ભાજપ અને કોંગ્રેસ દ્વારા સભાઓ ગજાવવાનું શરૂ કરી દેવાયુ છે.
ભાજપને સભા યોજવા પોલિસ વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવે છે.
કોંગ્રેસને પરવાનગી આપવામાં ન આવતા કોંગ્રેસના નેતાઓ SP ઓફિસ ખાતે જઈ ભાજપ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પહોંચ્યા
WatchGujarat. કોરોના કાળની વચ્ચે ગુજરાતમાં આવનારા સમયમાં સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સભાઓ ગજાવવાનું શરૂ કરી દેવાયુ છે. ત્યારે ઉલ્લેખનિય છે કે ભાજપને સભા યોજવા પોલિસ વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવે છે. પરંતુ કોંગ્રેસને પરવાનગી આપવામાં ન આવતા કોંગ્રેસના નેતાઓ SP ઓફિસ ખાતે જઈ ભાજપ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પહોંચ્યા હતા. અને કોંગ્રેસ દ્વારા SPને રજુઆત કરવામાં આવી હતી કે, કોંગ્રેસને સભા અને રેલીની પરવાનગી આપવામાં આવતી નથી. જ્યારે ભાજપ સભાઓ યોજી નિયમોનો ભંગ કરે છે. તેમ છતાં તંત્ર મૂક પ્રેક્ષક બની તમાસો જોઈ રહી છે. જેથી ભાજપ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.
પોલિસનાં આ વલણને લઇ રોષે ભરાયેલ કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યાં જ્યાં ભાજપે સભા અને બેઠકો કરી છે. ત્યાં ત્યાં ભાજપે કાયદાનો ભંગ કર્યો છે. તેના પૂરાવા તરીકે વીડિયો અમે પોલીસને આપ્યા છે. કોંગ્રેસ કાર્યક્રમ કરે તો પોલીસ એકશન લે છે. જ્યારે ભાજપ કાર્યક્રમ કરે તો પોલીસ કશું કોઈ પણ કાયદા કિય કાર્યવાહી કરતી નથી. તાજેતરમાં જ મુંબઈમાં ભાજપ દ્વારા યોજવામાં આવેલ સભાનો વીડિયો વાયરલ થયો હતો. કે જેમા સ્પષ્ટ રીતે ભાજપ નિયમોનાં ધજાગરા કરતાં નજરે પડ્યા હતાં. જેમાં પણ પોલીસે કોઇ પગલાં લીધા નથી. જ્યારે ભાજપ બેઠક કરે તો પોલીસ આવીને ધરપકડ કરે છે. અને ભાજપ કોંગ્રેસને દબાવવાનો પ્રયાસ કરે છે. ભાજપ કોરોનાને નોતરે છે. આગામી દિવસોમાં જો પોલીસનું આવું જ વલણ રહેશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઊતરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.
ભાજપ સરકારને જાણે કોરોનાની બીક જ ન હોય તેમ દેશમાં એક બાદ એક સભાઓ યોજી રહી છે. અને નિયમોનાં ધજાગરા ઉડાડી રહી છે. જેને લઇ કોંગ્રેસે માંગ કરી છે કે ભાજપ સામે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનાં ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવે. કારણ કે કોંગ્રેસને જ્યારે રેલી કે સભા યોજવી હોય તો પરવાનગી આપવામાં આવતી નથી અને ઉપરથી હમારા કાર્યકરો અને આગેવાનોની અટકાયત અને ધરપકડ કરવામાં આવે છે. તો ભાજપને આ છૂટ શા માટે આપવામાં આવે છે? ત્યારે કોંગ્રેસના આ કાર્યક્રમમાં ધારાસભ્ય લલિત વસોયા, હેમાંગ વસાવડા સહિત કોંગી નેતાઓ હાજર રહ્યાં હતા.
ભાજપ અને કોંગ્રેસ દ્વારા સભાઓ ગજાવવાનું શરૂ કરી દેવાયુ છે.
ભાજપને સભા યોજવા પોલિસ વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવે છે.
કોંગ્રેસને પરવાનગી આપવામાં ન આવતા કોંગ્રેસના નેતાઓ SP ઓફિસ ખાતે જઈ ભાજપ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પહોંચ્યા
WatchGujarat. કોરોના કાળની વચ્ચે ગુજરાતમાં આવનારા સમયમાં સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સભાઓ ગજાવવાનું શરૂ કરી દેવાયુ છે. ત્યારે ઉલ્લેખનિય છે કે ભાજપને સભા યોજવા પોલિસ વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવે છે. પરંતુ કોંગ્રેસને પરવાનગી આપવામાં ન આવતા કોંગ્રેસના નેતાઓ SP ઓફિસ ખાતે જઈ ભાજપ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પહોંચ્યા હતા. અને કોંગ્રેસ દ્વારા SPને રજુઆત કરવામાં આવી હતી કે, કોંગ્રેસને સભા અને રેલીની પરવાનગી આપવામાં આવતી નથી. જ્યારે ભાજપ સભાઓ યોજી નિયમોનો ભંગ કરે છે. તેમ છતાં તંત્ર મૂક પ્રેક્ષક બની તમાસો જોઈ રહી છે. જેથી ભાજપ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.
પોલિસનાં આ વલણને લઇ રોષે ભરાયેલ કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યાં જ્યાં ભાજપે સભા અને બેઠકો કરી છે. ત્યાં ત્યાં ભાજપે કાયદાનો ભંગ કર્યો છે. તેના પૂરાવા તરીકે વીડિયો અમે પોલીસને આપ્યા છે. કોંગ્રેસ કાર્યક્રમ કરે તો પોલીસ એકશન લે છે. જ્યારે ભાજપ કાર્યક્રમ કરે તો પોલીસ કશું કોઈ પણ કાયદા કિય કાર્યવાહી કરતી નથી. તાજેતરમાં જ મુંબઈમાં ભાજપ દ્વારા યોજવામાં આવેલ સભાનો વીડિયો વાયરલ થયો હતો. કે જેમા સ્પષ્ટ રીતે ભાજપ નિયમોનાં ધજાગરા કરતાં નજરે પડ્યા હતાં. જેમાં પણ પોલીસે કોઇ પગલાં લીધા નથી. જ્યારે ભાજપ બેઠક કરે તો પોલીસ આવીને ધરપકડ કરે છે. અને ભાજપ કોંગ્રેસને દબાવવાનો પ્રયાસ કરે છે. ભાજપ કોરોનાને નોતરે છે. આગામી દિવસોમાં જો પોલીસનું આવું જ વલણ રહેશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઊતરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.
ભાજપ સરકારને જાણે કોરોનાની બીક જ ન હોય તેમ દેશમાં એક બાદ એક સભાઓ યોજી રહી છે. અને નિયમોનાં ધજાગરા ઉડાડી રહી છે. જેને લઇ કોંગ્રેસે માંગ કરી છે કે ભાજપ સામે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનાં ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવે. કારણ કે કોંગ્રેસને જ્યારે રેલી કે સભા યોજવી હોય તો પરવાનગી આપવામાં આવતી નથી અને ઉપરથી હમારા કાર્યકરો અને આગેવાનોની અટકાયત અને ધરપકડ કરવામાં આવે છે. તો ભાજપને આ છૂટ શા માટે આપવામાં આવે છે? ત્યારે કોંગ્રેસના આ કાર્યક્રમમાં ધારાસભ્ય લલિત વસોયા, હેમાંગ વસાવડા સહિત કોંગી નેતાઓ હાજર રહ્યાં હતા.