલી ડીજીપીના આદેશ બાદ કરવામાં આવી છે. જિલ્લા બહાર બદલી કરવા પાછળના અનેક કારણો હોઇ શકે છે. પરંતુ પોલીસ કર્મીઓના સજાના ભાગ રૂપે મોકલવામાં આવ્યા હોવાનું બેડામાં ચર્ચાઇ રહ્યું છે.
મોટા ભાગના પોલીસકર્મીઓની મુખ્યત્વે આદીવાસી વિસ્તારમાં બદલી કરાતા તે બાબત પણ ચર્ચાસ્પદ બની છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ઈન્ટર્નલ ઓડીટીંગના આધારે આ બદલીના હુકમો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. પોલીસમાં મહત્વની શાખા ક્રાઇમ બ્રાન્ચમાંથી બદલી થવી ઘણી સુચક વાત છે. રૂટીન તથા વહીવટી કારણોસર બદલી કરવામાં આવી હોવાનું મનાઇ રહ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચમા ફરજ બજાવતાં કુલદીપસિંહ દીલીપસિંહ જાડેજા(દાહોદ), સંતોષ નાગજીભાઈ મોરી(ડાંગ આહવા), રઘુવિરસિંહ જસુભા વાળા (તાપી વ્યારા), રાજેશ લક્ષ્મણભાઈ બાળા(નવસારી), મહેન્દ્રસિંહ વાસુદેવસિંહ જાડેજા (છોટા ઉદેપુર), યોગીરાજસિંહ સુખદેવસિંહ જાડેજા (પંચમહાલ ગોધરા), સમિર ઈકબાલભાઈ શેખ(વડોદરા ગ્રામ્ય),હેડકવાર્ટરના હરદેવસિંહ જગતસિંહ (ભરૃચ), રામદેવસિંહ પ્રવિણસિંહ (પાટણ), ભકિતનગરના અક્ષયજસિંહ જગદિશસિંહ રાણા(મહિસાગર), આજીડેમનાં જયેશ મનુભાઈ કુનળા(મહેસાણા)નો સમાવેશ થાય છે. જો કે કયા કારણથી આ 11 પોલીસમેનોની બદલી કરાઈ તે અંગે અધિકારીઓએ ચુપ્પી સાધી લીધી છે. બદલી થયેલા કોન્સ્ટેબલોએ તો કયા કારણથી પોતાની બદલી થઈ તે બાબતે આશ્ચર્ય વ્યકત કર્યુ છે.